← પ્રકરણ ૧૧ પિતામહ
પ્રકરણ ૧૨
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૩ →






૧૨
 

સત્યવતીની નિયોગની દરખાસ્ત સાંભળતાં બન્ને પુત્રવધૂઓ ખિજાઈ પડી. સત્યવતી પોતે જ તેના દીકરાની વિધવા પત્નીઓને અધર્મના માર્ગે દોરી રહી હતી. પરપુરુષગમન સામે તેમનો વિરોધ પણ સખ્ત હતો.

‘ના, ના, હજાર વાર ના. ભલે અમે નિઃસંતાન હોઈએ. ખોળા ન ખૂંદનારની ખોટ અમને જીવનભર દુઃખી કરશે. અમે એ દુઃખ બરદાસ કરશું, પણ નિયોગ દ્વારા ખોળામાંના ખૂંદનારને પ્રાપ્ત કરવાની અમારી ઈચ્છા નથી.’ ને ઘૃણાસ્પદ સ્વરે પૂછી રહી, ‘સાસુમા, તમે જાતે થઈને તમારી પુત્રવધૂઓ ને અધર્મના પાપના માર્ગે દોરવા કેમ તૈયાર થયા છો?’

સત્યવતી આવી વિષમ પરિસ્થિતિ પેદા થવાની શક્યતા વિષે શંકાશીલ હતી જ એટલે પુત્રવધૂઓનાં રોષભર્યાં વેણ સામે તે હિમશી શાંત હતી. ક્યારેક પુત્રવધૂની દલીલ સામે મુસ્કાન પણ કરતી હતી.

‘હવે તમે મને સાંભળશો ?’ બન્ને પુત્રવધૂઓ ઘણું ઘણું બોલી ગઈ હતી. સત્યવતીએ શાંતિથી, પૂરી ખામોશીથી તેમને સાંભળી હતી. જ્યારે તેઓ શાંત થયા ત્યારે સત્યવતીએ પ્રશ્ન કર્યો :

‘શું સંભળાવો છો તમે ? નિયોગની વાત પડતી મૂકી દો મા.’ અંબિકા પૂછી રહી.

‘તમે જો શાંતિથી સાંભળવા હવે તૈયાર હો તો કહું !’ સત્યવતીએ જવાબ દીધો, ‘મારી વાત સાંભળો પછી તમે મારા નિર્ણયનો સ્વીકાર કરવા તૈયાર થશો.’ તેણે પોતાની આશા વ્યક્ત કરી.

‘કહો તો ખરા, પછી નિર્ણયની વાત છે ને મા ?’

‘હા, મારે પણ નિયોગના માર્ગે તમારા ખોળા ભરાય તે જોવાની તાતી જરૂર પાછળ ચોક્કસ કારણો છે. હું તમને પાપના માર્ગે અધર્મના માર્ગે દોરી જવા માગતી નથી. મારો માર્ગ કર્તવ્યનો છે. ફરજને અદા કરવા માટે જે કરવું પડે તે કરવાનો છે.’ સત્યવતી જુસ્સાપૂર્વક બોલતી હતી. તેણે કહ્યું, ‘મેં દુર્ભાગીએ મારા બન્ને પુત્રો ગુમાવ્યા. મહારાજા શાન્તનુના દીકરા ભીષ્મ તેની પ્રતિજ્ઞાને દૃઢતાપૂર્વક વળગી રહે છે. પરિણામે કુરુવંશનો અહીં જ અંત આવે છે.’ બોલતાં બોલતાં સત્યવતીની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. સત્યવતીની આંખમાંથી વહેતાં થયેલાં અશ્રુપ્રવાહે પુત્રવધૂઓના દિલમાં હમદર્દી થઈ. તેઓ પણ અસ્વસ્થ બની રહી.

ભીની આંખ સાફ કરતાં સત્યવતીએ તેનું કથન આગળ ચલાવ્યું. તેણે કહ્યુ, ‘માત્ર કુરુવંશના અંતનો જ પ્રશ્ન હોત તો હું મારા દુર્ભાગ્યને દોષ દઈ સદ્‌ગત સ્વામીની ક્ષમા માંગીને જીવતી રહેત. તેના કરતાં પણ વધુ ગંભીર પ્રશ્ન હસ્તિનાપુરની પ્રજાનો છે. બન્ને પુત્ર ગાદી પર હતા ત્યારે હસ્તિનાપુરની પ્રજા નિરાધાર ન હતી. ગાદીપતિ તેમના રક્ષણ માટે જવાબદાર હતો, પણ હવે તો ગાદી જ સૂની પડી છે. ગાદી પોતે પણ કોઈના સહવાસની પ્રતિક્ષા કરે છે.’ ફરી તેની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. વ્યથાપૂર્ણ હળવા હિબકાં પણ ભરી રહી ને ગદ્‌ગદ સ્વરે બોલી, ‘મારે હસ્તિનાપુરની ગાદીનો વારસ જોઈએ છે. આ વારસ તમારે જ દેવાનો છે, બહારથી શોધવાનો નથી.’

