આ પૃષ્ઠ જૂની ચર્ચાઓને સાચવવા માટેનું છે કૃપા કરીને આમાં ફેરફાર ન કરો. જો તમે નવી ચર્ચા અથવા તો અહીં ચર્ચેલા કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માગતા હો તો વિકિસ્રોત:સભાખંડ ખાતે નવી ચર્ચા શરૂ કરો.

પૃષ્ઠ સુરક્ષિત કરવા માટેનો નવો બોટ ફેરફાર કરો

મિત્રો, આપણા ધવલભાઈએ ખૂબ મહેનત કરી સ્રોત માટે એક નવો બોટ રચ્યો છે. તે દ્વારા જે પાના પર "ભૂલશુદ્ધિ-પૂર્ણ" એ ટેગ હશે તેને આ બૉટ આપોઆપ સુરક્ષિત કરી દેશે. અને તેમાં સુરક્ષિત એ ટેમ્પ્લેટ ઉમેરી દેશે. આ બૉટ દ્વારા પરિયોજના વ્યવસ્થાપકોની ઘણી મહેનેત બચી જશે. ધવલભાઈએ ખૂબ સરસ કાર્ય કર્યું છે. સૌ મિત્રો વતી, ગુજરાતી સ્રોત વતી આપનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૧૬:૨૬, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સરસ.....--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૩૩, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અરે સુશાંતભાઈ, એમાં વળી આભાર શો માનવાનો? આ આપણા સહુનો સ્રોત છે, હું નિયમિત યોગદાન નથી કરી શકતો અને આપ સહુની સાથે સહકાર્ય પરિયોજનાઓમાં જોડાઈ નથી શકતો તે વાતનો રંજ રહે છે, આવું કોઈક કામ કરીને તે રંજમાં પૈસાભાર ઘટાડો થાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, તમે તો એક પરિયોજનાનું કાર્ય આમાં કરી આપ્યું ગણાય, હવેથી રંજ રાખ્યા સિવાય આંટો મારતા રહેશો અને માર્ગ ચીંધવા યોગ્ય બાબતો ધ્યાન પર લાવતા રહેશો એવી અપેક્ષા સહ.--સતિષચંદ્ર (talk) ૦૦:૩૫, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપણું વિકિસ્ત્રોત ફેરફાર કરો

http://wikisource.org/wiki/Category:%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80 શું આ પાના પરનું બધું જ આપણા વિકિમાં જાતે જ આવી ગયું કે આપણે એક-એક કરતા લાવ્યા? કંઇ બાકી રહેતું હોય તેવું લાગે છે.

સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

મહર્ષિભાઈ, કેન્દ્રિય વિકિસ્રોતની Category:ગુજરાતી અને Category:Gujarati એમ બંને શ્રેણીઓમાં જે કોઈ પણ લેખોનો સમાવેશ થયો હતો તે બધું જ અહિં એક-એક કરીને પણ આપોઆપ રીતે લાવી દેવામાં આવ્યું હતું. અહિં લાવ્યા બાદ અમુક કૃતિઓ બેવડાતી હતી એટલે તેમને સમયાંતરે જ્યારે ધ્યાને ચડી ત્યારે દૂર કરવામાં આવી છે એટલે શક્ય છે કે તમે ત્યાં કોઈક કૃતિ જોતા હોવ તે અહિં બેઠેબેઠા તે નામે ના મળી આવે. છતાં આપના ધ્યાને એવું કોઈ પૃષ્ઠ ચડતું હોય તો જણાવશો, આપણે અવશ્ય તપાસ કરી શકીએ તેમ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૦, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Be a Wikimedia fundraising "User Experience" volunteer! ફેરફાર કરો

Thank you to everyone who volunteered last year on the Wikimedia fundraising 'User Experience' project. We have talked to many different people in different countries and their feedback has helped us immensely in restructuring our pages. If you haven't heard of it yet, the 'User Experience' project has the goal of understanding the donation experience in different countries (outside the USA) and enhancing the localization of our donation pages.

I am (still) searching for volunteers to spend some time on a Skype chat with me, reviewing their own country's donation pages. It will be done on a 'usability' format (I will ask you to read the text and go through the donation flow) and will be asking your feedback in the meanwhile.

The only pre-requisite is for the volunteer to actually live in the country and to have access to at least one donation method that we offer for that country (mainly credit/debit card, but also real time banking like IDEAL, E-wallets, etc...) so we can do a live test and see if the donation goes through. **All volunteers will be reimbursed of the donations that eventually succeed (and they will be very low amounts, like 1-2 dollars)**

By helping us you are actually helping thousands of people to support our mission of free knowledge across the world. If you are interested (or know of anyone who could be) please email ppena@wikimedia.org. All countries needed (excepting USA)!!

Thanks!

Pats Pena
Global Fundraising Operations Manager, Wikimedia Foundation

Sent using Global message delivery, ૦૨:૨૪, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

પ્રસ્તાવિત પરિયોજના ૧૩ ફેરફાર કરો

મિત્રો, આપણી પરિયોજના ૧૧ પૂર્ણતાની નજીક છે. અને પરિયોજના ૧૨ પણ આગળ વધી રહી છે. પરિયોજના ૧૩તરીકે કયું પુસ્તક હાથમાં લેવું તે વિચાર કરવો રહ્યો. આ માટે સભ્યોના વિચાર આવકાર્ય છે.--Sushant savla (talk) ૨૦:૨૩, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

સૌરાષ્ટ્રની રસધાર ના ત્રણે ભાગો હાથ પર લઈ ને પુરા કરીયે તો કેમ? ઘણી વાર્તાઓ તો લગભગ આવી જ ગઈ છે અને થોડી ઘણી બાકી છે તે પતાવી દઈયે. અથવા સોરઠી બહારવટિયાઓ હાથ પર લઈયે તો પણ મજા આવે.. અન્ય મિત્રો શું કહે છે જોઇયે.. પણ બને તો આગામિ ત્રણ પરિયોજનાઓ નિશ્રિત કરવી જેથી આગામી કામ સરળ રહે.. સીતારામ.. મહર્ષિ
મહર્ષિભાઈ સાથે સહમત.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
બહોળા પ્રમાણમાં મેઘાણી સાહિત્ય અને ગાંધી સાહિત્ય અહીં ઉપલબ્ધ છે. માટે હવે કોઈ નવા સર્જકને લઈએ તો?--Sushant savla (talk) ૦૭:૦૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મહર્ષિભાઈ સાથે સહમત. સુશાંતભાઈ કે અન્ય મિત્રો કોઈ નવો સૂઝાવ આપે તો તે પણ વિચારી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૬, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ એ વાત મુદ્દાની કરી. બીજી વાર રાવણની સભામાં હનુમાનજી ને એટલે જ નહોતા મોકલ્યા. રખે ને રાવણને એમ થાય કે આમની સેનામાં એક હનુમાન જ વીર છે :-) તો એક કામ કરીયે, મેઘાણી સાહિત્યના ઉપરોક્ત પુસ્તકો પુરક પરિયોજના તરીકે અનામત રાખીયે અને આગામિ પરિયોજના તરીકે ગિજુભાઇ બધેકાની બાળ વાર્તાઓ અથવા નરસિંહ મહેતાનો કોઇ ગ્રંથ અહિં લાવી શકીયે તો બહુ આનંદ આવે. આ વિશે શું કહો છો? સીતારામ.. મહર્ષિ
હા બાળવાર્તાઓ લાવો, દાદાજીની વાતો તરીકે આપણી પાસે બાળ સાહિત્ય ઉપલબ્ધ છે તેને હવે વધારીએ. ગિજુભાઈને કોઈ દિવસ વાંચ્યા નથી તો તે પણ સારો અનુભવ થાશે. અને વાર્તાઓ છે માટે સૌને મજા આવશે. મહર્ષિભાઈએ ઘણાં વખત સુધી સંચાલન પણ નથી કર્યું. તો મહર્ષિભાઈ આપ જ ઉપાડી લોને આગામી પરિયોજના. આ સાથે અશોકભાઈ મોઢવાડીયા હવે આપે પણ નેતૃત્વ લેવાનું છે હો કે! અશોકભાઈ વૈષ્ણવ જો આપ પણ નેતૃત્વ લેશો તો અમને નવા માર્ગદર્શકનો લહાવો મળે. ધવલભાઈ પાસે તો આપણી વિનંતિ છે જ. તેઓ અનુકુળ પુસ્તક મળ્યે નેતૃત્વ કરશે આવશે તેવી ખાતરી આપી છે.
મહર્ષિભાઈ અને મિત્રો, મારું માનવું છે કે સૈરાષ્ટ્રની રસધારના ત્રણ ભાગ ચડાવવું એક મોટું અને મહત્ત્વપૂર્ણ કાર્ય છે તે માટે પૂરક નહિ પણ પૂર્ણ સહયોગ હોવો જોઈએ. માટે આપણે તેને મુખ્ય પરિયોજના તરીકે આગળ ઉપર લઈ લેશું. પૂરક પરિયોજનાઓ માટે આપણે નાના પુસ્તકો રાખીએ તે સારુ રહેશે. તેમાં ચર્નીંગ ઝડપી રહેશે. પૂરક પરિયોજનાના પુસ્તકના પાના ને ગુગલ ડોક પર ચડાવી રાખીએ અને તેની લિંક ચર્ચાના પાને મુકીએ તો કેમ?
નરસિંહ મહેતાના પુસ્તકો મને મળતા નથી તે મેળવવા પ્રયત્ન ચાલુ છે --Sushant savla (talk) ૧૮:૫૨, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
નરસિંહ મહેતાનું પુસ્તક શોધવાનું હું પણ ચાલુ કરું છું એકાદ તો મારા ઘરમાં પણ છે કદાચ. નહિ હોય તો બહારથી મળી રહેશે. નાગરનો દીકરો(હું પોતાની જાતને) ક્યારે કામ આવશે???? ગિજુભાઈનું પુસ્તક વાળો મેલ મળ્યો પરંતુ મને તો એમાં પાનાં આડાં અવળાં હોય એમ લાગે છે. એક ભાગ મેં ડાઉનલોડ કર્યો બીજા બે હજી નથી કર્યા. હું પણ સુશાંતભાઈના સુરમાં સુર પુરાવીશ કે બે બે ચક્રવર્તી સમ્રાટ આપણી પાસે છે એક મોઢવાડિયા અને બીજા વૈષ્ણવ બંને માંથી એકપણ પીછેહઠ કરે એમ નથી માટે તેઓ આગામી સમયમાં પરિયોજના સંભાળશે જ એવી મને ખાતરી છે. ધવલભાઈ તો છટકી શકે એમ છે જ નહિ માટે એમણે તો હવે યોગ્ય પુસ્તક શોધવાનું ચાલુ જ રાખવાનું છે મારી સલાહ સરસ્વતીચંદ્ર(અતિ લાંબુ) છે.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૦૨, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
નરસિંહ મહેતાના પુસ્તક માટે તો તેમની નાતના જ તરવરિયા યુવાને નીચે જણાવ્યું તેમ, એવું કોઈ પુસ્તક મળવું શક્ય નથી. અને સરસ્વતિચંદ્ર ખૂબ લાંબુ થઈ પડશે એવું લાગે છે. ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓને જ આગામી પરિયોજના તરીકે લઈએ તો યોગ્ય રહેશે. એ બહાને બાળ સાહિત્યની દિશામાં એક ડગલુ આગળ મંડાશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઠીક છે ત્યારે. ઉપરની ચર્ચા સંદર્ભે આપણે ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ ૧૩મી પરિયોજના હેઠળ લઈએ, મહર્ષીભાઈ આવી જાઓ મેદાનમાં બાળવાર્તાઓ લઈને.--Sushant savla (talk) ૧૭:૦૩, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

