અખેગીતા/કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય

← કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા અખેગીતા
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય
અખો
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ →


કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનના
દુર્ભાગ્યનું વર્ણન

રાગ ધન્યાશ્રી

સંત સંગ કીજે વળી વળી જનજી, અનુભવ વાધેઆધો દનદનજી[૧];
માયા ઉપરથી ઉતરે મનજી, હરિશું ટળશે ભિન્નાભિન્નજી[૨]

પૂર્વછાયા

ભિન્ન ટળે વસ્તુ મળે, મોટો મહિમા હરિજનનો;
ચૈતન્યસાગરમાંહે ભેળે, અધ્યાસ[૩] ટળે એ તનનો. ૧

શિભે જીવિતવ્ય[૪] સંતજનકેરૂં, ભવમાંહે તે અત્ય[૫];
સુખદાય્ક તેહને હોય સહુકો, જેહને સંત સાથે રત્ય[૬]

આપસરીખો કરી ભૂકે, એહવી સંતની પ્રીત,
જેમ વહેરો[૭] ન કરે વરસતાં, એવી છે ઘનની[૮] રીત. ૩

સિંચે સરખા સહુજને, તેણે ફળે ભાર[૯] અઢાર;
હરિ હરિ તે કરી મૂકે, એહવી સંત-સંગત સાર. ૪

સુકે જવાસો તેણી રતે[૧૦], તો મેઘનો શો વાંક;
પરજન્ય પાયે ઘણું, પણ પી ન શકે એ ટાંક[૧૧]. ૫

તેમ અસંત સંત-સંગત કરે, પણ લાગે નહિ તેહને સંગ;

મેળ[૧૨] ન દે એ માયા મધ્યથી, જેમ જેમ થાએ ભંગ[૧૩]. ૬

જેમ તેલ કુસુમેકરી[૧૪] વાસિયે [૧૫], તેણે સઘળે તે લાગે વાસ;
તે મધ્ય આવે કાંકરી, તેને ન આવે આભાસ. ૭

જેમ સલિલ[૧૬]-મધ્યે શિલા રહે, પણ અંતર ન ટળે આગ્ય[૧૭];
તો નીર તેહને શું કરે, જો ભેદવા નહીં જાગ્ય[૧૮]

જેમ ચંદનને ગંધે કરી, થાએ ચંદન આક[૧૯] પલાશ[૨૦];
પણ ગાંઠ હોયે રુદે વાંસને, તેહને લાગે નહિ વાસ. ૯

કહે અખો હરિ-રુપા હોએ, તો સમું પડે તે જંતને;
દોષ-દરશન નવ હોએ, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. દિવસે દિવસે.
  2. જુદાપણું.
  3. ભ્રાંતિ.
  4. જીવન.
  5. અતિ
  6. પ્રીતિ.
  7. ભેદ
  8. વરસાદની
  9. છ મણ છત્રીસ શેર ને ૨૬ ૨/૫ રૂપીયાભાર.
  10. ઋતુમાં
  11. પૈસાભાર.
  12. એકરૂપ થવું.
  13. ભેદ.
  14. ફૂલવડે
  15. ગંધ બેસાડીએ
  16. પાણીમાં
  17. અગ્નિ
  18. જગ્યા
  19. આકડો
  20. ખાખરો