સત્યવતી ઘણું બોલી ગઈ. દિલની વ્યથા પણ તેણે ઠાલવી. છેલ્લે તેનો નિર્ણય પણ સ્પષ્ટપણે જણાવી દીધો ને શાંત ગંભીરપણે પુત્રવધૂઓ પ્રતિ મીટ માંડી રહી હતી.

ગંભીર શાંતિ છવાઈ રહી હતી. સત્યવતી પૂર્ણ સ્વસ્થતાથી શાંતિ ધારણ કરી, પુત્રવધૂનું મન જાણવા પ્રયત્ન કરતી હતી. ‘તમારો ખોળો ભરાશે, તમે રાજમાતા બનશો. કુરુવંશને જીવતદાન દેનાર દાતા પણ હશો. કહો, તમને મારી વાતનો મર્મ સમજાય છે ?’

બંને પુત્રવધૂનાં દિલ પણ હલબલી ઊઠ્યાં હતાં.

‘આ પાપનો માર્ગ નથી, આ વ્યભિચાર તથી, પણ આપદ્‌ધર્મ છે. કુળ અને રાજ્યની રક્ષા માટેનું આ બલિદાન છે. એક રીતે એ પુણ્ય કામ પણ કરી શકાય.’ સત્યવતીએ ગંભીર ચિંતનમાં પડેલી પુત્રવધૂઓને છેલ્લી વાત સંભળાવી, ‘તમે ના ભણશો તો એક દિવસ આપણને સૌને અહીંથી કોઈ બીજી હકૂમત હાંકી કાઢશે એ પણ નિશ્ચિત છે. સૂના તખ્ત પર આસન જમાવવા કોણ તૈયાર ન થાય ?’ સત્યવતી કામયાબ બની. પુત્રવધૂઓ તેની દરખાસ્ત સાથે સહમત થઈ. બંને પુત્રવધૂની નજર હવે ભીષ્મ પ્રતિ હતી. અંબિકા અને અંબાલિકા ભીષ્મ જેવા પ્રતાપી પુરુષના સહવાસ માટે ઝંખતી હતી. પણ જ્યારે રાત્રિની નિંદામાં પોઢેલાં અંબિકાના શયનકક્ષમાં વેદવ્યાસે પ્રવેશ કર્યો ત્યારે તેને જોતાં જ અંબિકા ગભરાઈ ગઈ.

અંબિકાના શયનકક્ષ સુધી વ્યાસને મૂકવા સત્યવતી જાતે આવી હતી. શયનકક્ષમાં વ્યાસ પ્રવેશ કરે તે પહેલાં સત્યવતીએ તેને સલાહ આપતાં જણાવ્યું હતું કે, ‘અત્યારે વહુ નિંદ્રાધીન હશે. તેને પ્રેમસંવાદથી જગાડજે, તેની સાથે પ્રણયગોષ્ટિ કરજે, તેને પ્રસન્ન કરજે, તેની લાગણીઓને પંપાળજે. પોતાને ખોળામાં ખૂંદનારો પ્રાપ્ત થવાનો છે તેનો આનંદ પણ તેના શુષ્ક, નિરસ, ઉદાસીન ચહેરા પર પથરાઈ જવો જોઈએ.’

માતાની શિખામણનો અમલ કરતાં પોતાની હાજરીથી ગભરાઈ ગયેલી અંબિકાને પ્રેમભીના શબ્દોથી રીઝવવા તેણે પ્રારંભ કર્યો. તેણે માતાએ શીખવેલાં પ્રણય શબ્દોનો ધોધ વહાવ્યો, પણ અંબિકાના દિલમાં કોઈ ઉન્માદ જાગ્યો જ નહિ, ચિત્તશૂન્ય બની તે એકદમ કેટલીય ક્ષણો કાળા ડિબાંગ વાદળો જેવા કાળા દેહવાળા ભય પમાડે તેવા બેડોળ ચહેરાવાળા વ્યાસ સામે જોઈ રહી. ‘મને માતાએ નિયોગ માટે મોકલ્યો છે, પ્રિયે!’ વ્યાસે હળવેથી અંબિકાની પડખે આસન જમાવતાં તેના ખભા પર પોતાનો વજનદાર હાથ મૂકતાં કહ્યું. તેની લાગણીઓને ઉત્તેજતા પ્રારંભ કરતાં કહ્યું, ‘હું મહાપંડિત છું. વેદોનો મેં અભ્યાસ કર્યો છે. લોકો મારો ભારે આદર-સત્કાર કરે છે.’

આટલી પોતાની પિછાન દીધા છતાં અંબિકા તેને કોઈ પ્રતિભાવ દેતી ન હતી.

‘જરા મારી સામે તો જુઓ પ્રિયે ?’ એમ બોલતાં બીજી દિશા તરફ મોં કરીને બેઠેલી અંબિકાની ચિબુક પકડી તેના મોંને પોતાની નજર સમક્ષ લાવતાં અંબિકાએ બે હાથે પોતાનું મોં ઢાંકી દીધું.

વેદવ્યાસને પ્રેમના કોઈ પાઠ મળ્યા જ ન હતા. નારી સહવાસની કલ્પના પણ કરી શકતા ન હતા, એટલે સત્યવતીએ પઢાવેલો પાઠ ભણતાં મુશ્કેલી પણ પડતી હતી. પોતે કેટલું બધું બોલ્યો ? અંબિકાને પ્રસન્ન કરવા તેણે કેટલો પ્રયત્ન કર્યો ? પણ અંબિકાના હૈયામાં કોઈ ઊમળકો ઊઠતો જ ન હતો, એથી વેદવ્યાસ પણ મૂંઝાતા હતા.

