બીરબલ અને બાદશાહ/મુર્ખની મીત્રતાઈ

← સવા ગજની ચાદર બીરબલ અને બાદશાહ
મુર્ખની મીત્રતાઈ
પી. પી. કુન્તનપુરી
બ્રજ ભાષાની બલીહારી →


વારતા એકસોમી
-૦:૦-
મુર્ખની મીત્રતાઈ
-૦:૦-

એક સમે શાહ જુજ દરબારીઓ સાથે બેસી ગામ ગપાટાની વાતો ચલાવી રહ્યા હતા. તેમાં મુર્ખની મીત્રતાઈ વીશે વાત નીકળતાં ગંગે કહ્યું કે:-

સવૈયા

ગંગ તરંગ પ્રવાહ ચલે ઓર, કુપકો નીર પીઓ ન પીઓ.
અબ રદે રઘુનાથ બસે તો, ઓરકો નામ લીઓ ન લીઓ.
કર્મ સંજોગ સુપાત્ર મીલે તો, કુપાત્રકો દાન દીઓ ન દીઓ;
કવિ ગંગ કહે સુન શાહ અકબર, મુરખ મીત્ર કીયો ન કીયો.

શાહે તેને શાબાશી આપીને કહ્યું કે, ' રંગ છે ગંગ તારા વીચાર રૂપી તરંગને ? તારા વગર બીજો કોણ આવા સમયસૂચક વાક્યો કહી સંભળાવે ?'

ગંગે કહ્યું કે, 'સરકાર ! જરાક બાકી રહ્યું છે તે સાંભળો.

કવિત

ધન દેવે ધામ બાતકો બિશ્રામ દેવે,
રાજકી લગામ દેવે એશો મીત્ર પેખ્યો હે;
સમયાનુકુળ રેવે ભુલ થાય નહિ દેવે,
નિષ્કપટ ન્યાયી કુડકપટ જીને છેક્યો હે;
બાત ગુપ્ત રાખે દાખે બોલ ના કદી ઉથાપે,
પ્રકૃતિ પિછાની જાની લાયક મન લેખ્યો હે;
કહત હે કવિ ગંગ સુનો મેરે દિલ્હીપતી,
સમયપેં સીસ દેવે એસો કોઈ દેખ્યો હે ?

શાહે તુરત એક કીંમતી શાલ મંગાવી ગંગને ઓઢાડી દીધી.

-૦-