બીરબલ અને બાદશાહ/હસાવતો ઈનામ લે

← સવાલ-જવાબ બીરબલ અને બાદશાહ
હસાવતો ઈનામ લે
પી. પી. કુન્તનપુરી
જેવી વાત તેવી રીત →


વારતા પાત્રીસમી
-૦:૦-
હસાવતો ઈનામ લે
-૦:૦-

એક સમયે બાદશાહે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! જો તું મને હસાવીશ તો હું તને મહોટું ઇનામ આપીશ.' આ સાંભળી બીરબલે અનેક યુક્તીઓ લડાવી, અનેક પ્રકારની હાસ્યજનક વીનોદી વારતાઓ કહી સંભળાવી છતાં શાહ હસ્યો નહીં. છેવટે બીરબલે બાદશાહના કાનમાં કહ્યું કે, 'સરકાર ! જો આપ હવે નહીં હસશો તો હું મોટેથી બુમો મારી ધમશાણ મચાવી મુકીશ.' છતાં શાહ જરા પણ ન હસતાં મૌન ધારણ કરી બેઠો. તે જોઇ બીરબલ ખુબ ચેષ્ટા કરવા લાગ્યો. આ ચેષ્ટાના ચેન ચાલા જોતાજ શાહ ખડખડ હસી પડ્યો. તે જોઇ બીરબલે કહ્યું કે, 'નામદાર ! હવે આપની સરત મુજબ ઈનામ આપો." શાહે ઈનામ આપી બીરબલની તર્ક શક્તી જોઇ ખુશી થયો અને પુનઃ જ્ઞાન ગોષ્ટી આગળ ચલાવી.

-૦-