← મુક્તાનંદ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
ધીરોભક્ત
દલપતરામ
બ્રહ્માનંદ →


ધીરોભક્ત

એ કવિ વડોદરા જીલ્લામાં સાવલી ગામ છે, કે જે આજે સાવલી ગોઠડા એવાં બે પાસે આવેલાં ગામોથી ઓળખાય છે. ત્યાંનો રહેનાર નાતે ભાટ હતો. તેણે પોતાની કવિતામાં વર્ષ લખ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી. તથા પોતાની જાતિનું કે ગામનું નામ પણ કવિતામાં તેણે લખ્યું નથી. લોકોને મોઢેથી સાંભળ્યા પ્રમાણે મેં લખ્યું છે. એ કવિ વેદાંતના મતને મળતો હોય એવું જણાય છે. તેનાં કાફી રાગનાં એક જ તહેરનાં પદો ઘણાં કરેલાં સાંભળ્યાં છે. તેની ભાષા સેહેલી અને શુદ્ધ છે, વળી તેની કવિતામાં મીઠાશ પણ છે. તે સંવત ૧૮૮૪ની સાલમાં હયાત હતો. એવું લોકો કહે છે.