ભજન ભરોંસે અવિનાશી
મીરાંબાઈ



ભજન ભરોંસે અવિનાશી


ભજન ભરોંસે અવિનાશી, મેં તો ભજન ભરોંસે, અવિનાશી!
જપતપ તીરથે કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે.
મંત્ર ને તંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢ્યો ન ગઈ કાશી રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલની દાસી રે.