ભાલણ (૧૫મી સદી ઉત્તરાર્ધ-૧૬મી સદી પુર્વાર્ધ) મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેઓ પાટણના વતની હતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત હતા. તેઓ આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક હતા. તેમના ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનુ માનવામાં આવે છે. તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા અને તેમને વ્રજ ભાષાનું જ્ઞાન પણ હોવાની સંભાવના છે. જીવનના પ્રારંભિક વર્ષોમા દેવભક્ત હોય, પરંતુ એક થી વધારે દેવોની સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમા રામભક્તિ પર વધુ આસ્થા બનેલી દેખાય છે.

કવિના ‘દશ્મસ્કંધ’ માંનાં કેટલાંક વ્રજ ભાષાનાં પદો પરથી કહી શકાય કે તેઓ વ્રજ ભાષાના જાણકાર હશે. પુરુષોત્તમ મહારાજ તરીકે એમની ખ્યાતિ હતી અને કવિ ભીમ પુરુષોત્તમને એમના ગુરુ તરીકે નિર્દેશ કરે છે. એ ભાલણ હોવાની સંભાવના છે. એણે સૌપ્રથમ વાર ગુજરાતી ભાષા માટે ‘ગુજર ભાષા’ એવો શબ્દપ્રયોગ કર્યો.[૧] [૨]

કૃતિઓ ફેરફાર કરો

ભાલણે આખ્યાનો અને પદોનું સર્જન કર્યુ છે. અને બાણભટ્ટની મહિમાવંતી ગદ્યકથા ’કાદંબરી’નું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું.[૩] કાદંબરી ભાલાણની કીર્તિદા રચના છે.[૪] બાણભટ્ટની ગદ્યકથા 'કાદંબરી'ને ૪૦ પદ્ય-કદવાંવાળા આખ્યાન સ્વરૂપમાંં ધાળીને ભાલણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાલણને આખ્યાનના પિતા કહેવામા આવે છે. કારણ કે એમની પુર્વેની કવિતાઓમાં કથાત્મક કાવ્ય પ્રકારની ઉપાસના કરી છે, પરંતુ કડવાંબદ્ધ આખ્યાન શૈલીનો પ્રયોગ તો સૌપ્રથમ ભાલણે જ કર્યો હોવાનુ જણાય છે.

પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એમને કેટલાક આખ્યાન લખ્યા છે. આદ્યશક્તિ ‘સપ્તશતી’, શિવપુરાણની શિકારીની કથાવાળુ ‘મૃગી આખ્યાન’ પહ્મપુરાણમાંથી વસ્તુ લઈને ‘જલંધર આખ્યાન’, ગણિકા મામકીની ભક્તિ નિરુપતું ‘મામકી આખ્યાન’, ભાગવતની ધ્રુવકથા વર્ણવતુ ‘ધ્રુવાખ્યાન’, અને મહાભારતની નળ કથાને આલેખતુ ‘નળાખ્યાન’ જેવા કેટલાક આખ્યાનો લખ્યા છે. એમના આખ્યાનોમા એ મુળ કથાનુ જ મુખ્યત્વે અનુસરણ કરતો હોવાથી આ પ્રસંગોને સક્ષેપમાં વર્ણન કરતો હોવાથી પ્રેમાનંદ કવિની જેમ એની મૌલિક કલ્પનાશ્ક્તિનુ એમા વર્ણન થતુ નથી. આ બધા આખ્યાનોમાં નળાખ્યાન એમની ખુબજ પ્રચલિત આખ્યાન કૃતિ છે. આ આખ્યાન ઉથલા- વલણ વગરના ૩૦/૩૩ કડવામાં રચાયેલુ છે અને સંસ્કૃત મહાકવિ શ્રી હર્ષના ‘નૈષધિય રચિત’ મહાકાવ્ય તેમજ ત્રિવિક્રમના ‘નલચંપૂનો’ ઓછોવધતો પ્રભાવ ઝીલતું, શૃંગાર અને કરુણ્નું આકર્ષક નિરુપણ કરતું પ્રસાદિક આખ્યાન છે. એણે બીજું પણ ‘નાળાખ્યાન’ લખ્યું હોવાનું કહેવાય છે, પણ એ શંકાસ્પદ છે, ભાલણની નળકથાને અનુગામી જૈન-જૈનોતર કવિઓને નળવિષયક આખ્યાનો લખવા પ્રેર્યા છે. મહાભારત પ્રમાણે નળનો રાજમંદિરમાં ગુપ્ત રીતે થતો પ્રવેશ અને પછી ‘નૈષધિય રચિત’ પ્રમાણે એ અપ્રગટ નળને સખીઓ સાથે પકડી પાડવાનો કસબ એમાં સારી રીતે વર્ણવ્યો છે. દમયંતીત્યાગ પછી એની સહાયક સ્થિતિનું સવિગત વર્ણન ભારતીય નારીના મનોભાવો સાથે નિરુપાયુ છે.[૨]

ભાલણની રચનાઓમાં ‘દશ્મસ્કંદ’ અને ‘રામબાલરચિત’ સૌથી વધારે ધ્યાન ખેંચે છે.[૧]

દશ્મસ્કંદ ફેરફાર કરો

ભાલણે ‘દશ્મસ્કંદ’ નો અનુવાદ પદોમાં કરેલો છે, પણ એ નામભેદે કડવાં જ છે. ‘દશ્મસ્કંદ’ માં તેમેને લખેલી ‘રુક્મણીવિવાહ’ અને ‘સત્યમભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. આ સિવાય અન્ય કવિઓના પદ પણ આમાં ભળી ગયાં છે. ભાગવતની કથાને ટુંકમાં કહેવાનુ એમનુ લક્ષ હોવા છતાંં વાત્સલ્ય, શૃંગાર, અને કરુણમાંં કવિ એવા ઊંચા વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે કે એમા દાણલીલા, માનલીલા અને ભ્ર્મરગીત પ્રેમાનંદ નરસિહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવા છે.[૨]

રામબાલચરિત ફેરફાર કરો

રામબાલચરિત એ સીતાસ્વયંવર સુધીની કથાને રજૂ કરતી ૪૦ પદવાળી કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેસ્ટાનાં સ્વભાવોક્તિભર્યા ચિત્રો અને માતૃહ્રદયની લાગણીનું તેમાં થયેલું પિરુપણ અપુર્વ છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).