‘ત્યારે હું વિદાય થાઉં એમ જ ને?’ આખરે પોતાની સામેથી નજર ફેરવી બેઠેલી અંબિકાને વ્યાસે પૂછ્યું ને ઉમેર્યું ‘પછી માનો ઠપકો મારે સહન કરવો પડે નહિ.’

અંબિકા પણ હળવે હળવે મનને શાંત કરવા પ્રયત્ન કરતી હતી. તેણે પૂછ્યું, ‘માએ તમને મોકલ્યા છે અહીં ?’

‘હા. માની આજ્ઞાનું પાલન કરવા માટે તો હું તપ, ધર્મ, ધ્યાન, યજ્ઞ ને વેદોનો અભ્યાસ છોડી અહીં આવ્યો છું.’ વેદવ્યાસે સ્પષ્ટતા કરતાં કહ્યુ, ‘મને પણ અધર્મ આચરવો ગમતો નથી, પણ આ તો આપદ્ ધર્મ છે. માની આજ્ઞાનું પાલન કરવાનો મારો નિશ્ચય છે.’

‘પણ અમે તો ભીષ્મને ઈચ્છતા હતા.’ અંબિકાએ કહ્યું.

‘મને તેની જાણ નથી, પણ મને તેડવા માએ મોકલ્યો. ભીષ્મ જ આવ્યો હતો. વ્યાસે સ્પષ્ટતા કરતાં કહ્યું ને પછી ઉમેર્યું, ‘કદાચ ભીષ્મે ના પાડી હશે. વેદવ્યાસ જેવા તપસ્વી પ્રતિભાવના પુરુષના જેવા મહાપ્રતાપી દીકરા મેળવવા માએ મને બોલાવ્યો હશે.’

ફરી પૂછ્યું, ‘કહો તમારી શી ઇચ્છા છે ?’ જ્યારથી સત્યવતીએ તેના મનમાં આશાની જ્યોત પ્રગટાવી છે ત્યારથી તે પણ ખોળાના ખૂંદનારની પ્રતિક્ષા કરતી હતી. તેને પણ રાજમાતા બનવાની ખ્વાહિશ પણ હતી.

સત્યવતીનો રાજમાતા તરીકેનો પ્રભાવ તેની નજર સમક્ષ હતો. રાજમહેલમાંતા જાણે રાજમાતાનું સામ્રાજ્ય હતું. હવે તે પણ સ્વપ્ના સેવતી હતી. પોતાનો દીકરો હસ્તિનાપુરની ગાદી પર હોય પોતે રાજમાતા તરીકે મહેલમાં પ્રભાવ પાથરી શકે.

દિવસો થયા તે રાજમાતાના સ્વપ્નામાં રાચતી હતી. એ સ્વપ્નાં સાકાર બનાવવા વેદવ્યાસનો સહવાસ માણવા તત્પર થઈ. તેણે મનમાં ભીષ્મ વિષે ક્રોધ પણ કર્યો. ભારે હઠીલો છે, જેઠજી ! પોતાના કુળનો વંશ રાખવાને ગાદીને સલામત બનાવવા ભાભીઓ સાથે નિયોગ કરવાની ના પાડતાં તેમને જરા પણ વિચાર નહીં આવ્યો હોય ? માતાને એમના હઠાગ્રહને કારણે આવા કાળા ડિબાંગ જેવાને બોલાવવો પડ્યો હશે ને?’

આખરે અંબિકા તૈયાર થઈ. તેણે બધા સમય આંખો બંધ રાખી કાળા ડિબાંગ સામે દૃષ્ટિપાત કરવાની પણ તેની ઇચ્છા ન હતી. નિયેાગ એ તેને માટે માત્ર આપદ્ ધર્મ હતો. તેમાં તેની કાંઈ ઇચ્છા કે ઉત્સાહ પણ નહોતો.

સવારે વ્યાસે અંબિકાના શયનકક્ષમાંથી બહાર ડગ દીધા ત્યારે કેટલીય આંખો તેના પ્રતિ મંડાઈ હતી. અંબિકાની દાસી પણ કાળાડિબાંગ જેવા વ્યાસ સામે ભક્તિભાવ ભરી નજર માંડી રહી હતી. પોતાને પણ આવા પુણ્યશાળી પુરુષ જેવો પ્રતાપી દીકરો હોય તો ? મનનો આવેગ વધી પડ્યો. વ્યાસ સમક્ષ પહોંચી જવા તે ઉતાવળી થઈ. આગળ ડગ દેતાં વ્યાસનાં ચરણામાં પડીને તેને ઈજન દઈ રહી.

