ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર(સ્વામી વિવેકાનંદ)

ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
આપણા મતભેદનું કારણ(સ્વામી વિવેકાનંદ) →
from hindi wikisource




ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર

(સ્વામી વિવેકાનંદ)

ધર્મ મહાસભા: સ્વાગત ભાષણ નો પ્રત્યુતર (સ્વામી વિવેકાનંદ)

અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ,

આપે જે સૌહાર્દ અને સ્નેહ સાથે અમારૂં સ્વાગત કર્યું છે, તે પ્રતિ આભાર પ્રગટ કરવા માટે ઉભા થતી વખતે મારું હૃદય અવર્ણનીય હર્ષ અનુભવે છે. સંસાર માં સંન્યાસિ ઓ ની બધાથી પ્રાચીન પરંપરા તરફથી હું આપને ધન્યવાદ આપું છું; ધર્મોં ની માતા તરફથી ધન્યવાદ આપું છું, અને બધા સંપ્રદાયોં તેમજ મતો ના કોટિ કોટિ હિન્દુઓ તરફથી પણ ધન્યવાદ આપું છું.

હું આ મંચ પર થી બોલવાવાળા એ વિદ્ધાન વક્તાઓ પ્રતિ પણ ધન્યવાદ અર્પીત કરૂં છું, જેમણે પ્રાચી ના પ્રતિનિધિયો નો ઉલ્લેખ કરતી વખતે આપને એ જણાવ્યું છે કે સુદૂર દેશો ના આ લોકો સહિષ્ણુતા નો ભાવ વિવિધ દેશો માં પ્રચારિત કરવાના ગૌરવ નો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મ નો અનુયાયી હોવાનો ગર્વ અનુભવ કરું છું, જેણે સંસાર ને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ, બન્નેનું શિક્ષણ આપ્યું છે. અમે લોકો બધા ધર્મોં પ્રતિ કેવળ સહિષ્ણુતા માંજ વિશ્વાસ નથી કરતા, પરંતુ સઘળા ધર્મો ને સાચા માની સ્વીકાર કરીએ છીએ. મને એવા દેશ ના વ્યક્તિ હોવાનું અભિમાન છે, જેણે આ પૃથ્વી ના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડીતો અને શરણાર્થિઓ ને આશ્રય આપ્યો છે. મને આપને એ કહેતા ગર્વ થાય છે કે અમે અમારા અંતરમાં યહૂદિયો ના વિશુદ્ધતમ અવશિષ્ટ ને સ્થાન આપ્યું હતું, જેમણે દક્ષિણ ભારતમાં આવી તે જ વર્ષે શરણ લીધું,જે વર્ષે તેમના પવિત્ર મંદિર રોમન જાતિ ના અત્યાચાર થી ધૂળ માં મેળવી દેવાયું હતું. આવા ધર્મ નો અનુયાયી હોવામાં હું ગર્વ નો અનુભવ કરું છું, જેણે મહાન જરથુષ્ટ્ર જાતિ ના અવશિષ્ટ અંશ ને શરણ આપ્યું અને જેનું પાલન તે હજુ સુધી કરે છે. ભાઈઓ, હું આપ લોકો ને એક સ્તોત્ર ની થોડી પંક્તિઓ સંભળાવવા માગું છું, જેનું પઠન હું બાળપણથી કરૂં છું અને જેનું પઠન પ્રતિદિન લાખો મનુષ્ય કરે છે:

રુચિનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપથજુષામ્ |
નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ||

- ' જેમ વિભિન્ન નદિઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાંથી નિકળી સમુદ્ર માં મળી જાય છે, તેજ રીતે હે પ્રભો! ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિભિન્ન આડા અવળા અથવા સીધા રસ્તે જાવાવાળા લોકો અંતે તો તારામાં જ આવીને મળી જાય છે.'

આ સભા, જે અત્યાર સુધીમાં આયોજિત સર્વશ્રેષ્ઠ પવિત્ર સમ્મેલનો માંની એક છે, સ્વયં જ ગીતા ના આ અદ્ભુત ઉપદેશ નું પ્રતિપાદન અને જગત પ્રતિ તેની ઘોષણા છે:

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||

- ' જે કોઈ મારી તરફ આવે છે - ભલે કોઇ પણ પ્રકારે હો - હું તેમને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરતા કરતા અન્ત માં મારી તરફજ આવે છે.'

સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેની બીભત્સ વંશધર ધર્માધંતા આ સુંદર પૃથ્વી ઉપર બહુ સમય સુધી રાજ્ય કરી ચુકી છે. તે પૃથ્વી ને હિંસા થી ભરતી રહી છે, તેને વારંવાર માનવતા ના રક્ત થી નવડાવતી રહી છે, સભ્યતાઓ ને નષ્ટ કરતી અને પૂરે પૂરા દેશો ને નિરાશા ની ખાઇ માં નાખતી રહી છે. જો આ બીભત્સ દાનવી ન હોત, તો માનવ સમાજ આજ ની અવસ્થા થી ક્યાંય વધારે ઉન્નત થઇ ગયેલ હોત. પણ હવે તેનો સમય આવી ગયો છે, અને હું આંતરિક રૂપથી આશા કરૂં છું કે આજ સવારે આ સભાના સન્માન માં જે ઘંટનાદ થયો છે, તે સમસ્ત ધર્માધંતાનો, તલવાર કે કલમ દ્વારા થનાર બધાં ઉત્પીડનો નો, તથા એક જ લક્ષ્યની તરફ અગ્રેસર થવાવાળા માનવો ની પારસ્પારિક કડવાહટ નો મૃત્યુનાદ સિદ્ધ થાય.

વિશ્વ ધર્મસભા શિકાગો-૧૧ સપ્ટે.૧૮૯૩

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