શ્રી આનંદધન ચોવીશી/શ્રી વાસુપુજ્ય સ્વામી

← શ્રી શ્રેયાંસનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
આનંદધન
શ્રી વિમલનાથ સ્વામી →
(રાગ:તુંગિયાગિરિ શિખરે સોહે)



૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન

(રાગ: તુંગિયાગિરિ શિખરે સોહે)


વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે,
નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે... વાસુપૂજ્ય... ૧

નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે,
દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય... ૨

કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે,
એક અનેક રૂપ ન વાદે, નિયતે નર અનુસરિયે રે... વાસુપૂજ્ય... ૩

દ્ઃખ સુખ રૂ અ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે,
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.... વાસુપૂજ્ય... ૪

પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે,
જ્ઞાન કરણ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે... વાસુપૂજ્ય... ૫

આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્વવ્યલિંગી રે,
વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતિ સંગી રે... વાસુપૂજ્ય... ૬