બાપુનાં પારણાં/આગેવાન આંધળા જેના

← '૪૩નાં પારણાં બાપુનાં પારણાં
આગેવાન આંધળા જેના
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
એ ત્રણસોને  →


આગેવાન આાંધળા જેના -


શે'ર દિલ્લીમાં એક દી' ઊઠી કારમી હાલકલોલ;
દસ દિશાએ ધૂળના ડમ્મર; વાગતા આવે ઢોલ;


આગેવાન ત્રણસો આવે
ટેલીગ્રાફ તાર ધ્રુજાવે.

આગેવાન આંધળા જેના, ૫
કટક એનું જાય કુવામાં.



ત્રણસોએ જ્યારે તાળીઉં પાડીને જીભનો દીધો દમ,
'વૉય મા!' કહીને આંખ મીંચી ગૈ હાકેમ કેરી મઢમ,


ચર્ચિલને તાવ આવી ગ્યો,
માંદો રૂઝવેલ્ટ પડી ગ્યો — આગેવાન૦ ૧૦



ત્રણસો નેતા ટાંપીને બેઠા, મોકલી દૈ ઠરાવ,
છાપેલ એક પતાકડું આવ્યું, 'ઘર ભેળા થૈ જાવ !'


આગેવાને આમળી મૂછ્યું :—
'અમે તો ધારી મૂકયું’તું' — આગેવાન૦

બાદઆગેવાને ભાખિયાં ભાવિ, બાપુ તો જીવશે નંઈ! ૧૫
જીવશે તો ચમત્કાર ગણાશે, શાંત રે'જો સૌ ભઈ !
ખબરદાર રોયા ય છો તો !
નવો કોઈક કાઢશું રસ્તો—આગેવાન૦

ત્યાગનોને મારગ મૂરખાઓનો: શું કરે તેજબ્હાદૂર !
‘સર’નો છે નૈ મોહ કૈં બાકી, તોય કરે નવ દૂર—ર૦
કાં કે એને બીક લાગે છે
લોકો તકસાધક કે'શે !—આગેવાન૦

મારું બેટું આ તો જીવી ગ્યા બાપુ !
તેજ થ્યાં એનાં બજાર
હિન્દની પૉલીટીક્સને હવે કેમ કરશું ઉદ્ધાર ! રપ
એના એજ લોહીઉકાળા !
અનશન પ્રાર્થના વાળા !

આગેવાન ત્રણસો ઊઠ્યા,
પોતાને ઘેર પાછા ગ્યા.

આગેવાન આંધળા જેના ૩૦
કટક એનું જાય કુવામાં.