આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૭૧
 

 ભંડારી દઈશ !’

પુત્રને મોંએથી અમરતના આ શબ્દો સાંભળીને ચતરભજ સમસમી રહ્યો.

‘આડા વહેરની હડફેટે મારો ઓધિયો જ આવી ગયો, એમ ?’

પણ અમરત કરતાં ચતરભજ વધારે કાબેલ મુત્સદ્દી હતો. અમરતની જેમ એ આડા ઘામાં નહોતો માનતો. દાવ આવ્યે સોગઠી મારવી એ ચતરભજની નીતિ હતી.

સોગઠી મારવા માટે એવા કોઈ અનુકૂળ દાવની રાહ ચતરભજ જોઈ રહ્યો.

*