ચર્ચા:ભગવદ ગીતા ૬

છેલ્લી ટીપ્પણી: Import વિષય પર Aleator વડે ૭ વર્ષ પહેલાં

Import ફેરફાર કરો

Copied from original page mul:Talk:ભગવદ ગીતા ૬ (delete if not necessary):

શ્રી. વ્યોમજી. (પાનાના એકમાત્ર રચેતા) આપે આ લેખમાં ચઢાવેલું સાહિત્ય એ અન્ય રચેતાની સમશ્લોકી કૃતિ છે જે કૉપીરાઈટ ગણાય. આપણે અહીં તે સમશ્લોકી અનુવાદ ન ચઢાવી શકીએ. શ્લોક પણ સંસ્કૃતમાં છે જેનું ગુજરાતી લિપ્યાંતર કરી અને લખવાના રહે તથા તેનો ગુજરાતી ભાવાર્થ (જો કરવો હોય તો, અન્યથા માત્ર ગુજરાતી લિપિમાં શ્લોક પણ ચાલે) માત્ર લખવાનો રહે. આ સૌ મિત્રોની જાણ માટે. તો આ સમશ્લોકી ભાષાંતર અહીંથી હટાવવા હું વિનંતી કરું છું. કૉપીરાઈટ લખાનની મૂળ લિંક : http://www.swargarohan.org/bhagavad-gita/chapter06/01.htm

આભાર. --અશોક મોઢવાડીયા (talk) 15:08, 12 March 2012 (UTC)

yeah I have taken it from the same site. I didn't knew about this I think it would be better to remove this for right now until we find the right version. By the way what is the meaning of samsloki?--Vyom25 (talk) 09:35, 13 March 2012 (UTC)
સૌ પ્રથમ તો આભાર. સમશ્લોકીનો અર્થ ભગોમં પર: એકસરખા શ્લોકવાળું; મૂળ શ્લોક પ્રમાણે શ્લોકવાળું (ભાષાંતર); સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાના તે તે શ્લોકનો તેના તે છંદમાં અનુવાદ વગેરે થાય. આ પ્રમાણે પદ્ય રચના કરવી એ વિદ્યતા અને મહેનતનું કામ છે. ઉપરોક્ત વેબ પર કૉપીરાઈટ સૂચના પણ છે તેથી આપણે તે અહીં ન ચઢાવી શકીએ. "ભગોમંની કડી"
એકદમ સાચી વાત છે અશોકભાઈ. સમશ્લોકીને તો અહીં ના જ ચઢાવી શકીએ. ફક્ત એટલું જ નહી, જ્યારે આપણે ભગવદ્ ગીતા કે એવા અન્ય સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર, જેમકે રામાયણ-મહાભારત પણ અહિં ટાઈપ કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખવું ઘટે કે જે તે ભાષાંતર પ્રકાશનાધિકારથી સુરક્ષિત નથી. સંસ્કૃત મૂળ શ્લોકો પર કોઈનો પ્રકાશનાધિકાર ના હોઈ શકે, પણ ભાષાંતર કર્તાનો તો અવશ્ય હોય, અને આપણે તેને માન આપવું જ ઘટે.--Dsvyas (talk) 22:35, 15 March 2012 (UTC)
આભાર ધવલભાઈ, આપણે રહ્યા જૂના જોગીઓ ! કોઈ મિત્ર અણજાણતાથી નાની એવી ક્ષતિ કરે તો યોગ્ય માર્ગદર્શન કરવું એ પણ આપણી ફરજ ખરીને ? આમે આ કૉપિરાઈટ પ્રશ્ને આપણે સૌ વિકિમિત્રો એકબીજાને જરૂરી માહિતીઓ આપતા રહીએ તો વેબ જગતમાં ઓછામાં ઓછું આપણે સૌ વિકિમિત્રો તો કંઈક અલગ પ્રતિભા ધરાવતા બનીયે જ ! આપનાં સૂચનો અને માર્ગદર્શન મળતું રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર. --અશોક મોઢવાડીયા (talk) 07:12, 16 March 2012 (UTC)

-Aleator (ચર્ચા) ૨૩:૦૦, ૩ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

Return to "ભગવદ ગીતા ૬" page.