અમુક નવા પુસ્તકો મળ્યા ફેરફાર કરો

આજે લાયબ્રેરીમાં ગયો હતો તે અમુક નવા પુસ્તકો મળ્યા છે, જો મિત્રોને ઉમેરવા લાયક લાગે તો નવી પરિયોજનામાં તેને લઈ શકાય. દલપતરામના પુસ્તકો - લક્ષ્મીનાટક (નાટક), ગંગાબાઈ જમનાબાઈ જમનાબાઈની વાત (સંભાષણ), ગુજરાતી ભાષાના કવિયોનો ઈતિહાસ (લેખ), કથન સપ્તશતી (૭૦૦ કહેવતનો સંગ્રહ), સ્ત્રી સંભાષણ (નાટક), તાર્કિક બોધ (નાના લેખનો સંગ્રહ) આ સિવાય નરસિંહ મહેતાના છૂટક પદો મયા છે અને મીરાંબાઈના છૂટક પદો મળ્યા છે. વળી કાલિદાસ રચિત સંસ્કૃત સાહિત્યની ત્રણ કથાઓ અભિજ્ઞાન શાકુંતલ, માલવિકાગ્નિમિત્ર અને કુમારસંભવ મળી છે. તે સાથે વિવેકાનંદ વિચારધારા નામનું ૧૯૨૫ નું પુસ્તક મલ્યું છે (તેમામ્ તેમણે કરેલ શિકાગો પ્રવચનની પ્રત છે) જે આમુક ઠક્કુર નામાન ભાઈએ અનુવાદિત છે.--Sushant savla (talk) ૨૧:૫૦, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

નરસિંહ મહેતાના પોતાના રચિત એકપણ કૃતિ સંપૂર્ણ સ્વરૂપે જળવાઈ નથી માટે ઈતિહાસ ફંફોળી તેનું સંકલન કરીને સમયાંતરે તેમની રચનાઓ પ્રકાશનમાં આવે છે પરંતુ તે રચનાઓ પર જે તે પ્રકાશકના હક્કો હોય છે. મારી જાણ મુજબ ક. મા. મુનશી દ્વારા પ્રકાશિત સંગ્રહ સૌપ્રથમ સંગ્રહ છે અને તે હજી પ્રકાશનાધિકાર હેઠળ ગણાય કારણ કે મુનશી સાહેબના સ્વર્ગવાસને હજુ ૬૦ વર્ષ નથી થયાં. માટે તે પુસ્તક સ્વરૂપે ન ચડાવી શકાય. માટે નરસિંહ મહેતાનું સાહિત્ય છૂટક રીતે જેમ હાથમાં આવે તેમ ચડાવવું. બાકી સ્ત્રી સંભાષણ આગામી પુસ્તક તરીકે લઈ શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૨, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપ સૌને જે અનુકુળ્ રહેતે તે પુસ્તકને પરિયોજના સ્વરૂપે લેતા રહેવું જોઇએ તે તો દિવસના સૂર્યની સામે આંગળી ચીંધવા સમાણૂમ્ કહેવાશે, પણ્ સરસ્વતીચંદ્ર માત્ર લંબાઇને કારણે છોડી ન દેવું તેમ મારું માનવું છે. તેને સહપરિયોજના તરીકે ચલાવી શકાય. હવે તો ટાઇપીંગમાં પણ્ હાથબટાઇ કરવામાં ઘણાં મિત્રોનો સાથ થઇ ગયો છે. એટલે સહપરિયોજના થોડી લાંબી જરૂર ચાલે, પણ સાવ અશ્ક્ય નથી. 'કલાપીનો કેકારવ' આપણે બે મહિનામાં કરી શક્યા તે આપણી સામુહિક શક્તિ અને લગનનો પ્રેરણાદાયક્ પુરાવો છે. -- --Amvaishnav (talk) ૧૪:૩૧, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
"સરસવતીચંદ્ર" એ પુસ્તકના કોપીરાઈટ વિષે અમુક આશંકા છે. તેની ચકાસણી કરવી રહી. તેની એક વખત ખાત્રી થઈ જાય તો આપણે તે પુસ્તક અવશ્ય ચડાવીશું. લંબાઈ નો કોઈ વાંધો નથી. જો કોઈ મિત્રોને આ વિષે જાણ હોય તો કહેશો. અશોકભાઈ વૈષ્ણવ આપ તો મિડિયા ક્ષેત્રમાં છો આપ તેના કોપીરાઈટ વિશે માહિતી કઢાવી આપી શકો ખરા?--Sushant savla (talk) ૧૬:૫૯, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ્વતીચંદ્ર એ ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત મહાનવલ છે અને તે પ્રકાશન અધિકારમાં નથી આવતું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૬, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ્વતીચંદ્રના પ્રથમ ભાગના પણ બે ત્રણ ભાગ આપણી રીતે પાડીને અલગ અલગ પરિયોજના તરીકે લઈ શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૯, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને મળેલીમાહિતી પ્રમાણે ગોવર્ધનરામ ત્રિપાઠી પોતાની વસિયતમાં પોતાની કૃતિના હક્કો કોઈને આપી ગયા છે જે હજુ હયાત છે. અને પ્રકાશન અધિકાર તેમની પાસે છે. આ વિષય પરપાકી માહિતી મેળવવાના અને પ્રકાશન અધિકાર કાયદા હેઠળ વારસદારના હક્કો વિષે મારી પૂછ પરછ જારી છે. પાકી માહિતી મળ્યે આપણે આગળ વધીશું. --Sushant savla (talk) ૨૧:૦૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી જાણ મુજબ અને મારી સમજ પ્રમાણે કરેલા ભારતીય પ્રકાશનાધિકાર ધારાના અર્થઘટન અનુસાર પ્રકાશનાધિકારોનું હસ્તાંતરણ ફક્ત સર્જકના પ્રકાશનાધિકારની મર્યાદા દરમ્યાન જ થઈ શકે અને લાગુ રહી શકે. અને ભારતીય પ્રકાશનાધિકાર ધારો ૧૯૫૭, જે આજે અસ્તિત્વમાં છે તેના અનુસાર સર્જકના મૃત્યુ પછીના ૬૦ વર્ષ પછી કૃતિ જાહેર મિલ્કત બને છે, એટલે કે પબ્લિક ડૉમેનમાં આવી જાય છે. જો કે, ગોવર્ધનરામ ત્રિપાઠીનું અવસાન ૧૯૦૭માં થયું હોવાથી અને પુસ્તકો ૧૮૮૨થી ૧૯૦૨ દરમ્યાન પ્રકાશિત થયા હોવાથી તેના પર (બ્રિટિશ) ભારતીય પ્રકાશનાધિકાર ધારો ૧૯૧૪ લાગુ પડે, મારી જાણકારી મુજબ તે સમયે પ્રકાશનાધિકારની મર્યાદા ફક્ત ૫૦ વર્ષની હતી. એટલે કોઈપણ સંજોગોમાં ૧૯૫૭ કે ૧૯૬૭ પછી સરસ્વતિચંદ્ર પર કોઈ પ્રકાશનાધિકાર ન હોઈ શકે. બીજી એક રીતે ગણતરી માંડીએ તો પણ, ગોવર્ધનરામનું અવસાન ૧૯૦૭માં થયું, તેમની વસિયતમાં તેમણે હક્કો તેમના પુત્રને આપ્યા હોય, તો અવસાન વખતે તેમની પોતાની ઉંમર ૫૨ વર્ષ હતી તેથી તેમના પુત્રની ઉંમર ૪૦થી વધુ અને ૧ વર્ષથી ઓછી ન હોઈ શકે. આ બંને કેસમાં તેમનો તે પુત્ર આજે પણ હયાત હોય તે શક્ય નથી. હક્કો તેમના હોવાથી તેમનો પુત્ર તેનું હસ્તાંતરણ આગળ ન કરી શકે. એમ માની લઈએ કે તેમણે વસિયતમાં હક્કો પુત્રને નહિ પણ પૌત્રને આપ્યા હોય તો તે પણ તે સમયે જન્મી ચુક્યો હોય તો જ શક્ય છે, અને જન્મ્યો હોય તો પણ તેની ઉંમર આજે ૧૦૬ વર્ષ થઈ ગઈ હોય, જે શક્ય લાગતું નથી. આમ જે કોઈ પણ સરસ્વતિચંદ્રના પ્રકાશનાધિકાર ધરાવવાનો દાવો કરે છે તે પોકળ છે. આપણે નિર્ભયપણે તે કૃતિનો ઉપયોગ કરી શકીએ. પરંતુ તમે કહો છો તેમ તમારી ચેનલ મારફતે એક વધુ તજજ્ઞનો અભિપ્રાય લેવામાં કશું ખોટું નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૪, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ખુલાસો ફેરફાર કરો