‘મારે ત્યાં પણ એક રાત્રિ મહેમાન બનો તો ?’ એ કરુણાભર્યા શબ્દોમાં કાલાવાલા કરવા લાગી, હું અભાગણી એક એવા મહાજ્ઞાની પ્રતાપી દીકરાની ઝંખના કરું છું. લજાના ભારે ઝૂકી ગયેલી ગરદન ઊંચી કરતાં ધ્રૂજતા સ્વરે બોલી, ‘ક્ષમા કરશો, શાપ દેતાં નહિ. મારી માંગણીનો સ્વીકાર થશે ખરો ?’

વેદવ્યાસ માતા સત્યવતી સમક્ષ ઉપસ્થિત થવા ઉતાવળા હતા. તેમણે દાસીના જવાબમાં સ્મિત વેરતાં કહ્યું : ‘માતાની મંજૂરી હશે તો જરૂર આવીશ.’

દાસીના દિલમાં વિશ્વાસની ઝલક આવી. સત્યવતીની મંજૂરી મેળવવા પોતે પણ માતાને ખુશ કરશે જ તેવો તેનો આશાવાદ નિરર્થક તો ન હતો. સત્યવતીની તે પ્રીતિપાત્ર દાસી હતી એટલે તેની માંગણી મંજૂર થવા વિષે કોઈ શંકા નહોતી.’

અંબિકા, અંબાલિકા અને દાસી સાથેના નિયોગ પછી વેદ-વ્યાસ પાછા ફરતાં સત્યવતી સમક્ષ ઉપસ્થિત થતાં કહ્યુ, ‘મા, આપની આજ્ઞાનો અમલ કર્યો. હવે પ્રાયશ્ચિત્ત કરવા જવાની રજા આપો.’

પ્રાયશ્ચિત્ત શબ્દે સત્યવતી હલબલી ઊઠી. વ્યથાપૂર્ણ સ્વરે બોલી, ‘પ્રાયશ્ચિત્ત? શાનું પ્રાયશ્ચિત્ત? આ મારા ભાઈઓની પત્ની છે એ તો તમે જાણો છે ને?’ ને ઉમેર્યું. ‘કુરુવંશ ખતમ થઈ જતા તમે અટકાવ્યો. હસ્તિનાપુરની ગાદી માટેના વારસના જન્મદાતા બની તમે ઉપકાર કર્યો છે. તેમાં પ્રાયશ્ચિત્તનો કોઈ પ્રશ્ન જ નથી.’

વેદવ્યાસ માતાની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયો ત્યારે તેના દિલમાં કંપ થતો હતો. અંબિકા અને અંબાલિકાના વ્યવહારે તે દાઝી ઊઠ્યો હતો. અંબિકાએ જેટલો સમય પાતે તેની સાથે રહ્યો તેટલો સમય આંખો બંધ રાખી હતી. ગમે તેમ પણ તેનેય માતા બનવાની ઇચ્છા ગમતી ન હોય એમ તેને લાગતું હતું.

અંબાલિકા તેને જોતાં ધ્રૂજી ઊઠી હતી. તેનાં અંગેઅંગ ધ્રૂજતાં હતાં. તેના મનમાં પણ વેદવ્યાસ વિષે કોઈ પ્રેમભાવ નહોતો. માત્ર માતાની ઇચ્છાનું જાણે પાલન કરતી હાય એમ કશો ઉત્સાહ વિના જાણે વર્ષોથી બીમાર હોય તેવો। વ્યવહાર રાખતી હતી.

જ્યારે દાસી તેના પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરતી હતી. તેના પૂજન કર્યાં હતાં. તેની સેવામાં ઉપસ્થિત હતી.

આમ ત્રણેના ભિન્ન ભિન્ન વ્યવહાર હતા. વેદવ્યાસ આવા ભિન્ન ભિન્ન વ્યવહારનું પરિણામ માતાને જણાવી તેના દિલમાં અત્યારથી જ ચિંતાની ચિનગારી સળગતી કરવા ઇચ્છતા ન હતા. એટલે તેણે નિયોગના ભાવિ પરિણામ વિષે મૂંગા રહેવાનું ઉચિત માન્યું, પરસ્ત્રી સાથેનો સંબંધ એ પાપકૃત્ય છે એમ તો તેઓ માનતા હતા. એટલે તેમણે પ્રાયશ્ચિત્ત કરવાનો પણ નિર્ણય કર્યો હતો. જેની સત્યવતીને જાણ કરી તે ભારે પગલે પાછા ફરવાની તૈયારી કરતા હતા.

