ગુજરાતની ગઝલો/અદાવતમાં મહોબ્બત
← નસીબ આજરાત | ગુજરાતની ગઝલો અદાવતમાં મહોબ્બત [[સર્જક:|]] ૧૯૪૩ |
એકના વિના → |
દિવાનો
નથી ઉલ્ફત તમારી પાસ પણ નફ્રત તો છે કે નહીં?
મહોબ્બત હો ન હો, દિલબર ! દિલે નખ્વત તો છે કે નહીં?
નહીં જો પ્યારથી તો કોધથી પણ હમ તરફ જોશો ?
ભ્રૂકુટી ક્રોધનીમાં બાણની હરક્ત તો છે કે નહીં?
પ્રીતિનાં વાક્ય નહી સુણીએ, સુણીશું ક્રોધના શબ્દો;
ઝબાં તે પણ તમારી બેલની લજ્જત તો છે કે નહીં?
ન તારા અંતરે વાસો કદી વસવા મને દેશે–
છબી મુજ અંતરે તારી રહી તુજવત્ તો છે કે નહીં ?
ભલે ઈન્કાર તારો હો, ન હો ઇકરાર તેથી શું ?
છું તારો, એમ આ કહેનાર સહુ ખલ્કત તો છે કે નહીં ?
ભલે તું આજ ભરમાઈ હરીફોના ભરમાવ્યાથી;
ભવિષ્યમાં પણ એ તારા વસ્લની હસરત તો છે કે નહીં ?