"સરસ્વતીચંદ્ર' પુસ્તક કૉપીરાઈટ હેઠળ છે તે જણાવનાર ભાઈ સાથે ફરી વાત થઈ. તેમને આજે જણાવ્યું કે તે કૉપીરાઈટ સંક્ષિપ્ત આવૃત્તિ સંબંધના છે જે પાછળથી પ્રકાશિત થઈ હતી. તે ખુલાસો થતાં અને ઉપર ધવલભાઈએ જણાવેલ લોજીકની વાત જણાવતા એમ લાગે છે કે "સરસ્વતી ચંદ્ર"ની મૂળ આવૃત્તિ સાર્વજનિક પ્રજ્કાશનાધિકાર હેઠળ આવી હશે. તો આગામી પરિયોજના સ્વરૂપે તેને લઈ શકાય છે. પરિયોજના ૧૪ તરીકે તેને લઈ શકાય તેમ છે. આ પુસ્તક માટે વ્યોમ ભાઈ નો આગ્રહ રહ્યો છે તો વ્યોમ શું તમે આ પુસ્તકનું સંચાન સંભાળશો? પરિયોજના થોડી મોટી છે તે માટે વ્યવસ્થાપન માટે બે જણ હોય તો સારું. અશોકભાઈએ ઘણાં સમયથી વવસ્થાપન કર્યું નથી. તો તેઓ પણ જોડાઈ તેઓ બંને જુન્નગઢના છે તો તે પણ સરળતા રહેશે. જો આપને અનુકુળ લાગે તો જણાવશો. --Sushant savla (talk) ૨૨:૦૦, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

મારે પુસ્તક શોધવું પડશે કારણ કે મારી પાસે જે હતું તે એક મિત્રને આપેલ છે માટે જો અશોકભાઈ પાસે હોય તો હું સોમવારે તેઓ કહે તે રીતે તેમની પાસેથી મેળવી લઈ અને સ્કેન અથવા ફોટા પાડી લઈશ. પુસ્તકના ચાર ભાગ છે અને આશરે કુલ ૧૭૦૦ પાનાં થાય છે માટે મારા માનવા મુજબ પહેલા ભાગને પણ જો બે ભાગ (૧.૧ અને ૧.૨) પાડી દઈએ અને પરિયોજના ૧૪ તરીકે ૧.૧ લઈએ અને પરિયોજના ૧૭ કે ૧૮ તરીકે ૧.૨ લઈએ તો સારું રહેશે. પછી તો પુસ્તક હાથમાં હોય તો વધુ સારો નિર્ણય લઈ શકાય માટે જો કોઈ મિત્ર પાસે પુસ્તક હોય તો તે જણાવે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૬, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

સંપાદકના હક્કો (પ્રકાશનાધિકાર) ફેરફાર કરો

ઉપરના સંદેશામાં વ્યોમભાઈએ એક ખૂબ જ અગત્યનો મુદ્દો વર્ણવ્યો છે, તે છે સંપાદકના હક્કનો. હાલમાં સતિષભાઈના નેતૃત્વ હેઠળ જે પરિયોજના ચાલી રહી છે તે પુસ્તક કાશ્મીરનો પ્રવાસનો પ્રસ્તાવ મુકતી વેળા પણ મેં એ વાત જણાવી હતી. કેમકે એ પુસ્તકની જે આવૃત્તિ મારી પાસે છે અને જેના પર આપણે સૌ કામ કરી રહ્યા છીએ તે સંપાદકિય આવૃત્તિ છે.હવે મૂળ મુદ્દા પર આવું તો, કાશ્મીરનો પ્રવાસમાં અનેક જગ્યાએ પાદનોંધ (footnotes) આવે છે. આ બધી જ પાદનોંધો પુસ્તકની તે પહેલાની આવૃત્તિઓ તૈયાર કરનાર (કે કાશ્મીરનો પ્રવાસ આ પહેલા જ્યાં પણ છપાયો હોય તે છાપનાર) સંપાદકની છે. એટલે સ્પષ્ટપણે એ કલાપીનું પોતાનું લખાણ નથી. અને તેથી તેના પર કલાપીનો પોતાનો પ્રકાશનાધિકાર નથી. એનો અર્થ એમ કે તે કલાપીના પ્રકાશનાધિકારથી મુક્ત છે. પરંતુ શું તે પાદનોંધો તેમના મૂળ લેખકના પ્રકાશનાધિકારથી મુક્ત છે? કદાચ ના (અને કદાચ હા). આપણે નૈતિક મુલ્યો સાથે સાહિત્યને અહિં ઉપલબ્ધ કરાવવાનું આ કામ હાથ પર લીધું છે, ત્યારે આપણા સૌની જવાબદારી એ રહેવી જોઈએ કે આપણે કોઈના પણ કોઈ પણ પ્રકારના હક્ક પર અજાણતે પણ તરાપ ન મારીએ. એટલે મારી નમ્ર વિનંતિ છે આ પુસ્તકમાં રહેલી પાદનોંધોને આપણે બાકાત રાખવી જોઈએ. હા, જો કોઈ રીતે આપણે એ વાતની ખરાઈ કરી શકતા હોઈએ કે NBJ (નરહર બાલકૃષ્ણ જોષી) અને MND (મણિલાલ નભુભાઈ દ્વિવેદી) નામથી લખાયેલી આ ટિપ્પણીઓ પ્રકાશનાધિકારથી મુક્ત છે, તો જ તેને અહિં રહેવા દેવી. અને આ જ વાત ભવિષ્યમાં હાથ પર લેવાનારા પુસ્તકો માટે પણ લાગુ પાડવી જોઈએ તેમ પણ મારો આગ્રહ છે. જો કે આપણે બધા જ નિર્ણયો સહિયારી રીતે લીધા છે એટલે અન્ય મિત્રોના મત જાણીને જ આગળ ચાલવું પસંદ કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૨, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ધવલભાઈ જોડે સહમત, ટિપ્પણીઓ જો સંપાદક વગેરેની હોય અને પ્રકાશન અધિકાર અજ્ઞાત હોય તો આપણે તે હટાવી દેવા જોઈએ. --Sushant savla (talk) ૧૧:૩૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારા ખ્યાલથી આપણે ટિપ્પણીઓ દૂર કરવી જોઈએ અને જ્યારે ચોખવટ થાય ત્યારે પાછળથી ચડાવી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મેં હમણાં જ લખાણ ચઢાવ્યું તેમાં એક પાદનોંધ હતી તે ચડાવી. પણ આ ચર્ચા સાથે સહમત છું. એ હટાવી દઉં છું. જ્યાં સુધી પ્રકાશનાધિકાર સ્પષ્ટ ન હોય ત્યાં સુધી, મૂળ લેખકે લખેલી રચના ઉપરાંતનું ન જ લખીએ તે ઠીક જણાય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૦, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પૃષ્ઠ સંખ્યા ફેરફાર કરો

મિત્રો, આજે ૧૩.૦૧.૨૦૧૩ના દિવસે સ્રોત પર કુલ પૃષ્ઠ સંખ્યા ૧,૮૮૮નો આંકડો દર્શાવે છે. આપણા વિકિસ્રોતની પહેલી વર્ષગાંઠ ૨૭ માર્ચના દિવસે આવે છે, તો તે દિવસ સુધી આપણે કુલ પૃષ્ઠ સંખ્યાને ૨,૦૦૦ સુધી પકડાવાનું લક્ષ્ય રાખીયે તો કેમ? આ માટે કવિતાનો માર્ગ સરળ છે. પૃષ્ઠ સંખ્યા ઝડપથી વધે છે. તો ચાલુ પરિયોજના ક્રમાંક ૧૩ પતે એ પછી આપણે એકલ કવિતાઓ લઈએ તો? આપ સૌ મિત્રોનો શું વિચાર છે?--Sushant savla (talk) ૨૩:૦૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