સત્યવતીના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું : ‘મા, તપસ્વીના તપોભંગ કરવા દેવો સ્વર્ગની સુંદરીઓને ધરતી પર મોકલે છે. વિશ્વામિત્ર જેવા તપસ્વી લપસી પણ પડે છે. મારે માટે કોઈ સ્વર્ગની સુંદરી ન હતી. માતાની આજ્ઞા – પ્રથમ વાર અને હવે છેલ્લી વારની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું શક્ય ન હતું. એટલે તમારી આજ્ઞાને આપદ્‌ધર્મ માનીને વ્યવહારમાં મૂકી. પણ મા, મારું દિલ સાધુનું છે. મારું મન તપસ્વીનું છે. તેને માટે આ પિતામહે જી ૧૭૫ ક પાપના ખેાજ સમુ છે. મારે એ ખેાજ હળવા કરવા જ જોઈએ. એ ખેાજ તળે હું દટાઈ જવા માંગતા નથી. જેમ તમારી આજ્ઞાનું પાલન કરી તમને સંતાષ દીધા, તેમ હવે આ પાપના મેાજ હળવા કરવા મારે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈશે. એ વિના હું જીવી શકીશ નહિ. ' બે હાથ જોડી સત્યવતીને વંદન કરતાં ગંભીરતા ધારણ કરતાં બેધ્યેા, મા, મને પ્રાયશ્ચિત્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ એવી આશિષ આપે.' , સત્યવતી વેદવ્યાસ સમક્ષ ગંભીરતાપૂર્વક દષ્ટિ માંડી રહી. તેના મનમાં પણ રમખાણ જાગ્યુ હતું. પોતાની જાત પ્રત્યે મનેા- મન ફિટકાર વર્ષાવતી રહી, પોતે કેવી અભાગી છે ? તેણે પેાતાના સુખ ખાતર ભીષ્મના હક છીનવી લીધા.. આજીવન બ્રહ્મચારી બનાવી સંસારસુખથી વિમુખ કર્યાં. પણ ઈશ્વરને તે મંજૂર ન હોય તેમ મારા બબ્બે પુત્રા અકાળે અવસાન પામ્યા ને કુરુવંશનુ નિકંદન જવા બેઠું ત્યારે તને સલામત રાખવા પુત્રવધૂને નિયાગના ભાગ બનાવીને આ વેવ્યાસ મારા ત્યજી દીધેલા દીકરા જેની મેં કયારેય, કદી પણ ભાળસંભાળ લીધી નથી. તેના ધડ- તરમાં માતા તરીકે મારું કોઈ પ્રદાન પણ નથી. એણે તેની માતાને જોઈ પણ નથી, છતાં તેણે મારી વાત માની લીધી ને મારી ઇચ્છાનું પાલન કર્યું. હવે તેને પણ પ્રાયશ્ચિત્ત કરવાની વેળા આવી છે. વિચારના વમળમાં ઘૂમતી સત્યવતીના ક્રોધના આવેગ વધી પડતાં બે હાથે પાતાના ભાગ્ય પર જોરથી ઘા કરતાં ઉગ્રતાથી બબડી : તભાગની 1 મત્સ્યગંધામાંથી તું સત્યવતી બની. ઝૂ ંપડા- માંથી તુ મહેલમાં વભવ માણી રહી, પણ કેવા અધમ આચર્યા હે દુર્ભાગી ! એક તપસ્વીના તપેાભ ંગ માટે તું જ જવાબદાર છે। ને! આના કરતાં ઝૂંપડામાં રહી, ાઈ માછી યુવક સાથે લગ્ન કર્યાં. હાત તા આ બળાપા તા ન હેાત ને? ઉદાસીન વદને મૂંગા મૂંગા મનેાતાપમાં શેકાતી સત્યવતીને ૧૭૬ ૫૦ પિતામહુ ફ્રી વેદવ્યાસ કહી રહ્યા, ‘મા, આજ્ઞા આપે!. મારું તપ સફળ થાય. પ્રાયશ્ચિત્તના પવિત્ર જળથી હું દોષમુક્ત થાઉં. ’ આખરે સત્યવતીની રજા મળતાં વૈદવ્યાસ રાજમહેલમાંથી પેાતાની તપાભૂમિ પર પહોંચી પ્રાયશ્ચિત્ત કરવા વિદાય થયા.

અરે, શાના ગજબ થયા ? મૂએ આંધળા જન્મ્યા જ ન હેત તે!? આ વેડ હવે મારે કરવાની? ' પેાતાની કુખે જન્મેલા આંધળા દીકરા સામે જોઈ અંબિકા ચેાધાર આંસુ સારતી હતી. સત્યવતી પણ પારાવાર વેદના વેડતી હતી. હસ્તિનાપુરની ગાદી પર આ આંધળાના અભિષેક કેમ થઈ શકે?' તા અંબાલિકાના પુત્ર રાગિષ્ટ હતા. તેના દૂબળા દેડ સામે જોતાં સત્યવતી પણ વ્યથિત હતી, પણ એક વાતનેા સંતાષ હતા. હસ્તિનાપુરની ગાદી પર આંધળા નહિ, પણ આ ગટ્ટ દીકરા બિરાજશે ને બાકીની જવાબદારીએ તા ભીમ અદા કરે જ છે ને?' યથાસમયે રાજગાદી કેાને સુપ્રત કરવી એ પ્રશ્ન ઊભા થયા. ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે તા ધૃતરાષ્ટ માટે હેવાથી તેને જ રાજ્યાભિષેક થવા જોઈએ. પણ તે અંધ હતા ને રાજતા કારા- બારને સંભાળી શકે તેમ ન હતા એટલે જ્ઞાગિષ્ટ દેહવાળા પાંડુ પર સૌની નજર હતી. ભીષ્મ સત્યવતીને મંત્રીંગણુ અને દરબારીઓનુ મંતવ્ય રજૂ કરતાં પૂછી રહ્યા, ‘મા, તમે જે નિર્ણય કરી તેના અમલ થશે જ. ભલે મંત્રીગણને તે માન્ય ન હેાય. પણ મા, તમે રાજ્યના હિતને લક્ષમાં રાખજો.’ સત્યવતી પણ જાણતી હતી. ધૃતરાષ્ટ્ર મેટા હેાવાથી પ્રણા- લિકા પ્રમાણે રાજગાદીના તે હક્કદાર છે.. પણ જેને જેવા નજર પિતામહ

