મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં

મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં
ભાણસાહેબ



મન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં

મન ! તું રામ ભજી લે – ને રાણા,
તારે ગુણ ચોવિંદનાં ગાણાં…
ખોટી માયાની ખબર પડી નહીં, કળ વિનાના કુટાણા ;
જૂઠી માયાસે ઝઘડો માંડયો, બળ કરીને બંધાણા…
કૂડિયા તારે કામ નહીં આવે, ભેળા ન આવશે નાણાં ;
હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં…
કૂણપ વિના નર કૂણા દીસે, ભીતર નહીં ભેદાણા ;
હરિ વિનાના હળવા હીંડે, નર ફરે નિમાણા…
સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા ;
જળનું તો કાંઈ જોર ન ચાલે, પલળે નહીં ઈ પાણા…
પળી ફરી પણ વરતિ ન ફરી, બોલ નહીં બદલાણા ;
છબી ફરી પણ ચાલ ફરી નહી, ભ્રાંતિ ગઈ નહીં ભાણા…