કંકાવટી/મંડળ ૨/૧૨. ફૂલ-કાજળી વ્રત

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૧. નિર્જળ માસ કંકાવટી
૧૨. ફૂલ-કાજળી વ્રત
ઝવેરચંદ મેઘાણી
૧૩. ચોખા-કાજળી વ્રત →


ફૂલ-કાજળી વ્રત


શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.

મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીનું પાણી પીએ.
શંકર-પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલ ગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નારિયેળ ને ચોખા લે.