← ઢાળ ૭મી દીનાનાથની ઢાળો
ઢાળ ૮મી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૯મી →


ઢાળ આઠમી

સદ્ગુરુ શરણ વિના , અજ્ઞાન તિમિર ટળશે નહીં રે;
જન્મ મરણ દેનારૂં, બીજ ખરૂં બળશે નહીં રે. એ ટેક.

પ્રેમ વચનામૃત પાન વિના, સાચા ખોટાના ભાન વિના;
ગાંઠ હ્રદયની જ્ઞાન વિના, ગળશે નહીં રે. સદ્૦

શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તનમન ઇન્દ્રિય તત્પર તારે;
વગર વિચારે વળમાં, સુખ મળશે નહીં રે. સદ્૦

તત્ત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં;
સેવક સુત સારામાં, દિન વળશે નહીં રે. સદ્૦

કેશવ હરિની કરતાં સેવા, પરમનંદ બતાવે તેવા;
શોધ વિના સજ્જન એવા, મળશે નહીં રે. સદ્૦