૧૭૭ નથી તે રાજ્યના વહીવટ કઈ રીતે ચલાવશે ? ૮ ભીષ્મ, તમારી દલીલમાં ઘણું તથ્ય છે એટલે હક્કદાર ભલે ધૃતરાષ્ટ હેાય, પણ તે અધ છે એટલે તેના રાજ્યાભિષેક થઈ શકે જ નહિ, 'તે પછી ઊંડાણુમાંથી નિસાસેા નાંખતાં કડી રહી : ‘ જેવાં તેનાં કર્યાં.’ હસ્તિનાપુરની ગાદી પર પાંડુના રાજ્યાભિષેક થયેા. ભીષ્મની રાહબરી હેઠળ પાંડુએ ઘણાં પરાક્રમેા કર્યાં. હસ્તિનાપુરની સત્તાના સીમાડા વધાર્યાં. હસ્તિનાપુરની રાજ્યની તિજોરીનાં તળિયાં દેખાતાં હતાં તે તિજોરી ધન, ઝવેરાતથી છલકાવી દીધી. પરાક્રમી પાંડુના લગ્ન પણ ભીમે જ ગાઠવ્યા. ભેાજરાજની રાજકુમારી તી સાથે તેના લગ્ન થયા. માદ્રી દેશની રાજકુમારી માદ્રીના લગ્ન પણ પાંડુ સાથે ગેાઠવ્યા. ઘણાં ઘણાં પરાક્રમેાથી હસ્તિનાપુરની તાકાત ને ગૌરવ પાંડુએ વધાર્યાં હતાં, પણ જુવાનીની તમામ શક્તિ વેડફી નાખી હતી. જન્મથી જ રાષ્ટિ પાંડુએ પરાક્રમેાની સફળતા ભલે પ્રાપ્ત કરી, પણ દેહનાં કૌવત-શક્તિ ગુમાવી બેઠા ુતા. હવે તે દરબારમાં પણ જઈ શકતા ન હતા. ભીષ્મ પાંડુની શારીરિક ખેહાલી વિષે સવિશેષ ચિ ંતાતુર હતા. તેની તબિયત સુધારવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. ભીષ્મની ઉદા- સીનતા વધી પડતી હતી. તેની સારવારમાં રહેલા વૈદે કુ તી અને માદ્રીને તાકીદ કરી હતી, ‘ સેળ શણગાર સજી તમે કાઈમહારાજ પાસે જશે! નહિ. તેઓ ઉત્તેજિત થાય તેવી કોઈપણ પ્રક્રિયા કરશે! નહિ. ' ને પછી ગ ંભીરતાપૂર્વક જણાવ્યું હતું, · તેઓ ઉત્તેજિત થશે. તા કદાચ જોખમ થશે. ’

ભીષ્મ, સત્યવતી પણ વૈદની સૂચના પછી વધુ ગંભીર બની ગયા હતા. સત્યવતી બધા જ વખત તેની જાતને જ દોષિત કરા વતી હતી. ભીષ્મે તેને સમજાવતા, હૈયાધારણ દેતેા કહેતા, ' તા, " ૧૭૮ ( પિતામહુ મા, ના ! તમે અકારણ વિલાપ સાહસેા કર્યાં છે ? તેણે પિતાજીના વધારી દીધી ? હસ્તિનાપુરની તાકાત કરેા છે. પાંડુએ કેવા પ્રચંડ રાજ્યની સીમા કેટલી બધી પણ કેટલી મેાટી બની રહી છે, મા.’ પછી પૂછતા, પછી ભાઈ, પાંડુને સંપૂર્ણ આરામની જરૂર પણ પડે જ ને?” 6 k જાણું છું. ભીષ્મ, બધું જ જાણું &*!' દુઃખભર્યાં સ્વરે સત્યવતી બાલતી હતી, ' પણ મારુ દુર્ભાગ્ય તા જુએ ભીષ્મ, તમારા હક્ક પર મેં તરાપ દીધી તેનું કેવું પરિણામ હું ભાગવી રહી છું ?' તની આંખામાંથી અશ્રુધારા વહેતી થઈ. ગદ્ગદ કંઠે ખેાલી, પાંડુને કાંઈ થય઼ તા ?’

