બીરબલ વિનોદ/અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા

← વ્હાલામાં વ્હાલી વસ્તુ બીરબલ વિનોદ
અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા
બદ્રનિઝામી–રાહતી
ત્રણ પ્રશ્નો →


વાર્તા ૨૬.

અક્કલ અને મુર્ખતાની પરિક્ષા.

એક દિવસે બાદશાહે બીરબલને પૂછયું “બીરબલ ! અક્કલવંત કોને કહેવો અને મૂર્ખ કોને ગણવો?"

હાઝર જવાબ બીરબલે કહ્યું “ નામદાર જે માનવિ ધારેલી ધારણામાં સફળતા મેળવે એજ અકકલવંત, શાણો ચતુર અને જ્ઞાની કહી શકાય અને જે પોતાની ધારેલી ધારણામાં સફળતા ન મેળવતાં અધવચમાં જ અટકી પડે. તેને મૂર્ખ–દીવાનો જાણવો.”

આ સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેના ચાતુર્યના વખાણ કરવા લાગ્યો.