આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
વ્યાજનો વારસ
 

 રમાડવા તેમ જ ધવડાવવા માટે અમરતે રઘી કરીને એક ધાવમાતા શોધી કાઢી.

આ રઘી ઘરમાં આવી કે થોડા દિવસમાં સહુ માણસો સાથે લીંબુના પાણીની જેમ ભળી ગઈ. પદ્મકાન્તને પણ નંદન કરતાં આ ધાવમાતાનો ખેાળો વધારે ગમતો હોય એમ લાગ્યું.

અમરતને તો આટલું જ જોઈતું હતું. જેમ તેમ કરીને એ ‘પદમ’માંથી ‘પદમ શેઠ’ થઈ જાય એટલે નિરાંત.

કોણ જાણે કેમ, પણ રઘીને આ ઘરનાં અન્ય માણસ કરતાં સુલેખા સાથે વધારે ગોઠી ગયું. સુલેખાની સાક્ષરતા પાસે રઘી તો સાવ નિરક્ષર અને અજ્ઞાન હતી. સુલેખાની ઉચ્ચ સંસ્કારિતા, સુઘડતા અને સુરુચિભરી રસિકતાનો અલ્પાંશ પણ આ સહીપણીમાં નહોતો. છતાં કોઈક કુદરતી કારણે જ બન્ને વચ્ચેનાં સહીપણાં એવા તો ગાઢ થઈ ગયાં કે બંનેને એકબીજાના સહવાસ વિના ચેન ન પડતું.

પદ્મકાન્તને ધવડાવવા અને રમાડવા સિવાય બીજું બહુ કામ રઘીને સોંપાયું નહોતું, છતાં એ આખો દિવસ સુલેખાના ઓરડામાં કાંઈક ને કાંઈક કામ કર્યા કરતી. સુલેખાનાં અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકો ઠીકઠાક કરતી, ચિત્રકામ અધૂરું મૂકીને સુલેખા ઊભી થઈ ગઈ હોય તો રંગની પેટીઓ યોગ્ય જગ્યાએ ગોઠવતી, સંજવારી કાઢીને આખા ઓરડામાં ઝાળાંઝપટાં કરતી. અને જ્યારે બધું જ કામ પૂરું થઈ રહે અને નવરી પડે ત્યારે રઘી સુલેખા સાથે કાબરની જેમ વાતોએ વળગતી. રઘીની વાતો સાંભળવામાં સુલેખાને ઊંડો રસ હતો. એક તો રઘીનો અવાજ મીઠો મધ જેવો અને વળી દુનિયાના અનુભવનો એની પાસે બહોળો ભંડાર હતો. દુનિયાની લગભગ બિનઅનુભવી એવી સુલેખા માટે તો રઘીનો સહવાસ એક અખૂટ રસઝરણું બની રહ્યો.

પદ્મકાન્તને ધવડાવતી હોય કે રમાડતી હોય ત્યારે રઘી