બીરબલ વિનોદ/વાતતો હું કરી લઇશ
← સાચા એહદી | બીરબલ વિનોદ વાતતો હું કરી લઇશ બદ્રનિઝામી–રાહતી |
તમારા કેટલા પુત્ર છે? → |
વાર્તા ૧૦૭.
વાત તો હું કરી લઇશ.
એક પ્રસંગે બીરબલ એક અગત્યના કામ માટે બાદશાહના ખાનગી ઓરડામાં દાખલ થયો. બાદશાહે કહ્યું “ બીરબલ ! અત્યારે તમે કેમ આવ્યા ?”
બીરબલ બોલ્યો “હુઝૂર ! એક અગત્યના કામ બાબત આપને થોડુંક પૂછવાનું છે.” બાદશાહે કહ્યું “અત્યારે મ્હને વાત કરવાને અવકાશ નથી, માટે બીજા દિવસ પર મુલ્તવી રાખો. ” બીરબલે વિનોદપૂર્વક ઉત્તર આપ્યો “જહાંપનાહ ! આપ ગભરાશો નહીં, વાત તો હું કરી લઈશ.”