સ્રોતસ્વિની
દામોદર બોટાદકર



સ્રોતસ્વિની.


વંદન.

( શિખરિણી )

વસે ના વૈરાગ્યે જ૫ ત૫ થકી જે નવ જડે,
અનાયાસે આવી વિમળ ઉરને સત્ત્વર વરે;
પ્રતાપે પૃથ્વીમાં સુરસદનસૌન્દર્ય વિરચે,
સ્મરૂં, વંદુ, સેવું પ્રભુ પ્રકટ તે सत्प्रणयને.