એકતારો/કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી !
< એકતારો
← પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; | એકતારો કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! ઝવેરચંદ મેઘાણી |
હું જુવાન, હું જુવાન, → |
કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી !
કોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં !
‘कालोऽस्मि लेाकाक्षयकृत्' કહન્દો,
આંહીં ખડો અંજલિ જોડી બંદો.
સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ—ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.
- ↑ **સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.