વીરક્ષેત્રની સુંદરી/કામીજન વિષે છપ્પા

← પરનારી વિષયક કવિ શામળભટના છપ્પા વીરક્ષેત્રની સુંદરી
કામીજન વિષે છપ્પા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪


કામીજનવિષયક કવિ શામળભટના છપ્પા

કામી ન જુએ કર્મ, કામિ જન ધર્મ ન ધારે;
કામીને શી શરમ, કામિજન મરે કે મારેઃ
કામી ન સૂજે કામ, શાસ્ત્રની વાત ન સૂજે;
કામી ન ભજે રામ, બુદ્ધિ એકે નવ બૂઝે;


કોટી અવગુણ કામીતણા, ધર્મ મારગે નવ ધસે;
અપજશ જે અવની ઉપરે, કામાતુરને તન વસે. ૧૯


કાં રાજા કાં રંક, કોણ નર કે કો નારી;
કામાતુરે કલંક, હોડ હિંમત જાય હારી;
પૃથ્વીમાં જે પાપ, રોગ ક્ષય આદિક દેહે;
ત્રિલોકમાં પરિતાપ, નકી પરનારી નેહે;


લાખો વીંછીની વેદના, દુખ દિવાનના દંડમાં;
શામળ કહે કોઈ રખે કરો, પ્રીત પરસ્ત્રી પંડમાં. ૨૦