સસર વિચાર છે, પરંતુ વિકિપીડીયા અને વિકિસ્રોતમાં એ જ અંતર છે. ત્યાં પૃષ્ઠ સંખ્યા જોવામાં આવે અને અહિં કૃતિઓની સંખ્યા. આપણી પાસે જેટલી કૃતિ વધુ હશે તેટલું સારું, ફક્ત આંકડાઓ મોટા દેખાડવાને બદલે કંઈક ઠોસ કાર્ય કરીને આપણી ઉપલબ્ધી દર્શાવવી વધુ સારું નહી રહે? કવિતાઓ લખનારા અને ઇન્ટરનેટ પર મુકનારા અનેક લોકો છે, અરે આપણે ખુદે જ ઘણું પદ્ય સાહિત્ય બ્લૉગ્સ પરથી ઉઠાવીને અહિં મુક્યું છે, શું આપણને એક પણ ગદ્ય કૃતિ ક્યાંયથી ટાઈપ થયેલી મળી? બસ એ જ ફરક છે, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૩, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
હાજી, ક્વોલિટી તો જોવે જ ને વળી તે ગદ્ય હોય કે પદ્ય. અને સ્રોતના સંદર્ભમાં ક્વોલિટી ઉણી હોવાનો પ્રશ્ન જ નથી. હવે તો અક્ષરાંકન પરિયોજનાઓમાં ફરીથી આપનો અને સાથે સાથે રૂપલબેન, ધ્રુવભાઈ , ઉન્નતિ બેન જેવા નવા સૌ મિત્રોનો સહભાગ મળ્યો છે તો ૧૧૨ ખૂટતા પાના - સંપૂર્ણ ગદ્યના પણ મૂકી શકાય. (સમજી લો કે ૧૧૨ પ્રકરણો કે ૧૧૨ વાર્તાઓ) પણ સમયની વ્યસ્તતાને કારણે એ શક્ય નથી. અલબત્ અહીં તો એવી કવિતાઓ સ્રોત પર ચડાવવાની વાત છે જે અન્ય બ્લોગ આદિ સાઈટ કે ઈન્ટર નેટ પર અન્યત્ર નહિ હોય અને જે પુસ્તક સ્વરૂપે મળતી નથી. વારુ, એક બીજી વાત શું પુસ્તક ચડાવવું એ જ ઠોસ કાર્ય છે? કવિતા ચડાવવી એ અ-ઠોસ કાર્ય કેમ ગણી શકાય ? અને કવિતાની એકલ કૃતિને કારાણે આંકડો વધે એ તો સારી જ વાત છે ને! મારું તો માનવું છે કે આંકડા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો હું એમ કહું કે મારી પાસે ૧૦ પુસ્તક છે અને તમે એમ કહો કે તમારી પાસે તે જ દસ પુસ્તકો ઉપરાંત ૧૫૦૦ કાવ્યની અન્ય છુટક કૃતિઓ છે તો કોનું વજન કે મુલ્યાંકન વધે? તમારું જ ને ? :) આંકડા એ આપણા વિકાસને આંકવાનું એક સાધન છે. એક લક્ષ્ય નક્કી કરી ત્યાં સુધી પહોંચવાનું સાધન છે. બાકી અહીં આંકડઓના બણગા ફૂંકવાનો ઉદ્દેશ્ય નથી. આતો એક વર્ષ પૂરું થાય છે, અને ૨૦૦૦નો રાઉન્ડ ફીગર નજીકમાં જણાય છે એટલે વિચાર મૂક્યો. બાકી અન્ય સભ્ય મિત્રોના વિચાર જાણીએ અને વિચાર કરીએ. -Sushant savla (talk) ૧૮:૫૫, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
૨૦૦૦ નો ટાર્ગેટ રાખવો એ સારી વાત છે અને તે કોઈપણ પ્રકારે હાંસલ કરવો એમ મારૂં માનવું છે. પુસ્તક હોય તો એ ચડાવો, છૂટક કાવ્ય હોય તો એ ચડાવો ગમે તે ચડાવો પણ ૨૦૦૦ સુધી પહોંચો કારણ કે એનાથી એક માનસિક ટેકો મળી શકે એમ હું માનું છું અને જે નક્કી થાય તે તરફ મક્કમ રહીને આગળ વધો. એક અન્ય વાત મારી પાસે દલપતરામનું એક પુસ્તક દલપતકાવ્ય ભાગ ૨ છે. પણ તે દલપતરામ દ્વારા પ્રકાશિત છે કે કોઈ અન્ય દ્વારા તે મને સમજાતું નથી. હું આજે સાંજે મિત્રોને ફોટા મોકલું છું આપની સલાહની જરૂર છે. આ પુસ્તક આખું કાવ્યોનું જ છે એમ શીર્ષક પરથી આપ સમજ્યા હશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૦૬, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ પૃષ્ઠસંખ્યામાં એકાએક ૧૦ નો વધારો કેવી રીતે થયો?--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૧, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચોક્કસ સમયાંતરે વિકિના પ્રોગ્રામ ગણતરી કરી લેખની સંખ્યાનો આંકડો આપે છે. તમારા કોમ્યુટરની કેચેની મેમરીમાં ઘણી વખત પાનું સંગ્રહાઈ જતાં ત્ જુના આંકડા બતાવે છે. અલબત તે ૧૮૮૮ના આંકડા પછી, આતે શી માથાફોડના નવા પ્રકરણો અને ત્રણેક નવી કવિતાઓ અને એકાદ પ્રકરણ ચડ્યા છે આથી આ આંકડો વધેલો છે.--Sushant savla (talk) ૨૦:૦૨, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
Cache મેમરી તો હું રોજબરોજ ક્લિયર કરતો રહું છું કારણ કોમ્પ્યુટરમાં જગ્યાની મારામારી છે, પણ બની શકે કે કાલે ઉમેરેલ કાવ્યો આજે પૃષ્ઠસંખ્યા વધારે બતાવતાં હોય.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૫, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
જે આંકડા કેવી રીતે બદલાય છે તેની પણ આપણને જાણ નથી, ગમે ત્યારે અચાનક બદલાઈ જાય છે, તે આંકડાઓની રમતમાં આપણે પડી રહ્યા છીએ? ખરેખર?
સુશાંતભાઈ, તમારા આંકડાઓવાળા દૃષ્ટાંતના પ્રશ્નનો જવાબ હું અન્ય એક દૃષ્ટાંતથી આપવાનું પસંદ કરીશ. મારી વર્ષગાંઠને દિવસે મને શું ભેટ મેળવવી ગમે તેના ત્રણ પર્યાયો હોય, ૧. વીસ લખોટીઓ, ૨. ૫૨ (અંકે બાવન પૂરા) ગંજીફાના પત્તાની જોડ અથવા ૩. એક જીન્સનું પેન્ટ, તો હું સંખ્યામાં સૌથી વધારે એવા બાવન જેવી માતબર રકમના પત્તાઓ કે વીસ જેટલી મોટી સંખ્યાની લખોટીઓ મેળવવા કરતા બે જ બાંય વાળું ફક્ત એક જ પાટલૂન મેળવવાનું વધારે પસંદ કરીશ. સંખ્યા અને ગુણવત્તા (ક્વોલિટી અને ક્વોન્ટિટી)ની સરખામણીનો આ પણ એક પ્રકાર છે. અસ્તુ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારું એમ માનવું છે કે આપણે આખી પેન્ટ શર્ટની જોડીઓના ઢગલા કરવામાં જ ધ્યાન આપીએ. હાલની પરિયોજના આતેશી માથાફોડ રાબેતા મુજબની ગતિથી સમયસર પતાવીશું તો પ્રકરણો નાનાં હોવાને કારણે આપણે સુશાંતભાઈનો આંકડો ધવલભાઈની ગુણવત્તા સાથે પાર કરી જ જવાના છીએ. ચાલો મિત્રો કામે લાગો. વર્ષ પૂર્ણ કરી ૨૭ માર્ચના દિને જ સભાખંડમાં આવીશું એમ નક્કી કરીએ, બરાબર ? (જવાબની જરૂર નથી- નવા પ્રકરણોમાં આપની યોગદાન-શક્તિને કામે લગાડશો એવી વિનંતી)--સતિષચંદ્ર (talk) ૧૧:૫૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઈએ જણાવ્યું: ’જવાબની જરૂર નથી !’ તેઓ સાથે સહમત થતાં, હું જવાબ આપવાને બદલે નવા પ્રકરણોમાં લાગી પડું છું !! :-) ----અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૩૯, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Wikimedia sites to move to primary data center in Ashburn, Virginia. Read-only mode expected. ફેરફાર કરો

(Apologies if this message isn't in your language.) Next week, the Wikimedia Foundation will transition its main technical operations to a new data center in Ashburn, Virginia, USA. This is intended to improve the technical performance and reliability of all Wikimedia sites, including this wiki. There will be some times when the site will be in read-only mode, and there may be full outages; the current target windows for the migration are January 22nd, 23rd and 24th, 2013, from 17:00 to 01:00 UTC (see other timezones on timeanddate.com). More information is available in the full announcement.

If you would like to stay informed of future technical upgrades, consider becoming a Tech ambassador and joining the ambassadors mailing list. You will be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Thank you for your help and your understanding.

