સૌરાષ્ટ્રની રસધાર ૪
ઝવેરચંદ મેઘાણી
નિવેદન →



સૌરાષ્ટ્રની રસધાર




ભાગ



ઝવેરચંદ મેઘાણી











પ્રસાર

આવૃત્તિઓ

પહેલી : ૧૯૨૮, બીજી : ૧૯૩૪, ત્રીજી :૧૯૪૨, ચોથી : ૧૯૪૪,
પાંચમી : ૧૯૪૭, છઠ્ઠી : ૧૯૫૧, સાતમી :૧૯પ૬
પુનર્મુદ્રણ : ૧૯૫૮, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૪

સુવર્ણ-જયંતી ( આઠમી ) આવૃત્તિ : ૧૯૮૦

૧૧,૫૦૦ નકલ


 :પુસ્તકાલયો માટે સૂચીકરણ :

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ (૧૮૯૬-૧૯૪૭ )
સૌરાષ્ટ્રની રસધાર,–આ. ૮.- ભાવનગર :

પ્રસાર, ૧૯૮૦.

પાંચ ભાગ.
વર્ગાંક : (૧) દશાંશ : 398.22 (૨) દ્વિબિંદુ : Y:351



રૂ. ૧૨


પ્રકાશક :
જયન્ત મેઘાણી
પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્યૂ, ભાવનગર ૩૬૪ ૦૦૨


 : મુદ્રક :
શાંતિલાલ હરજીવન શાહ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ ૩૮૦ ૦૧૪













અર્પણ
પુત્ર વિનોદને

નિવેદન

ત્રીજી આવૃત્તિ

[ટૂંકાવીને]

મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ નિવારવા શ્રમ લઉં છું. આ ચોથા ખંડની લખાવટમાં મને એ કસોટીએ ઘણે લાભ કરી આપો છે; કેટલોય કુથ્થો વાર્તાના આલેખનમાંથી મેં ઓછો કર્યો છે.

બોટાદ : ૩–૨–'૪૨
ઝ. મે.
 

[પહેલી આવૃત્તિ]

ચાર ચાર વર્ષના સમાગમ વડે– અને અનેક પ્રતિકૂળ દિશાઓમાંથી ફૂંકાતા વાયરા છતાંયે– જે સૌહાર્દ 'રસધાર' અને વાચકવર્ગની વચ્ચે બંધાયું છે, તેને ભરોસે રહીને સમજી લઉં છું, કે વાચક પોતાની નિર્મલ ઊર્મિવશતાને પંપાળવા ખાતર નહીં, પણ સબળ ભાવ વડે સરજાયેલા દેદીપ્યમાન ભૂતકાળને સમજવા ખાતર જ 'રસધાર'ને ચાહે છે.

સોરઠી જીવનની સમસ્યાઓ

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાત તો સહેજે પચી જાય છે, પરંતુ આ તો જીવનકથાઓ છે. અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની : જેવી કે, કરણસંગ પોતાના પિતૃપક્ષ પરથી મહેણું ઉતારવા માટે પોતાના ભાઈને જ પોતાનું જ માથું કાપી લેવા બોલાવે તે નાદાની (‘સંઘજી કાવેઠિયો’): રજપૂતની બેલડી પોતાની

નિવેદન

ત્રીજી આવૃત્તિ

[ટૂંકાવીને]

મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ નિવારવા શ્રમ લઉં છું. આ ચોથા ખંડની લખાવટમાં મને એ કસોટીએ ઘણે લાભ કરી આપો છે; કેટલોય કુથ્થો વાર્તાના આલેખનમાંથી મેં ઓછો કર્યો છે.

બોટાદ : ૩–૨–'૪૨
ઝ. મે.
 

[પહેલી આવૃત્તિ]

ચાર ચાર વર્ષના સમાગમ વડે– અને અનેક પ્રતિકૂળ દિશાઓમાંથી ફૂંકાતા વાયરા છતાંયે– જે સૌહાર્દ 'રસધાર' અને વાચકવર્ગની વચ્ચે બંધાયું છે, તેને ભરોસે રહીને સમજી લઉં છું, કે વાચક પોતાની નિર્મલ ઊર્મિવશતાને પંપાળવા ખાતર નહીં, પણ સબળ ભાવ વડે સરજાયેલા દેદીપ્યમાન ભૂતકાળને સમજવા ખાતર જ 'રસધાર'ને ચાહે છે.