તેણે મેટાં ડૂસકાં પણ દેવા માંડવ્યાં. ભીષ્મ પણ ખિન્ન બની ગયા. વૈદની સૂચના પછી ભીષ્મના મનમાં પણ ભીતિ હતી, · કદાચ પાંડુ ઢળી પડશે તે ? i વૈદની સલાહના મમ તેમણે તારવ્યેા. તેમણે વ્યથાભરી સત્ય- .તી સમક્ષ વાત મૂકી, ‘મા, તમે જો રન આપે! તે પાંડુને હમાલયની ગાદમાં, ઋષિઓના આશ્રમના સાંનિધ્યમાં થડા સમય આરામ કરવા મેકલીએ.’ ભીષ્મની વાત સત્યવતીને તરત જ જયી ગઈ. તેણે જાણવા માંગ્યું, ' પછી રાજગાદીનું શું?' હું એ . માટે વ્યવસ્થા થઈ શકે તેમ છે.' એમ ખેાલતાં ભીમે સૂચવ્યું, ć વિદુરજી, પાંડુની ગેરહાજરીમાં વહીવટ સ ંભાળે, રાજગાદી પર તેા પાંડુ છે જ. તેની ગેરહાજરીમાં વિદુરજી ભલે વહીવટ સંભાળે. જરૂર હશે તેા પાંડુની અનુમતી પણ લેવા ક્રાઈકને દોડાવી શકાશે.’ સત્યવતી પણ ભીષ્મની દરખાસ્ત સાથે સંપૂર્ણ પણે સહમત થઈ. પાંડુ પણ હવે રાજવહીવટથી થાકી ગયા હતા. ખીમાર હાવા છતાં પણુ રાજ કાઈ ને કાઈ પ્રશ્ન વિષે ચર્ચા કરવા માટે ૧૭૯ પિતામહ મ ંત્રી દેાડતાં આવતાં હતાં. પાંડુ વધુ શ્રમિત થતા હતા. તે પણ હવે સંપૂર્ણ પણે કારેગ થવા ઇચ્છતા હતા. તેણે ભીષ્મ સમક્ષ વાત મૂકી,

  • મને હવે અહીંથી જવા દેદ્ય, પિતામહ !' પાંડુએ ભીષ્મને પિતામહનુ

સબેાધન કયુ· ને પછી ભીષ્મને પિતામહના નામે જ બધા આળ- ખતા થયા. પિતામહ પાંડુની વાત સાથે સહમત થયા. તેમને પણ ભય હતા. રાજિંદા વહીવટી પ્રશ્નાનાં કારણે કદાચ પાંડુની તબિ- યત વધુ બગડશે એટલે જેમ બને તેમ જલદીથી પાંડુ ાઈ શાંત, એકાંત સ્થાને પહોંચી જાય. ત્યાં સૌંપૂણૅ આરામ કરે તે જરૂરી હતું. હિમાલયની તળેટીમાં ઋષિમુનિઓના સાંનિધ્યમાં જ તેને માટેની ગાઠવણુ કરી. પાંડુ, કુંતી બને માદ્રી હિમાલયની ગેાદમાં ઋષિમુનિઓની તપાભૂમિમાં વસવાટ કરવા પહોંચી ગયાં. પાંડુની ગેરહાજરીમાં રાજ્ય કારાબાર સંભાળવા ભીષ્મે વિદુરને જણાવ્યું પણ વિદુરે ના ભણી. મને આવા કામમાં રસ નથી. હું તે! તમે કહા તે કરુ છુ. કારોબાર વિષેની મને કાઈ સમજ પણ નથી. ’ વિદુરની ના પછી હવે ધૃતરાષ્ટ્રે પર જ ભીષ્મની નજર હતી. ધૃતરાષ્ટ્રે જો અધ ન હેાત તા ગાદી તેને જ પ્રાપ્ત થઈ હોત. પાંડુની ગેરહાજરીમાં રાજકારાબાર કેાઈકે તા સભાળવા જ જોઈએ. તા હવે તમે તૈયાર થાવ, ભીષ્મ !' સત્યવતી ભીષ્મને કહી રહી, પાંડુ સ્વસ્થ થઈને પાછા ફરે નહિ ત્યાં સુધી તમે ગાદી પર બેસે!.' પછી હળવેથી સ્મિત રેલાવતાં ખેાલી, ‘ આખરે ગાદીના સાચા અધિકારી તા તમે જ છે ને ? તા થાડા સમય તમે સંભાળા. ’ 6 ‘તા, મા, એવી કાઈ વાત કરશે નહિ. ' ભીષ્મ માલ્યા. વધુમાં સ્પષ્ટપણે જણાવી દીધું, જેને ત્યાગ કર્યાં તેની સામે દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા નથી. મને ક્ષમા કરી, મા! - તા હવે ધૃતરાષ્ટ્ર જ બાકી રહ્યો ને?' સત્યવતી સચિંત એલી ને ઉમેયુ”, તે આંધળા છે એટલે તે કારાબાર શી રીતે સંભાળી શકશે ?’ પ્રશ્ન કર્યો.

ભીષ્મના મનમાં ચિંંતા હતી. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે પેલી કહેવત પ્રમાણે જેનો આગેવાન આંધળો તેનું લશ્કર કૂવામાં જ પડે. પાંડુ વનમાં ગયો છે ને અંધ ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠો છે, તેની જાણ થતાં પાંડુની તાકાતથી જેઓ હજી પણ થરથરે છે તેઓ હિંમતવાન બનીને કદાચ હસ્તિનાપુર પર આક્રમણ કરે તો અંધ ધૃતરાષ્ટ શું કરી શકવાનો હતો ? તેની આજ્ઞા પ્રમાણે જ સેનાપતિને વ્યૂહરચના કરવાની હોય. એ વ્યૂહરચનામાં તેણે પણ ભાગ લેવો જોઈએ. પણ હતાશા ઠાલવતાં ભીષ્મ સ્વગત બોલી રહ્યો. ‘અંધ ધૃતરાષ્ટ્ર શું કરવાનો હતો ? તેની સમજ પણ કેટલી ?’