Guillaume Paumier, via the Global message delivery system (wrong page? You can fix it.). ૨૦:૪૮, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST) ઉપરના સંદેશાનો સારાંશ આપણી ભાષામાં: આપને જણાવવાનું કે આ મહિનાની ૨૨, ૨૩ અને ૨૪ તારીખ એટલે કે મંગળ, બુધ અને ગુરુવાર દરમ્યાન વિકિમીડિયાના બધા જ જાળસ્થળો (વેબસાઇટ્સ) જે સર્વર્સ પર વસેલા છે તે સર્વરોનું સ્થળાંતર કરવામાં આવનારૂં છે, જેને કારણે વર્ષો પહેલાના દૂરદર્શન પર આવતો સંદેશો "રૂકાવટ કે લીયે ખેદ હૈ!" યાદ આવી જાય તેવું બનશે. હાલમાં વિકિમીડિયા (જેમાં વિકિપીડીયા, વિકિસ્રોત, વિક્શનરી, કોમન્સ, વગેરે બધાનો સમાવેશ થઈ જાય છે તે)ના બધા જ ડેટા અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરમાં આવેલા સર્વરો પર હૉસ્ટ કરવામાં આવે છે. આ બધો જ ડેટા હવે નવા સર્વરો કે જે અમેરિકાના જ વર્જિનિયા રાજ્યના એશબર્ન શહેરમાં રહેલા છે તેના પર તબદિલ કરવામાં આવશે. એશબર્નમાં આખું નવું ડેટા સેન્ટર બનાવવાનું કાર્ય ૨૦૧૦માં શરૂ થયું હતું જે હવે સંપૂર્ણ થયું છે. ઉપર જણાવેલી ત્રણ તારીખોએ ભારતીય સમય મુજબ રાતના ૧૦.૩૦ વાગ્યાથી સવારે ૬.૩૦ વાગ્યા સુધી વિકિની બધીજ સાઇટ્સ મોટે ભાગે ફક્ત રીડ ઑન્લી મોડમાં ચાલશે, એટલે કે તેમાં કોઈ ફેરફારો કરી શકાશે નહિ ફક્ત વાંચવા માટે જ ઉપલબ્ધ હશે. જો કે શક્ય છે કે થોડો સમય એવો પણ હોય જે દરમ્યાન વિકિપીડિયા કે અન્ય સાઇટ્સ સદંતર બંધ હોય. જો તેમ બને તો ગભરાશો નહિ, બાકીના સમયમાં તે રાબેતા મુજબ કામ કરતી હશે.[ઉત્તર]

સદ્‌ભાગ્યે, સમય એવો છે કે ભારતવાસીઓને કદાચ બહુ વાંધો નહી આવે. પણ આપણા ગુજરાતીઓ જે બહારના દેશોમાં વસેલા છે તેમને 17:00 થી 01:00 UTC દરમ્યાનની આ સમયબારી કદાચ નડે. પેલુ કહે છે ને કે, "કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હૈ!", તો બસ એને યાદ કરવાનું અને આ ત્રણ દિવસોએ વહેલા ઊંઘી જવાનું :-)

વધુ માહિતી બ્લૉગરૂપે અહિં લખેલી મળશે. --ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૬, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત પરિયોજના ૧૪ ફેરફાર કરો

મિત્રો, આપ સૌના ઉમળકા ભર્યા પ્રતિસાદથી પરિયોજના ૧૩ - આ તે શી માથાફોડ લગભગ ૫૦% પૂર્ણ થઈ ગઈ છે અને તેના બધા પ્રકરણો વહેંચાઈ ગયા છે. આ સાથે હવે પરિયોજના ૧૫ પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. પરિયોજના ૧૫ શરૂ કરવા ગઈ ચર્ચાનો વિષય-સરસ્વતીચંદ્ર અને માટે મારી પાસે ઉપલબ્ધ એવા કેટલાક અન્ય વિકલ્પો જણાવું છું

પુસ્તક લેખક નોંધ
સરસ્વતીચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી (નવલકથા) પુસ્તક પ્રાપ્ત નથી. આ પુસ્તક ઘણું મોટું હોવાને કારણે તેમાં પૃષ્ઠ સંખ્યા વહુ હોવાને કારણે પરિયોજનાને OCR માટૅ રાખી તો વધુ સારું. જો OCR કામ ન આપે તો તેનું આપણે ટાઈપિંગ શરૂ કરીશું.
લક્ષ્મી નાટક દલપતરામ (નાટક) પુસ્તક ઉપલબ્ધ, નાનું પુસ્તક-લગભગ ૪૦ પૃષ્ઠ
ગંગાબાઈ જમનાબાઈની વાત દલપતરામ (નાટક) પુસ્તક ઉપલબ્ધ, નાનું પુસ્તક-લગભગ ૩૦ પૃષ્ઠ
ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ દલપતરામ (નિબંધ) પુસ્તક ઉપલબ્ધ, નાનું પુસ્તક-લગભગ ૧૯ પૃષ્ઠ
કથન સપ્તશતી દલપતરામ (૭૦૦ કહેવતનો સંગ્રહ) પુસ્તક ઉપલબ્ધ, નાનું પુસ્તક-લગભગ ૨૬ પૃષ્ઠ
નરસિંહ મહેતાના અને મીરાંબાઈ ના છૂટક પદો સંપાદન કાર્ય પુસ્તક ઉપલબ્ધ, આ રચનાઓને એકલ રચના તરીકે જ ચડાવી શકશે અને તે સ્રોત પર પહેલેથી મોજૂદ તો નથી તે ચકાસવું પડશે.
સ્ત્રીસંભાષણ દલપતરામ (નાટક) પુસ્તક ઉપલબ્ધ, નાનું પુસ્તક-લગભગ ૩૦ પૃષ્ઠ
તાર્કિક બોધ દલપતરામ (લેખ) પુસ્તક ઉપલબ્ધ, ૧૫ વિષય , લગભગ ૬૦ પૃષ્ઠ

આ સિવાય અન્ય મિત્ર પાસે કોઈ પુસ્તક ઉપલબ્ધ હોય અને તેને જો તેઓ ચડાવવા માગે તો તેમને પોતાન વિચારો મુકવા સહર્ષ આમંત્રણ છે. --Sushant savla (talk) ૧૭:૩૬, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

મારું તો મંતવ્ય અવું છે કે આ બધા જ પુસ્તકો નાનાં-નાનાં હોવાથી બધાને સમુહમાં એક જ પરિયોજના અંતર્ગત સમાવી લેવા. સામાન્ય રીતે આપણી મોટાભાગની પરિયોજનાઓ ૨૦૦-૨૫૦ પાનાંની તો હતી જ. આ બધાજ પુસ્તકોનો સરવાળો કરતા ૨૦૫ પૃષ્ઠ થાય છે, જે આપણી કોઈ પણ એક પરિયોજનાના કદની જ થાય. એકંદરે આપણે ૮-૧૦ સભ્યો પણ જો આમાં જોડાઈએ તો બધાને ભાગે ૨૦-૨૫ પાનાં જ આવે, જે સાહજિકતાથી જ પૂર્ણ થઈ શકે તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સારો વિચાર છે. આપણે પરિયોજના દલપત સાહિત્ય કે દલપત ગદ્ય નામે શરૂ કરી શકીએ. અન્ય મિત્રો શું કહે છે? --Sushant savla (talk) ૨૦:૨૨, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સહમત. ’દલપતરામ સાહિત્ય’ નામે ઉપરોક્ત સઘળાં પુસ્તકોને સમાવતી એક પરિયોજના વાજબી થશે. (એક વિનંતી: પરિયોજના સંચાલકશ્રીએ સૌ પ્રથમ પોતે કરવા ધારેલી ગોઠવણી પ્રમાણે, ચોકસાઈપૂર્વકની, અનુક્રમણિકા તૈયાર કરી જ લેવી. આ બાબત દરેક પરિયોજના માટે આગ્રહભેર કરવી તેવી સૌ સંચાલકશ્રીને વિનંતી. બીજું "હેડરનો ઢાંચો" દરેક માનવંતા સભ્યશ્રીએ ચોકસાઈપૂર્વક, જેમ હોય તેમ જ, મેલવો. એકવાક્યતા જળવાઈ રહે તે માટે આ વિનંતી ધ્યાને લેશોજી.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૩૦, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી સલાહ એવી છે કે એક કેન્દ્રીય પાનું બનાવો જેને નામ આપો ઉદા. તરીકે વિકિપરિયોજના:દલપતરામ અથવા દલપતરામ સાહિત્ય અને તે પાનાં પરથી જ આખી યોજનાનું સંચાલન કરો. એક પછી એક પુસ્તક લેતા જાવ અને જે તે પુસ્તકનું પાનું બનાવી તેના પર અનુક્રમ વગેરે બનાવી કાર્ય શરૂ કરો. મિત્રોને જોડાવા માટેનું સ્થળ, પરિયોજના વિકાસ, પ્રકરણ વહેંચણી વગેરેની નોંધ આ કેન્દ્રીય પાનાં પર રાખો એમ કરવાથી અલગ અલગ પુસ્તકનાં પ્રકરણો એકસાથે વહેંચી શકાશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૧૪, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઉપર જણાવેલ ચર્ચને મિત્રોની સહમતિ સમજીને તે પરિયોજના ચાલુ કરવા માટે તૈયારી શરૂ કરી દઉં છું. અન્ય સુઝાવ હોઅ તો જણાવશો. --Sushant savla (talk) ૦૭:૫૯, ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારા (ટાઈપીંગ બાબતે) સક્રિય સહયોગની ઉમેદવારી સાથે સહમતિ. -- --Amvaishnav (talk) ૧૦:૦૫, ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