સોરઠી જીવનની સમસ્યાઓ

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાત તો સહેજે પચી જાય છે, પરંતુ આ તો જીવનકથાઓ છે. અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની : જેવી કે, કરણસંગ પોતાના પિતૃપક્ષ પરથી મહેણું ઉતારવા માટે પોતાના ભાઈને જ પોતાનું જ માથું કાપી લેવા બોલાવે તે નાદાની (‘સંઘજી કાવેઠિયો’): રજપૂતની બેલડી પોતાની

બન્નેની વચ્ચે તલવાર મૂકીને એક જ પથારીએ પોઢે તે નાદાની ('દસ્તાવેજ'): માણસિયો વાળો પોતાનો દેહ છેદીને પંખીને ખવરાવે તે નાદાની : અને જાલમસંગ જાડેજો પોતાની શરદી ઉડાડવા પોતાના આશ્રયદાતાની પત્નીને પડખે બાલભાવે પોઢી જાય તે નાદાની ('ભાઈબંધી' : રસધાર' ભાગ ૧) – એ બધા વિરોધી દેખાતા અને જંગલી જણાતા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે. વાચક ! તારી કલ્પનાશક્તિને ઠગી જવાની આ રમત નથી. તું પોતે જ તારી દૃષ્ટિને દિલસોજ બનાવી માનવજીવનનાં આ આત્મમંથનોને ન્યાય આપજે. યુગ યુગના જૂજવા કુલધર્મો ઉકેલવાની આંખ કેળવજે.

એ કાંઈ શાસ્ત્રજ્ઞાઓ ઉપર રચાયેલો કુલધર્મ નહોતો. એ તે માનવધર્મની નિગૂઢ સમસ્યાઓ લઈને મનુષ્ય સમક્ષ આવી ઊભો રહે. સીતા અને સાવિત્રીનાં સતીત્વ તો સીધાં અને સુગમ્ય છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠિયાણીનું અને નાગાજણ ચારણની સ્ત્રી('મરશિયાની મોજ')નું સમસ્યાભર્યું અને જટિલ સતીત્વ: એ આપણી મતિને મુંઝવી નાખે છે. એનો તાપ આપણાથી જલદી ઝિલાતો નથી. માટે જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.

'અણનમ માથાંની ઘટના આપણી અસલી સંસ્કૃતિમાં એક નવી રેખા આંકે છે. કોઈ મિથ્યાભિમાની પોતાના ગર્વથી બહેકી જઈ અન્યને માથું ન નમાવે તે કાંઈ ગૌરવગાથાની વસ્તુ નથી. અહીં તો માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિદ્ધાંત પર બાર વીરોનું નિરભિમાની બલિદાન ચડેલું છે. અને બારમો એક બાકી રહી ગયેલો મિત્ર દોડીને કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે એવો બનાવ દુનિયાના અન્ય સાહિત્યમાં હજી શોધાયો નથી.

'દસ્તાવેજ'ની કથાનું ઘટનાસ્થાન નક્કી નથી. પણ સોરઠી સાહિત્યે અને સંસ્કૃતિએ એને અપનાવી લીધી છે, તેથી જ એ કથા અત્રે આપી છે. એ જ રીતે, 'હોથલ' પણ કચ્છ અને કાઠિયાવાડ વચ્ચે તકરારી સામગ્રી છે.

સોરઠની ગંગાલહરી

'ભાગીરથી'ની જે ઘટના આંહીં આલેખાઈ છે, તે તો જાણે કે બિકાનેરના કવિકુમાર પૃથ્વીરાજજીની જીવનઘટનામાંથી ચોરાયેલી હોય તેવું કહેવાય છે. અકબરના દરબારના એ ક્ષત્રિય-કવિ પૃથ્વીરાજજી ચારણી સાહિત્યના એવા ધુરંધર સર્જક હતા, કે એમના પિતૃત્વ વિશે ચારણોએ મલિન લોકાપવાદ ચલાવેલો. એ વાત પૃથ્વીરાજજીને કાને પહોંચી. પહોંચ્યા માતાની પાસે. “માડી ! સાચું કહેજો, મારા ગર્ભાધાનમાં કશી કલંકકથા છે કે નહિ? ન કહો તે હું પ્રાણ કાઢું !” “બેટા, એબ તો એટલી જ, કે જે રાત્રિએ તારું ઓધાન રહ્યું તે જ સંધ્યાએ રજસ્વલા સ્નાન કરીને તારા પિતાની વાટ જોતી હું છૂટે કેશે ઝરૂખામાં ઊભેલી. સામેના મહેલમાં આપણા રાજકવિ ઊભેલા. મારાં નેત્રોથી એની સામે એક નજર થઈ ગઈ હતી.” માતાની વિશુદ્ધિની આ કથા જગતે એમ માની નહિ. એટલે પૃથ્વીરાજજીએ ભાગીરથીના ધાટ પર બેસી દુહે દુહે ગંગાજીને પગથિયાં ચડાવ્યાં અને પોતે માથાબોળ સ્નાન લીધું. આ કથા મારવાડી ચારણોએ મને કહી છે. પરંતુ 'રાજદે–ભાગીરથી' અને 'પૃથ્વીરાજ–ભાગીરથી' એ બેમાંથી ઈતિહાસનું પ્રમાણ કોને પક્ષે જાય છે તે નક્કી કરવું રહ્યું છે. ને એ દંતકથાઓ હો, તે યે શી હાનિ છે? લોકહૃદયની ભાવનામાં રમી રહેનારી કલ્પનાઓ પણ ઇતિહાસ જ છે ના ! એ જ સાચો ઇતિહાસ છે.

