આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૭૧
ભંડારી દઈશ !’
પુત્રને મોંએથી અમરતના આ શબ્દો સાંભળીને ચતરભજ સમસમી રહ્યો.
‘આડા વહેરની હડફેટે મારો ઓધિયો જ આવી ગયો, એમ ?’
પણ અમરત કરતાં ચતરભજ વધારે કાબેલ મુત્સદ્દી હતો. અમરતની જેમ એ આડા ઘામાં નહોતો માનતો. દાવ આવ્યે સોગઠી મારવી એ ચતરભજની નીતિ હતી.
સોગઠી મારવા માટે એવા કોઈ અનુકૂળ દાવની રાહ ચતરભજ જોઈ રહ્યો.
*