૨૦૦૦ પૃષ્ઠ પૂર્ણ ફેરફાર કરો

  ૨૦૦૦ પૃષ્ઠ પૂર્ણ
મિત્રો, આજે ૨૨-૦૧-૨૦૧૩ ના દિવસે વિકિસ્રોતે કુલ મળીને પોતાના ૨૦૦૦ પૃષ્ઠ પૂરા કર્યા છે. આ સ્તર સુધી પહોંચાડવામાં સૌ મિત્રોનો ફાળો અમૂલ્ય હતો. સહકાર્ય માટે આપ સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર. આ પ્રવાસ દરમ્યાન ઘણી પરિયોજના અત્યંત શિસ્તબદ્ધ રીતે ચાલી. હજારો કવિતાઓ ઉમેરાઈ, નવા નવા પ્રયોગો હાથ ધરાયા. આવો જ હૂંફાળો સહયોગ આગળ પણ આપતા રહેશો. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Sushant savla (talk) ૦૭:૧૮, ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપને અને સૌ મિત્રોને આ મુકામ હાંસલ કરવા માટે ખૂબ આભાર. વાત કદાચ જૂની લાગે પરંતુ હું કહીશ કે આ તો એક મહત્વનો મુકામ છે હજુ સફર ઘણી લાંબી છે. આપણે આવા જ જુસ્સા સાથે આગળ વધીએ. માર્ચ ૨૭ ને હજુ બે મહિના કરતા વધુ સમયની વાર છે અને આ મુકામ હાંસલ કરી લીધો છે માટે હવે વધુ મહાત્વાકાંક્ષી બનીએ તો ખોટું નથી અને ૨૨૦૦ પૃષ્ઠો સુધી પહોંચી શકાય તો ઉત્તમ પરંતુ અગાઉ થયેલ ચર્ચા મુજબ આપણે આપણા નક્કી માર્ગ પર ચાલવાનું છે. પૃષ્ઠસંખ્યા માટે ગુણવત્તાની બાંધછોડ આપણને પાલવે નહિ. આટલું લાબું ભાષણ કરવા બદલ માફી આપશો પરંતુ મેં મારા સંપૂર્ણ વિચારો દર્શાવ્યા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૪૨, ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ આપને અને વિકિસ્રોતના સૌ સભ્યોને ખોબલે ખોબલે અભિનંદન આ વિરલ ઘડીએ. આશા રાખીએ કે આપણી પ્રથમ વર્ષગાંઠ વખતે હજી વધુ રોમાંચક આંકડો આપણી પાસે હોય. વ્યોમભાઈ, આવા જુસ્સાદાદ ભાષણો તો ટૂંકા હોય તો મજા ન આવે, એટલે લાંબું એટલું સારૂં.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૦, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
વિકિસ્રોત પર કાર્યરત સૌ સાથી મિત્રો, પરિયોજના સંચાલકશ્રીઓ અને માનવંતા પ્રબંધકશ્રીઓ, અને હા, વિકિસ્રોત પર આપણે ચઢાવેલી કૃત્તિઓનું રસપાન કરતા વાચકો પણ કેમ વિસરાય, સૌને આ ૨૦૦૦માં પગથીયે પહોંચ્યા બદલ અંતઃકરણપૂર્વક અભિનંદન. અમોને તો ગિરનાર સર કરવાનો થોડોઝાઝો અનુભવ, આશરે ૧૦,૦૦૦ પગથીયાં છે. ઘણાં લોકોને, ’ઓ..હો..હો ! દસ હજાર ! ક્યારે અને કેમ કરીને ચઢી લઈશું !’ એમ વિચારી તળેટીએથી પાછાં ફરતાં જોયા છે. પણ ચઢાઈ તો ત્યારે જ સહેલી અને સફળ બને જ્યારે નજર સામે હવે પછીનું એક પગથીયું હોય. બીજું તો આ એક ચઢ્યા પછી ચઢવાનું ને ! આમ, એક એક પગલું માંડતા આપણે ૨૦૦૦ સર કર્યા (અને એ પણ સુંદર અને સમૃદ્ધ કાર્ય દ્વારા, નહિ કે કૂદાવતા ગયા !). તો હવે બીજાં ૨૦૦ ક્યાં છેટાં છે ?! (આમ તો અહીં ૨૦૦ લખવાનાં હતાં ! પણ લખાઈ ગયું ૨૦૦૦ !! ઉત્સાહ, બીજું શું !!!) હો જાઓ તૈયાર સાથીયો, હો જાઓ તૈયાર !!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
એ હિસાબે તો અશોકભાઈ હજુ માળી પરબ પણ દૂર છે....!!!;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૦૩, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સર્વે સહયોગી મિત્રોને અભિનંદન, અભિનંદન, અભિનંદન !!! --સતિષ પટેલ (talk) ૨૧:૫૧, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
2222 નો રોમાંચ કેવો રહેશે?--Sushant savla (talk) ૨૨:૨૫, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
અ ૨૨૨૨.... ના આંકડો માત્ર ૧૦૦ પૃષ્ઠ દૂર...... :)--Sushant savla (talk) ૨૧:૦૭, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
અ ૨૨૨૨.... ના આંકડો માત્ર ૧૧ પૃષ્ઠ દૂર...... :)--સતિષ પટેલ (talk) ૧૧:૧૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધાર્યા કરતાં ઘણો વહેલો વહેલો!!! :)--Sushant savla (talk) ૧૯:૨૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મોટાભાગની સંસ્થાઓમાં અને સરકારોમાં કોઈ અંદાજ પછી તે વિકાસનો હોય કે આવકનો; મહાત્વાકાંક્ષી આંકડો નક્કી કર્યા બાદ સમયાંતરે તેને રીવાઈઝ કરવો પડતો હોય છે નીચેની તરફ (સિવાય કે આંકડો ખર્ચનો હોય), જ્યારે આપણે બે વખત તો ધારેલ આંકડો રીવાઈઝ કરીને આગળ વધુ મહાત્વાકાંક્ષી આંકડો આપ્યો છે માટે હવે કોઈ આંકડો નક્કી કરવા કરતાં કામ કરતાં જઈએ. આંકડો નક્કી કરવાનું ના પાડવાનું કારણ એ કે કોને ખબર કદાચ ત્રીજી વાર પણ આંકડો ઉપરની તરફ રીવાઈઝ કરવો પડે? જોકે લાલચ બૂરી બલા અને છોકરાને કરવાની ના પાડો તે પહેલા કરે માટે મને લાગે છે કે ૩૧ માર્ચે ૨૩૦૦નો આંકડો તો હશે જ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૫, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Help turn ideas into grants in the new IdeaLab ફેરફાર કરો

 

I apologize if this message is not in your language. Please help translate it.

  • Do you have an idea for a project to improve this community or website?
  • Do you think you could complete your idea if only you had some funding?
  • Do you want to help other people turn their ideas into project plans or grant proposals?

Please join us in the IdeaLab, an incubator for project ideas and Individual Engagement Grant proposals.

The Wikimedia Foundation is seeking new ideas and proposals for Individual Engagement Grants. These grants fund individuals or small groups to complete projects that help improve this community. If interested, please submit a completed proposal by February 15, 2013. Please visit https://meta.wikimedia.org/wiki/Grants:IEG for more information.

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation ૦૧:૫૬, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)

પ્રસ્તાવીત પરિયોજના ૧૫ ફેરફાર કરો

મિત્રો, વિહરમાન પરિયોજનાઓ આતે શી માથાફોડ અને દલપત સાહિત્ય લગભગ ૭૦% પૂર્ણ થઈ છે. હવે પરિયોજના ૧૫ હેઠળ કયું પુસ્તક લેવું તે વિષે વિચાર કરવો જોઈએ. આ માટે એક પ્રસ્તાવ અશોકભાઈ દ્વારા માણસાઈના દીવા આ પુસ્તક ચઢાવવાનો છે. માણસાઈના દીવા એ પુસ્તક અશોકજી પાસે ઉપલબ્ધ છે. અને તેમણે પરિયોજના સંચાલનની તૈયારી દર્શાવી છે. અન્ય મિત્રોના શું વિચારો છે તે નીચે જણાવશો. --Sushant savla (talk) ૦૮:૦૩, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

કરીએ કંકુનાં. ટાઇપીંગમાં મારો સહયોગ તો ગણશો જ. દલપત સાહિત્યનું મારા ભાગે લીધેલું કામ્ હું આવતા બે એક દિવસમાં પૂરું કરી શકીશ. -- --Amvaishnav (talk) ૨૨:૪૬, ૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સહમત--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૬, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
શત્ પ્રતિશત્ સહમત!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચાલો મિત્રો પ્રતાવિત પરિયોજનાની શરૂઆત કરો કેમ કે હાલમાં અનાસક્તિયોગ (માત્ર પ્રસ્તાવના અપૂર્ણ), આ તે શી માથાફોડ (ભૂલશુદ્ધિ કાર્ય ચાલુ) અને દલપત સાહિત્ય (માત્ર ગંગા-જમના:બીજો દાખલો અપૂર્ણ) એકદમ અંતિમ તબક્કામાં છે. જે લગભગ એક-બે દિવસમાં પતી જશે. --સતિષ પટેલ (talk) ૨૧:૫૮, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
હાજી સતીષભાઈની વાત એકદમ યોગ્ય છે. હવે આપણે પરિયોજના શરૂ કરી શકીશું. --Sushant savla (talk) ૨૨:૦૮, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

હિંદ સ્વરાજ્ય અને સર્વોદય ફેરફાર કરો

મિત્રો આ પુસ્તકો અન્ય ભાષાઓ એટલે કે અંગ્રેજી અને ફ્રેન્ચ વિકિસ્રોત પર સંપૂર્ણ ઘણા સમય પહેલાથી મુકાય ગયેલાં છે જ્યારે હજુ આપણે અહીં અનુક્રમનું જ કામ થયેલું છે માટે મારી એવી અરજ છે કે આપણે માણસાઈના દીવા પ્રગટાવી લઈએ પછી વહેલામાં વહેલી તકે આ બંને પુસ્તકોને ન્યાય આપીએ કારણ કે આપણી ભાષામાં મૂળ લખાયેલ પુસ્તક અન્ય ભાષામાં ઉપલબ્ધ હોય અને આપણા સ્રોત પર ન હોય તે પરિસ્થિતિ મારી સમજ અને સહનશક્તિની બહાર છે. કોઈ મિત્ર આ વિષે સારો વિચાર ધરાવતા હોય તો જણાવો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

