જન્મ ૧૪ એપ્રિલ 1877
અમદાવાદ
મૃત્યુ ૧૮ જુલાઇ 1907
મુંબઈ
ઉપનામ શિવશંભુ શર્માનો ચિકો
વ્યવસાય ગીતકાર, નાટ્યકલાકાર, નાટ્ય દિગ્દર્શક, લેખક, અભિનેતા
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત

અમૃત કેશવ નાયક (ઉપનામ: શિવશંભુ શર્માનો ચિકો) (૧૪ એપ્રિલ ૧૮૭૭ - ૨૯ જૂન ૧૯૦૬) નાટ્યકાર, નવલકથાકાર હતા.

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી તેમજ બે ધોરણ ઉર્દૂ સુધી થયો. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં નટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની તેઓ પહેલ કરનાર હતા. તેઓ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા. તેમના નામ પરથી મુંબઈના કોટ વિસ્તારમાં ખાદી ભંડારની પાછળ આવેલા માર્ગને 'અમૃત કેશવ નાયક માર્ગ' નામ આપવામાં આવ્યું છે.

સર્જન ફેરફાર કરો

એમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર રજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.