બીરબલ વિનોદ/જેવું કર્મ તેવું ફળ

← બીરબલ પારસ છે બીરબલ વિનોદ
જેવું કર્મ તેવું ફળ
બદ્રનિઝામી–રાહતી
ઉત્તમ જળ કઇ નદીનું? →


વાર્તા ૭૩.

જેવું કર્મ તેવું ફળ..

બાદશાહે એક પ્રસંગે બીરબલ જોડે સંસારિક વિષયો ઉપર વાર્તાલાપ કરતાં પૂછ્યું “બીરબલ ! સંસારમાં કોઈ રાજા મહારાજા અને ધનવાન છે તેમજ કોઈ ગરીબ મુફલિસ કંગાલ છે, એનું શું કારણ?”

બીરબલે ઉત્તર આપતાં કહ્યું “નામદાર ! એતો:-

રામ ઝરોખે બેઠકે, સબકા મુજરા લેત;
જેસી જાકી ચાકરી, વેસા વાકો દેત.

આ દુહો સાંભળી તેમજ તેના ગંભીર આશયને જાણી બાદશાહ બહુજ ખુશ થયો.