તત્ કુરુ!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
હાલની પૂરક પરિયોજના અનાસક્તિયોગ પૂર્ણતાને આરે છે, પૂર્ણ થાય એટલે આ બંને પુસ્તકો પૂરક પરિયોજના તરીકે લઈ શકાય. હાલમાં પૂરક પરિયોજનામાં પ્રકરણ વહેંચણી પૂર્ણ થઈ ગયેલ છે.--સતિષ પટેલ (talk) ૨૩:૪૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
જો કોઈ મિત્ર પાસે આ પુસ્તક ઉપલબ્ધ હોય તો જણાવશો. --Sushant savla (talk) ૨૦:૩૮, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને મળી શકે તેમ છે પરંતુ બે ત્રણ દિવસ લાગશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૫, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રયત્નો ચાલુ રાખજો. આગાળ ઉપર આ પુસ્તકો તુરંત લઈશું. --Sushant savla (talk) ૨૨:૦૯, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પુસ્તક મળેલ છે પરંતુ ઘરે લાવી શકાય તેમ નથી માટે વાંચનાલય ખાતે જઈને ફોટા પાડી લઈશ આજકાલમાં.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સ્કેન કરેલ પૃષ્ઠો ડ્રોપબોક્સ પર ચડાવી દીધા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ --Sushant savla (talk) ૧૯:૫૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

તાજી કૃતિઓ ફેરફાર કરો

મુખપૃષ્ઠ પર દેખાતા ચોકઠામાં તાજી કૃતિઓની યાદિ કંઈક વધારે પડતી લાંબી થઈ રહી હોય તેમ લાગે છે. આટલી લાંબી યાદિ બનવાને કારાણે ડાબી અને જમણી બાજુનું સમતોલન ખોરવાઈ જાય છે. એટલું જ નહી, એક બાજુનું પાનું અડધું કોરૂં દેખાય છે. મુખપૃષ્ઠની ગોઠવણી એવી રીતે કરેલી છે કે લગભગ ૭ (સાત) કૃતિઓની યાદિ હોય તો આખું મુખપૃષ્ઠ સમતુલિત રહે અને જોનારને ગમે. શો-રૂમ અને ઘોડાઉન વચ્ચેનો તફાવત ત્યાં રહેતો નથી. શો-રૂમમાં ફક્ત નમુનાની જ વસ્તુઓ રાખી હોય અને બાકીનું બધુ ઘોડાઉનમાં હોય તેમ આપણે પણ અહિં અમુક જ કૃતિઓની યાદિ રાખવી જોઈએ. જૂના જમાનામાં ઘરોમાં કાચના હાટિયાં (શો-કેસ)માં કાચના કપરકાબી અને એવા અન્ય સાધનો રાખવાની પ્રથા હતી, તેમાં પણ ખાસ પસંદ કરીને અમુક જ કપ-રકાબીઓ રખાતા, બાકીના તો બંધ કબાટમાં કે એમ રખાતા હતા. આપણે પણ અહિં ઉચિત સંખ્યામાં જ કૃતિઓ રાખીએ અને બાકીનું મુલાકાતીઓ પર છોડી દઈએ તો સારૂં નહિ?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

અને રાખેલી કૃતિઓને સમયાંતરે એટલે કે અઠવાડિયે કે પંદર દિવસે બદલાવતા રહીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૩૪, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Please comment on Individual Engagement Grant proposals until February 21 ફેરફાર કરો

 

I apologize if this message is not in your language. Please help translate it.

The Wikimedia Foundation is considering Individual Engagement Grant proposals from community members. Please join the discussion and share your thoughts about these ideas, until February 21. The following proposal may be of particular relevance for this Wikimedia project:

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation ૦૬:૩૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)[ઉત્તર]

પૂરક પરિયોજના - ૨ ફેરફાર કરો

મિત્રો, પૂરક પરિયોજના - ૧ અનાસક્તિ યોગ પૂર્ણ થયેલી છે. હવે પૂર્ક પરિયોજના - ૨ મુકવાનો સમય થઈ ગયો છે. તે માટે આપના વિચારો જણાવશો. મારા મતે આપણે પદ્ય સાહિત્ય - ખાસ કરીને નાની કવિતાઓ - પૂરક પરિયોજના તરીકે લઈએ તો કેમ ? કેમ કે તે નાની હોવાથી વલોણું ઝડપી રહેશે. --Sushant savla (talk) ૨૨:૫૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ ફેરફાર કરો

મિત્રો, એક મહિનામાં આપણા વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ સૌ પધારો એવી આશા. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૪૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

વેબ ગોષ્ઠિ ૧૪ ફેરફાર કરો

આ રવિવારે યોજાનારી ૧૪મી વેબ ગોષ્ઠિમાં અહિં વિકિસ્રોતમાં કાર્યરત મિત્રો પણ જોડાય તેવી અપેક્ષા રાખું છું, કારણ કે આ વખતનો મુખ્ય મુદ્દો છે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટેની તૈયારીઓ પર ચર્ચા કરવાનો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત પરિયોજના ૧૭ ફેરફાર કરો

મિત્રો, પરિયોજના ૧૫ - માણસાઈના દીવા નું ૮૬% અક્ષરાંકન પૂર્ણ થયું છે. અને પરિયોજના ૧૬ -હિંદ સ્વરાજ ૨૪%નું અક્ષરાંકન પૂર્ણ થયુ છે , અને પુસ્તક નાનું હોઇ ઝડપથી પૂર્ણ થઈ રહેશે. આ પરિસ્થિતિમાં નવી પરિયોજના તરીકે કયું પુસ્તક લેવું ? તે વિશે આપના વિચારો મુકશો. એક વિચાર ગાંધીજીનું સર્વોદય પુસ્તક લેવાનો છે. જોકે પુસ્તક હજુ મળ્યું નથી. તે સિવાય પણ અન્ય કોઈ વિચાર હોય તો જણાવશો. જેથી આગામી પરિયોજનાઓમાં તેમને લઈ શકાય.--Sushant savla (talk) ૦૭:૨૮, ૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ સર્વોદય કોઈને મળે તો તે જ લેવું છે પણ તમારી પાસે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ પુસ્તક છે તે આખું છે કે તે ભાગમાં છે. અને જો ભાગમાં છે તો બધા ભાગ છે? કારણ કે મારી પાસે ફક્ત ભાગ ૨ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૩૯, ૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી પાસે એક પુસ્તકમાં બંને ભાગ છે. --Sushant savla (talk) ૨૦:૩૩, ૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મેં મેઘાણીજીનું કંકાવટી (મંડળ-૧ અને મંડળ-૨) સ્કેન કરી ગુગલ પર ચઢાવી પણ દીધું છે, જેમાં વ્રતકથાઓ છે. કુલ પાનાં ૧૮૨, પ્રકરણો ૨ પ્રાસ્તાવિક, મં-૧નાં ૧૮ અને મં-૨નાં ૨૭ મળી કુલ ૪૭ જેટલાં થાય છે. હવે તમે મને લીલી ઝંડી આપી શકો છો.--સતિષ પટેલ (talk) ૦૧:૦૪, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઈ, તો પછી કંકાવટીમાંથી જ કરોને કંકુના? શું કહો છો સુશાંતભાઈ?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૪, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી સહમતી છે સતિષભાઈ...આગળ વધો. બંને પુસ્તક સાથે જ લો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૮, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઉત્તમ વિચાર છે.. સતિષભાઇ, કરો કંકુના.... સીતારામ...મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૦૩, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઈ સાથે કંકુમત --Sushant savla (talk) ૧૮:૫૧, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઈ, કરો કંકુના ! હું પણ હવે શક્ય તેટલી ઝડપે માણસાઈ...નું કાર્ય પૂર્ણ કરી નવી પરિયોજનામાં જોડાઈ જઈશ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

નરસિંહ મહેતાના પદો - ૯૬ ફેરફાર કરો

મિત્રો, આપણા સ્રોત પર ગુજરાતીના આદિ કવિ એવા નરસિંહ મહેતાની ૯૬ રચનાઓ ચઢી છે. સેંચુરી પૂર્ણ કરવા માટે ૪ કૃતિઓની ખપ છે. અત્યારે તો વધુ મળતા કાવ્ય નથી. જો આપની પાસે હોય તો તે ચઢાવીને સદી પૂર્ણ કરવામાં સહાય કરશો. --Sushant savla (talk) ૧૯:૨૧, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Convert complex templates to Lua to make them faster and more powerful ફેરફાર કરો

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians)

Greetings. As you might have seen on the Wikimedia tech blog or the tech ambassadors list, a new functionality called "Lua" is being enabled on all Wikimedia sites today. Lua is a scripting language that enables you to write faster and more powerful MediaWiki templates.

If you have questions about how to convert existing templates to Lua (or how to create new ones), we'll be holding two support sessions on IRC next week: one on Wednesday (for Oceania, Asia & America) and one on Friday (for Europe, Africa & America); see m:IRC office hours for the details. If you can't make it, you can also get help at mw:Talk:Lua scripting.

