← પ્રીતમદાસ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
લજ્જારામ
દલપતરામ
હેમો →



લજ્જારામ

અમદાવાદનો ઔદિચ્ચ બ્રાહ્મણ સંવત ૧૮૪૩માં હતો. તેણે ભારતમાંથી કોઠાયુદ્ધ ગુજરાતીમાં કરેલું છે, તથા સગાળશાની વાર્તાની કવિતા કરેલી છે. એની કવિતામાં ઝાઝી મીઠાશ નથી, તેથી તે ઘણી પ્રસિદ્ધ પણ નથી. માટે તે ત્રીજા વર્ગમાં ગણવા લાયક છે.