← પદ-૩૪ રસિકવલ્લભ
પદ-૩૫
દયારામ
પદ-૩૬ →


પદ ૩૪ મું

જો ભવ જૂઠો નિસમ્દેહજી, તો આ જૂઠો ઠરીયો દેહજી;
તદા દેહની કૃતિ પણ જૂઠીજી, સાધન જૂઠે ગયું ફળ ઉઠીજી.
વિના શરીર ન હોય જ્ઞાનજી, તે જૂઠે શોઇ મોક્ષ મહાનજી;
પ્રાપ્તિ સ્વપ્નમાં થઈ હોય ગર્થજી, જાગે ના સરે તેથી અર્થજી.

ઢાળ

નિજ અર્થ સાચો સરે જે થકી, મળે પદ મહા મોહોટું.
તે તણું હેતુ શરીર સુંદર, ક્યમ કહીયે ખોટું?
હરિ વસ્તુમાં મમતાપણું, તેટલું મિથ્યાજાણ;
વસ્તુનો નાશ નથી કદા તુંસત્ય કરી પરમાણ,

જે વસ્તુ પોતાની લહી, તે નાશ પામે રોય,
માહારાપણું મિથ્યા ઠર્યું, વસ્તુ તો જ્યહાં ત્યહાં હોય.
તું કહેશ પરિણામ મૃષા, તે મંદ તાહરી મત્ય;
સંસાર સૂક્ષ્મબીજ રૂપે, સદા હરિમાં સત્ય.
જ્યમ વૃષા વીતે અભ્ર અંતરધ્યાન હોય સહુ જોય;
ક્યહું હતો નહિ તો સ્મય આવી કોણ વરસ્યું તોય.
ભવલીલા છે ભગવંતની, સંશય ન ભગવદ્ સ્વરૂપ;
છે કારાણ સાચું દયાપ્રીતમ કાર્ય પણ તદ્રૂપ.