સમીરે સાંજના સોડમાં સુતા

સમીરે સાંજના સોડમાં સુતા
નરસિંહ મહેતા


સમીરે સાંજના સોડમાં સુતાં, નણદલીએ સાદ કીધો રે;
હવું પ્રભાત પીયુ થયો ઘેલો, ઉંઘરેટો જઈ સૂતોરે.
હરિનું પીતાંબર સેજે રહ્યુંરે, પાલટીને પટફૂલ ગયો;
ક્યમ કદી વનજાઉંરે મહી વેંચવા, દુરિજન લોકબોલ કહ્યો રે.
દીઠડે ડાઢ ગળે, અસતીઆ બહુ બળે, તો અભિમાન શું કરીએ;
નરસિંહાચો સ્વામી ભલે મળિયો, ભવસાગર ઉતરીએરે.