પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૭ )

અનિલ અને કળી એ અસ્થિર પ્રેમનું નિદર્શક જોડું, અને સારસયુગ્મ તે સ્થિર પ્રેમનિદર્શક જોડું, અને અસ્થિર પ્રેમથી થતો અસંતોષ અને અશાન્તિ તથા સ્થિરપ્રેમથી થતો સંતોષ તથા શાન્તિ, એટલું આ કાવ્યમાં સ્પષ્ટ જ છે, એટલે તે વિશે વિશેષ કહેવાની જરૂર નથી.

પ્રેમનાં સ્વરૂપ.—પૃષ્ઠ ૨૮.

સૃષ્ટીમાંની સૌન્દર્યની મૂર્તિયો - જે'વી કે મધુર નાદ, સુગન્ધ, સુન્દર રંગ-ત્હેનો પ્રેમ સાથે અભેદારોપ કરી અહિં કલ્પના ખેંચી છે. આ જ કલ્પનાનો સવિશેષ વિકાસ આગળ 'બહુરૂપ અનુપમ પ્રેમ ધરે' (પૃ ૩૪.) એ કાવ્યમાં કર્યો છે.

કડી ૩. રંગમેળો = રંગનો મેળાવડો; રંગનું એકત્ર આવવું.

કડી ૪, લીંટી ૩. નાદ=મધુરનાદ; ગન્ધ=સુગન્ધ; રંગ=સુન્દર રંગ. એ દિવ્યકુસુમો; - પ્રેમનાં જ રૂપ ગણ્યાં તેથી, તથા ત્હેમાંની દિવ્ય સુન્દરતાથી પણ.

પ્રેમ.—પૃષ્ઠ ૨૯.

કડી ૨, લીંટી ૧. ગાતો - પુષ્પના સુગન્ધના પ્રવાહનો ગાન સાથે અભેદારોપ કર્યો છે. તેમ જ લીંટી ૪ મા 'પ્રદીપ્ત' એ શબ્દ ગન્ધને લગાડી દર્શનના વિષય જોડે અભેદારોપ કર્યો છે.

કડી ૪. અહિં ભિન્નભિન્ન વિષય પરત્વે પ્રેમનું સ્વરૂપ કાંઈંક ત્હેને પ્રતિરૂપ ગન્ધથી દર્શાવ્યું છે. એ પ્રતિરૂપતા બારીક કલ્પનાથી જ જોવાની છે.

‘બહુરૂપ અનુપમ પ્રેમ ધરે.’—પૃષ્ઠ ૩૦.

"વરસે ગરજે ચઢીને ઊતરે, ઘન તે અતિશે અન્ધકાર કરે
જ્યમ નૂતન સંપતિવાન કરે ત્યમ રૂપ અનુપમ મેધ ધરે."

આ શ્લોક મુંબાઈમાં એક નાટકમાં સાંભળેલો ત્હેમાંથી "રૂપ