પ્રતિમાઓ
ઝવેરચંદ મેઘાણી
જનેતાનું પાપ →





પ્રતિમાઓ
.
ઝવેરચંદ મેઘાણી


પ્રતિમાઓ






ઝવેરચંદ મેઘાણી



ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય




કિંમત : રૂ. 65
પુનર્મુદ્રણ: ફેબ્રુઆરી 2008

આવૃત્તિઓ : પહેલી 1934, બીજી 1942, ત્રીજી 1946

પુનર્મુદ્રણ: 1976, 1981

‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ 1)માં પુનર્મુદ્રણ 1998
 




PRATIMAO
sort stories

by Jhaverchand Meghani
Published by Gurjar Grantharatna Karyalaya,
Gandhi Road, Ahmedabad 380 001, (India)
Ed 3, 1946, reprinted 2007
સુશોભન-રેખાંકનો : વાસુદેવ સ્માર્ત
પાનાં : 8+168=176
 
નકલ : 1250
 

♦પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001 : ફોન : 22144663 ♦ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય 201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ380 006 : ફોન : 26564279 ♦મુદ્રક : ભગવતી ઓફસેટ 15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004













અર્પણ
કજિયાળી બહેનને









તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
 અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
 તારે કાને હજાર ગાન ગાવાં હતાં !
 શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
 તારે કાને હજાર ગાન ગાતાં હતાં !

(લેખકના ગીત-સંગ્રહ 'કિલ્લોલ'માંથી)




નિવેદન


[પહેલી આવૃત્તિ]

ગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે?

આ વાર્તાઓના સર્જન સાથે એક નવું નામ જોડાયેલું છે કે જેને સાહિત્ય, કલા અથવા ચિત્રપટની દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થાન આપે. (વસ્તૃત: ઘણુંખરું, મારો જીવનસંબંધ આવી કોઈ 'દ્વારકાની છાપ’ વગરના જ સ્નેહીઓમાં સંઘરાયો છે.) આ યુવાન વ્યાપારી સુહૃદે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊંડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે 'કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરૂં ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. લખાઈ તૈયાર થતી વાર્તાઓને તપાસી તપાસી, જ્યાં જ્યાં અમારી બેઉની સમજમાં ફેર પડતો હતો ત્યાં ત્યાં નવસંસ્કરણ કરાવ્યું. એ નામનો ઉલ્લેખ અહીં કરું છું તે એની નિપુણતાને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ સ્નેહના ચિરસ્મરણને સારુ. એનું નામ શ્રી નાથાલાલ દોશી છે. મુંબઈમાં એ મોટર-સ્ટોર્સની પેઢી ચલાવે છે.

સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરના પ્રકાશન માટે તૈયાર થયેલી આ ચોપડીને ‘ફૂલછાબ'ના સંચાલકોએ પોતાનું ભેટપુસ્તક બનાવવા માગ્યું તે તેઓનું સૌજન્ય ગણું છું.

1-1-1934

*



['પલકારા'ના નિવેદનમાંથી)

'પ્રતિમાઓ' ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતોઃ

જનેતાનું હૃદય
'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ’
 :
પાછલી ગલી
'બૅકસ્ટ્રીટ'
 :
પુત્રનો ખૂની
'ધ મૅન આઈ કિલ્ડ'
 :
એ આવશે
'મૅડમ બટરફ્લાય'
:
આખરે
'ધ સીડ'
 :
મવાલી
'20,000 યર્સ ઈન સિંગ સિંગ'
 :
આત્માનો અસૂર
'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ'
:
જીવનપ્રદીપ
'સિટીલાઈટ્સ’
:
હાસ્ય: પહેલું અને છેલ્લું
'ધ ક્રાઉડ'
 :


[બીજી આવૃત્તિ]

આ વાર્તાસંગ્રહની નવી આવૃત્તિ થતી જોવા હું ઘણા સમયથી ઉત્સુક હતો. ચિત્રપટના પરદા પરની વાર્તાઓ લેખે આ વાર્તાઓ એક માર્ગદર્શક સ્થંભ (ખાંભા)નું મહત્ત્વ ધરાવે છે, તે ઉપરાંત આપણા લઘુકથાઓના લલિત સાહિત્યમાં પણ એ નિઃશંક સ્થાન મેળવી શકેલી છે.

આવી જ બીજી વાર્તાઓનો મારો સંગ્રહ ‘પલકારા' નામે પ્રકટ થયેલ છે, તે જિજ્ઞાસુઓએ જોઈ જવા જેવો છે.

રાણપુર: 25-5-'42


[ત્રીજી આવૃત્તિ]

આ ચિત્રપટ-કથાઓ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે તે વાચક જનતાની પ્રસન્નતા બતાવે છે. મારી કૃતિઓનાં પ્રેમી જનોનો હું ઉપકાર માનું તેટલો ઓછો છે.

અમદાવાદઃ 1946


ક્રમ

નિવેદન [5]
1. જનેતાનું પાપ 3
2. આખરે 24
3. પુત્રનો ખૂની 47
4. પાછલી ગલી 64
5. આત્માનો અસુર 81
6. એ આવશે ! 101
7. હાસ્ય : પહેલું અને છેલ્લે 117
8. જીવન-પ્રદીપ 131
9. મવાલી 152




પ્રતિમાઓ
 

ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે.

યુરોપી ચિત્રપટોએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની 'પ્રકાશ અને પ્રતિધ્વનિ'ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ. તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યા ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી.

'પ્રતિમાઓ'ની નવ અને 'પલકારા'ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ મારા પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણાં મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું મારે માટે શક્ય બન્યું.

આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યના સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યા નથી. પણ સર્જવામાં જો પ્રસવ-વેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાંય ક્યાં ઓછી વેદના ૨હેલી છે ! .... એમાં મારો પ્રાણ નિચોવાયો છે.

[ પ્રતિમાઓ” અને પલકારાનાં નિવેદનોમાં]


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.