આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીણાને નહિ વેચું
૭૭
 

પોતાના પ્યારની હુંફમાં લઈને આ ભૂલા પડેલા કવિને નવાં નવાં ગીતો સર્જતો જોવાનું એનું સ્વપ્ન હતું. દુર્ભાગ્યે ઇઝાડેરા પણ કલાકાર હતી. એણે જીવન પરને કાબુ ગુમાવ્યો હતો. એ સ્વપ્નદર્શિણીનાં જીવન–મૂળ ધરતીમાંથી ઊખડી ગયાં હતાં. એ પણ સુરાપાનની સહાય વડે અવાસ્તવિક જીવનમાં જીવતી હતી. યેસેનીન એનાથી ન સચવાયો. કાવ્યોને બદલે શયનગૃહના ઘાતકી કંકાસો જન્મ્યા. ઇઝાડેરાનો જીવ લેવાની દમદાટી કરતો પાગલ કવિ ત્યાંથી નાઠો. એનું સ્થાન એણે ક્યાંય ન દીઠું. સમસ્ત કલા–સાહિત્ય પ્રચારલક્ષી રાજતંત્રની ભાડુતી સિપાઈગીરી બજાવતું હતું.

યેસેનીનને યાદ આવ્યું: ક્રાંતિની શરૂઆતમાં એણે લખ્યું હતું કે:ー

I want to be a singer and a citizen,
To everyone a pride and all example,
A real and 1 not a changeling son.
In the great States of Soviet Republic.

આજે એ શોકાતુર હૃદયે પોતાની જાતને પૂછવા લાગ્યો.

“કેવી કમભાગી પળે
મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો !
હું તમારો બાંધવ બનીશ !
અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે
કોઈને જરૂર નથી રહી.