સોરઠનો પ્રોમિથિયસ

ગ્રીસ દેશના પુરાણમાં એક કથા છે : માનવજાતિના બાલ્યકાળમાં, શસ્ત્રહીન અને નિરાધાર માનવીઓને માટે, તેઓના બલવાન બાંધવા પ્રોમિથિયસે સ્વર્ગમાં જઈને ઈંદ્રના ભુવનમાંથી અગ્નિનો અંગાર આણ્યો અને ધરતીનાં ખનિજો ખોદી માનવીઓને પોતાના રક્ષણાર્થે એ અગ્નિ વડે અસ્ત્ર-શસ્ત્રો બનાવતાં શીખવ્યું. માનવ-જાતિના આ નવા સામર્થ્યથી અમરરાજે પોતાના સિહાસનને ડોલતું દેખ્યું. પોતાના ભવનમાંથી અગ્નિ લઈ જનાર પ્રોમિથિયસને એણે પકડાવ્યો અને કૉકેસસ પહાડના કાળાઘોર પથ્થરના શિખર પર એ શત્રુના શરીરને સાંકળા અને ખીલા વડે જડી લીધું. સ્વાર્થભીરુ ઈંદ્રના કોપને સહન કરતો એ માનવી સળગતા સૂર્યમાં

શેકાતો અને રાત્રિનાં તોફાનોમાં પીડાતો અબોલ બની પડ્યો રહ્યો. પહાડની ગુફાઓમાં વસતાં જે ગરુડો અને ગીધો એના દેહમાંથી માંસના લોચા તોડી તોડી ભક્ષ કરતાં હતાં તેને બંદીવાને ચુપચાપ પોતાનું શરીર ખાવા દીધું, પણ વેદનાના ચિત્કાર કરીને પોતાનો માનવપ્રતાપ લજાવા ન દીધે. ××× હજારો વર્ષ પૂર્વેનો એ વીર પ્રોમિથિયસને યાદ કરાવનાર, સો વર્ષ પૂર્વેનો સોરઠી માનવ માણસિયો વાળો આજે આ પુસ્તકમાં રજૂ થાય છે. પિત્રાઈઓને પાપે કોઠા પર પુરાયેલા એ માણસિયાએ સ્વહસ્તે પોતાના સાથળ કાપીને સમળીને ઉજાણી જમાડી દેહ પાડી નાખ્યો.


તોપોના મુખમાં

'ચાર્જ ઑફ ધ લાઈટ બ્રિગેડ' — ટેનિસન કવિનું લખેલું રણગીત એકેએક વિદ્યાર્થીના કાનમાં ગાજે છે:

Half a league ! Half a league !
Half a league ! Onward !
Into the Valley of death
Rode the six hundred !

અને એ પંક્તિઓ ઉચ્ચારતાં તો રોમાંચ થાય છે. કોણ હતા એ 'છસો શુરવીરો’? એ અંગ્રેજ સૈન્યના અસવારો હતા. અને એ યુરોપની રણભૂમિ હતી. સામે હતું રશિયાનું પ્રચંડ લશ્કર. અંગ્રેજો પાસે એક પણ તોપ ન મળે, અને શત્રુઓની પાસે સમર્થ તોપખાનું. અંગ્રેજ સેનાપતિનો આદેશ મળ્યો કે 'ઑનવર્ડ !' — અરે, ક્યાં ? શત્રુઓની ધૂંવાધાર તોપો સામે, મૃત્યુના જડબામાં — into the jaws of Death! અને ‘ઑનવર્ડ'ને ઉચ્ચાર સાંભળતાં તે છસો વીર અક્કેક ઉધાડી તલવારે દોડ્યા. રશિયાઈ તોપખાનાને એના ગોળાઓના વરસાદ વચ્ચે જઈને તારાજ કર્યું. છસોયે વીર વીંધાઈ ગયા. એના પરાક્રમ પર અંગ્રેજ કવિવર ટેનિસનને પ્રાણ ફિદા થશે અને એ પ્રાણમાંથી અમર વીર-કાવ્ય સરજાયું. બ્રિટનનાં બાળકો એ ગીતમાંથી બલિદાનના મંત્રો રટે છે. × × × અને સોરઠનો બાળક શું પોતાના

ઇતિહાસમાં શૂન્ય નજર નાખશે ? છસો નહીં – અરે, છયે નહીં, પણ એક જ વીર : એનું નામ જાદવ ડાંગર : ભાવનગરના આતાભાઈનો એ આહીર યોદ્ધો : એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાન બૂરી દીધા. આજકાલની જ વાત. ગુજરાતની તરુણ પ્રજામાંથી કોઈ ગુર્જર ટેનિસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે. આજ તો જાદવના પાળિયા પાસે એના ગામડાનાં નાનાં બચ્ચાં રમતાં હશે, અને ગામની તરુણીઓ ઘૂમટો તાણીને એ વીરના સ્મૃતિ-ચિહ્નની મરજાદ સાચવતી હશે.

પ્રાંતિક અભિમાનનો આદર્શ

સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું.

મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું.

સૌરાષ્ટ્ર કાર્યાલચ :
અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
ઝવેરચંદ મેઘાણી
 



સૌરાષ્ટ્રની રસધાર : ૪