તેના ચહેરા પર ચિંતાની રેખાઓ રમતી હતી. સત્યવતી પણ દ્વિધામાં હતી. ભીષ્મના ચહેરા પરની ચિંતા જોઈ તેણે કહ્યું, ‘ભીષ્મ, પ્રશ્ન ઘણો જ વિકટ છે ખરું ને ?’

‘હા, મા ! પણ બીજો વિકલ્પ શો છે?’ ભીષ્મે જવાબ દીધો.

‘વિકલ્પ તા છે જ, પણ ભીષ્મ તૈયાર નથી એટલે મૂંઝવણ છે.’ સત્યવતીએ તેના મનોભાવ ઠાલવતાં ફરી ભીષ્મને આગ્રહ કર્યો, ‘થોડા સમય માટે તમે જ સંભાળો તો? આપદ્‌ધર્મ છે. તમે ક્યાં હંમેશ માટે ગાદીપર બેસો છો? માત્ર થોડા સમય માટે તમારે જવાબદારી સંભાળવી જોઈએ.’ કાકલૂદી કરતી હોય એમ દ્રવિત સ્વરે કહી રહી, ‘ભીષ્મ, તમે હઠાગ્રહી ન બનો. આફતની ક્ષણોમાં તમારે થોડા ઉદાર પણ થવું જોઈએ’

સત્યવતીના સતત આગ્રહ છતાં ભીષ્મ તેમના નિર્ણયમાં મક્કમ હતા. ‘પ્રતિજ્ઞાપાલનમાં કોઈ અપવાદ ન હોય, મા ! તેનું સંપૂર્ણ પણે પાલન થવું જ જોઈએ.’

‘તો હવે ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક કરો.’

‘રાજ્યાભિષેક નહિ, માત્ર ગાદી સંભાળે.’ભીષ્મે સત્યવતીની સલાહનો વિરોધ કરતાં કહ્યું, ‘જો પાંડુએ ગાદીત્યાગ કર્યો હોય તો ધૃતરાષ્ટ્રનો તમે કહો છો તેમ તેનો રાજ્યાભિષેક જરૂર કરવો જોઈએ. પાંડુ આરામ કરવા હિમાલયની તળેટીમાં ગયો છે. એટલે રાજા તો પાંડુ જ રહે છે. ધૃતરાષ્ટ્ર માત્ર પાંડુની ગેરહાજરીમાં ગાદી સંભાળે એ જરૂરનું છે.’

‘ભલે એમ રાખો. સત્યવતી ભીષ્મની વાત માન્ય કરતાં બોલી ને પૂછ્યું, ‘આંધળાની લાકડી તો તમે જ બનશો ને?’

‘ના, મા. હું નહિ, પણ વિદુર બનશે.’

‘વિદુર તૈયાર થશે ખરો?’

‘તૈયાર થવું જ પડશે.’

‘તો તેને બોલાવો ને તેની મંજૂરી મેળવી લો.’ વિદુર ભીષ્મની વાતનો સ્વીકાર કરતાં અચકાતો હતો. તેને રાજકાજમાં કોઈ જ ઉત્સાહ નહોતો. રસ નહોતો એટલે તે તૈયાર થતો નહોતો.

ભીષ્મે તેને સમજાવ્યો, ‘પાંડુની ગેરહાજરી કોઈ પણ રીતે જાહેર થવી ન જોઈએ. એ માટે તારે ધૃતરાષ્ટ્ર સાથે જ રહેવું પડશે.’

આખરે વિદુર તૈયાર થયો ને હસ્તિનાપુરની ગાદી પર ધૃતરાષ્ટ્રે આસન સભાળ્યું.

ભીષ્મે ધૃતરાષ્ટ્રના હાથમાં રાજ્યની ધૂરી મૂકતાં કહ્યું, ‘પાંડુ સ્વસ્થ થઈ પાછો ફરે ત્યાં સુધી આપણા પિતાજીની ગાદી તમે સંભાળો. વિદુર તમારી સાથે જ હશે. જરૂર પડે તો મને પણ બોલાવજો. પાંડુની સિદ્ધિઓની બરાબર જાળવણી કરવી જરૂરી છે.’

ધૃતરાષ્ટ્ર માટે આ પરમ આનંદની ઘડી હતી. પોતાનો જ હક્ક હોવા છતાં પોતાની અંધ સ્થિતિનો લાભ લઈને પાંડુને ગાદી દીધી. આખરે તેનો હક્ક હતો. તેને ગાદી સુપ્રત કરવી પડી ને? મનના આનંદ દબાવીને ગંભીરતાથી ધૃતરાષ્ટ બોલ્યો, ‘પિતામહના સાંનિધ્યનું બળ મને હંમેશા પ્રેરણા દેશે. વિદુર મારો ભોમિયો બનશે પછી હસ્તિનાપુરની ગાદી પર કોઈ ભય, જોખમ હશે નહિ.’

ધૃતરાષ્ટ ગાદી પર બેઠો.