કંકાવટી/મંડળ ૨/૧૧. નિર્જળ માસ

← ૧૦. કોયલ વ્રત કંકાવટી
૧૧. નિર્જળ માસ
ઝવેરચંદ મેઘાણી
૧૨. ફૂલ-કાજળી વ્રત →



નિર્જળ માસ


જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે ?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે -

દાતણ પાણી મોકળા,
તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે -
નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે -

અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.