← પદ-૪ રસિકવલ્લભ
પદ-૫
દયારામ
પદ-૬ →



પદ ૪ થું.

ત્યાંથી હું હિમાલય ચઢિયો જી, શ્રી બદારિનાયક પદ પડિયો જી;
જે નારાયણ મહાધામ જી, તપ્તકુંડ ત્યાં પુરણકામ જી. ૧ [૧]
અલકનંદા ને ગંગા વ્યાસ જી, મજ્જન કીધું મન ઉલ્લાસ જી;
ત્યાંથી કેદારેશ્વર દેવ જી, ગંગોત્રી નાહ્યો તતખેવજી. ૨[૨]

ઢાળ.

તતખેવ માનસરોવરે નાહી, ગયો શ્રી કુરુક્ષેત્ર;
શ્રી સરસ્વતીમાં સ્નાન કરી, હરિ નિર્ખિયા ભરી નેત્ર. ૩[૩]
શ્રી મુક્તનાથ શ્રી હરિક્ષેત્ર ને, પુલહાશ્રમ પવિત્ર;
ગલ્લકી શાલિગ્રામ શ્રી હરિ, ભક્તજનના મિત્ર ૪ [૪]

શુચિ પંચહ્રદ કૌશિકી, નદિ નદ્ય સોળ તીર્થ વસંત;
પછી પુણ્યક્ષેત્રાનંદ મુક્તા, ક્ષેત્ર છૂટે જત. ૫ [૫]
શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી, સ્નાન સરયૂતીર;
શુચિ સ્વર્ગદ્વારી ઘાટ જોઈને, નિરખ્યા શ્રીરઘુવીર. ૬ [૬]
ત્યાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ સ્નાન;
શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષય તીર્થ મહાન. ૭[૭]
પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ, જ્યાં વસ્યા સીતારામ;
જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮[૮]



  1. ૧. પદ–પગ માહાધામ–મોટા તેજવાળા. પુરણકામ–મનના મનોરથ પૂર્ણ કરે એવા. તપ્તકુંડ–ઉના પાણીના કુંડ.
  2. ૨. અલકનંદા–હિમાલયમાં એક નદી છે. વ્યાસ–બદરીકાશ્રમમાં વ્યાસે તપ કર્યું હતુ. અને તે ઉપરથી તે ‘બાદરાયણ’ નામથી પ્રસિદ્ધ થયા છે. કેદારેશ્વર–મહાદેવ છે. ગંગોત્રી–ગંગાનું મૂળ જે જગોએ છે તેને ગંગોત્રી કહે છે.
  3. ૩. માનસરાવર (માનસ સરોવર)–હિમાલયની ઉત્તરમાં એક સરોવર છે. સરસ્વતી–ગંગા યમુનાની વચ્ચે એક એ નામની નદી છે.
  4. ૪, મુક્તનાથ, શ્રીહરિક્ષેત્ર, પુલહાશ્રમ, એ તીર્થ કુરૂક્ષેત્રની આસપાસ હોવાનું લાગે છે ગલ્ય- કી–અયોધ્યાની પૂર્વમા નદી છે. એ નદીનુ મૂળ નેપાળમાં છે. એમાના શાલ- ગ્રામ નામે કાળા પાષાણ ને વિષ્ણુ કરીને પૂજે છે.
  5. પ. પવિત્ર પચહદ, કૌશિકી નદી, એને બીજા નદ મળીને એ સ્થાનમાં સોળ તીર્થ છે, તેમાં હું નહાયો એ ભાવ. પછી ઈ○—પછી પુણ્યક્ષેત્ર જે આ નંદમુક્તા તીર્થ, જે તીર્થમાં સ્નાન કરવાથી પ્રાણી મુક્ત થાય છે ત્યાં જ નહાયો.
  6. ૬. જનકપુરી–મિથિલા નગરી. સ્વર્ગદ્વારી ઈ○— સરયૂના નીરમાં પવિત્ર સ્વર્ગદ્વારી — સ્વર્ગના દ્વાર રૂપ ઘાટ જોઈને રામે આખા નગરને સરયૂમાં સ્નાન કરાવીને સ્વર્ગ સ્થાપ્યું હતું એવી કથા રામાયણમાં છે, તે સ્થળ સ્વર્ગદ્વારી ઘાટ નામે કહેવાય છે.
  7. ૭. પ્રાગરાજ–પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને ત્રિવેણી સંગમ કહે છે વેણીમાધવ–એ નામે દેવ છે. વટ–પ્રાગવડ.
  8. ૮. ચિત્રકૂટ–પ્રયાગથી દશ કોશ પર એક સામાન્ય પર્વત છે. વનવાસ સમયે રામે ત્યા નિવાસ કર્યો હતો.