If you'd like to learn about this kind of events earlier in advance, consider becoming a Tech ambassador by subscribing to the mailing list. You will also be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Guillaume Paumier, via the Global message delivery system. ૦૧:૧૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) (wrong page? You can fix it.)[ઉત્તર]

૨૩૦૦ નો આંકડો પૂર્ણ ફેરફાર કરો

મિત્રો, આજે વિકિસ્રોત પર કુલ પૃષ્ઠ સંખ્યા ૨૩૦૦ના (વ્યોમ ભાઈનું "દિલ માંગે મોર")આંકને સ્પર્ષી ગઈ છે. આપ સૌના અથાગ અને અવિરત યોગદાનને કારણે આ શક્ય બન્યું છે. ભવિષ્યમાં પણ ઉત્સાહ જાળવી રાખશો. આપ સૌને ખૂબ ખૂબ વધાઈઓ. નવું લક્ષ્યાંક "અઢી હજાર" :)--Sushant savla (talk) ૧૮:૫૫, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

હા...હા...હા.. મજા આવી ગઈ...સૌને અભિનંદન શરૂઆત મારાથી!!!;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૦, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
વધાઇ હો સુશાંતભાઈ અને અભિનંદન વ્યોમભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૧, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
અભિનંદન ! અભિનંદન ! અભિનંદન !!!--સતિષ પટેલ (talk) ૦૮:૪૭, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સત્યના પ્રયોગો અને કોપીરાઈટ ફેરફાર કરો

મિત્રો આજે કોઈ સભ્ય Ousia નામના મિત્રે સત્યના પ્રયોગો અથવા આત્મકથાના ચર્ચાનાં પાના પર તે પુસ્તકના કોપીરાઈટ વિશે પ્રશ્ન મૂકેલ છે અને કારણ પણ દર્શાવેલ છે માટે જરા જોઈ લેવા વિનંતી અને અહિં કે ત્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં ચર્ચા કરી યોગ્ય ઉત્તર નક્કી કરવા વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૫, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, આભાર. મેં ત્યાં જવાબ લખ્યો છે. મને તો આમાં પ્રકાશનાધિકારનો કોઈ પ્રશ્ન લાગતો નથી એટલે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. આમે ગાંધીજીના બધા જ પ્રકાશનો નવજીવન ટ્રસ્ટે પ્રકાશનાધિકારથી મુક્ત કરાવી જ દીધા છે એટલે એ દિશામાં બિલકુલ વિચારવા જેવું નથી. છતાં તપાસ કરતા રહીશું. જો તે ભાઈ કહે છે તેમ હોય તો ઝવેરચંદ મેઘાણીનું અને કલાપીનું પણ બધુ સાહિત્ય અહિંથી દૂર થાય. વિચાર કરો, તેમ થાય તો આપણી પાસે શું બચે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
જો યુ.એસ માં સર્વર રાખવાથી ત્યાની દાદાગીરી ખમવી પડે તો આપણે ભારતમાં જ આપણું અલાયદું સર્વર રાખવાની વ્યવસ્થા ગોઠવીશુ. ભલે પછી આપણા પોતાના ખર્ચે કેમ ન કરવું પડે. પણ આ તો ભારે વિચિત્ર વાત થઈ. યુ.એસ. ના કાયદાઓ તેમના દેશ પુરતા મર્યાદિત રહે તો ઠીક. અહિં લાવવામાં આવેલી કોઇ પણ કૃતિ વ્યર્થ વગર વિચારે અહિં નથી આણી. પણ આમ જોતા તો આ એક વિચાર વાયુ જ લાગે છે.... ગભરાવાની જરુર નથી. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
આ જે ભાઈએ મુદ્દો ઉઠાવ્યો છે તેઓ કોઈ પણ સ્રોતપરના સક્રીય સભ્ય નથી. અથવા તેમનું જે તે યોગદાન પ્રકાશનધિકાર સામે વાંધા વચકા કહાડવાનું જ રહ્યું છે. તે ભાઈ વાંધા ઉપાડીને ગાયબ થઈ જાય છે. તેમનું યોગદાન વરસમાં બે ચાર વખત જ થાય છે [૧]. વળી તેઓ જાતે કહે છે કે તેઓ કોઈ કાયદા નિષ્ણાત નથી. આવા મુદ્દે ગભરાઈ જવાની જરાય જરૂર નથી. આવા ઉંબાડિયાને આંખ આડા કાન કરવા. આટલું મહત્ત્વ પણ આપવની જરૂર નથી. --Sushant savla (talk) ૧૬:૪૨, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
તે ભાઈનું યોગદાન તો મેં અહીં લખતાં પહેલાં જ જોયું અને એટલા માટે જ મેં આત્મકથાના ચર્ચાનાં પાના પર જવાબમાં એમ ઉમેર્યું કે "તમને ભાષા આવડતી નથી છતાં આશ્ચર્યની વાત એ છે કે તમે સાચો જ ફકરો કોપી કર્યો." હશે જે હોય તે પણ મને એક જ મુદ્દો વિચારણા યોગ્ય લાગ્યો અને તે છે સર્વરના લોકેશનને લગતો અને મને પણ આ ખોટું પિષ્ટપેષણ જ લાગ્યું પણ ચર્ચા કરવી જરૂરી હતી માટે અહીં લખ્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૫, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ શ્રી.Pablo Rodríguez (સભ્ય નામ: Ousia)નામક સભ્યનો અંગત મત છે. જે ન તો વિકિ પર સક્રિય યોગદાન આપે છે કે ન તો કોઈ પ્રકારની સત્તા કે સલાહ આપવાની યોગ્યતા ધરાવે છે. (એવું એમણે કહ્યું છે ! ’I'm not a lawyer myself and this is no legal advice.’) જો કે કોઈ પણ પોતાનો મત દર્શાવી શકે છે ! એમાં આપણે દૂબળા થવાની જરૂર નથી. સુશાંતભાઈએ અગાઉ જ અંગ્રેજી સ્રોત પર ગાંધી સાહિત્ય હોવાની લિંક્સ આપી છે. અમેરિકાએ બાર્ન કન્વેક્શન પર હકારમાં સહિ નથી કરી એટલે જો કોઈ અમેરિકામાં પ્રકાશનાધિકારનો મુદ્દો, કાયદાની કોરટમાં, ઉઠાવે તો તેઓ તેના દેશના કાયદા પ્રમાણે ચૂકાદો આપે. મૂળ વાત છે પ્રકાશનાધિકારનો દાવો કરતો કોઈ પક્ષકાર ત્યાની કાયદાની કોરટમાં જાય તો... હવે ગાંધી સાહિત્યના પ્રકાશનાધિકાર ધરાવતું કોઈ જ આ કરી શકે, અન્ય કોઈ આમ ન કરી શકે. જો કે મને એક વાતે થોડું દુઃખ થાય છે કે, એક અક્ષર ન પાડનારા આવા લોકો શું જોઈને મરજી પડે ત્યારે આવા ઈસ્યુ લાવતા હશે ? આપણે કંઈ નવરીના બેઠા છીએ ? (જવાબો દેવા ?!!!) જો કે કાગડા બધે જ કાળા !!! આપણામાંના કોઈક તકનિકી જાણકાર મિત્ર હોય તેમણે બૅકઅપ લેતું રહેવું બીજું શું ! બાકી મોજ કરવી, જરૂર પડે તો મને અમેરિકાની જેલમાં મોકલી દેજો ! ઈ દિકરાવનેય ખબર પડે કે કેટલે વીસે સો થાય :-) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભાઈઓ, આ એક ઉંબાડીયું જોઈને તમ સૌનું લોહી ઉકળી ઉઠ્યું તે એ જ વાતની સાબિતી છે કે તમે બધા વિકિને કેટલું ચાહો છો. પરંતુ, આપણે અહિં આ બધી ચર્ચા કરી તે પહેલા મેં તેમને ત્યાં જવાબ આપી જ દીધો છે. આ વિષયે અને અન્ય સંદર્ભે પણ આપણે પ્રકાશનાધિકાર વિષયક ચર્ચાઓ કરી જ ચૂક્યા છીએ. આવા કોઈ માણસો આપણે અહિં કોઈ સંદેશો લખી જાય અને આપણે એમની છાનબીન કરવા બેસી જઈએ એ તો તેમને મહત્વ આપ્યા બરાબર ગણાય. મેં તે ચર્ચામાં જણાવ્યું છે કે, "Gujarati text of Mahatma Gandhi's work is not under copyright because it was first published in India and never published in USA. English translation may be under copyright because it was published sometime in USA. US Copyright law could not be applied works published outside the country." આ પછી જો તે ભાઈને ખરેખર ચિંતા હોય તો તે આપણી પાસે પાછા આવે. સાચું કહું તો તે કોણ છે અને શું કરે છે તેનાથી આપણે શું લેવાદેવા? આપણી પાસે કાંઈ ઓછા કામો છે તે આપણે તેમની તપાસ આદરીએ? મારા પ્રકાશનાધિકાર ધારાઓના જ્ઞાન પર ભરોસો રાખો ભાઈઓ, આપણે બધું જોઈ ચકાસીને જ કરીએ છીએ, આપણને કોઈ આંચ નહિ આવવા દઉં.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૬, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત સહકાર્ય પરિયોજના ૧૯ ફેરફાર કરો

મિત્રો, વિહરમાન પરિયોજના ૧૮ હેઠળ ઝવેરચંદ મેઘાણીના પુસ્તક કંકાવટી નું અક્ષરાંક ન ૫૦% થી વધુ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે ૧૯મી પરિયોજના હેઠળ કયું પુસ્તક લેશું ? તે વિશે આપના વિચારો માંડશો. વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય ના પાના પર મૂકેલા પ્રસ્તાવ અને પુસ્તકો મળ્યાં છે તેની યાદી સંકલિત કરેલી છે. તે સિવાય પણ કોઈ અન્ય પુસ્તક લાવવાનો વિચાર હોય તો જણાવશો. --Sushant savla (talk) ૧૮:૪૦, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગાંધીજીના જો નાના ત્રણ ચાર પુસ્તકો મળેલ હોય તો દલપત સાહિત્યની જેમ એક ગાંધી સાહિત્ય યોજના લઈ શકાય. માત્ર સૂઝાવ જાણવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૯, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ગાંધીજીના હજુ પણ બીજા પણ સરસ કેળવણી વિષયક પુસ્તકો મને મળવાની આશા છે. તો મળ્યેથી તે બધા એક સાથે લઈશું તો વધુ મજા આવશે. તે સિવાયના કહો. --Sushant savla (talk) ૨૨:૦૮, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી પાસે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં છે. જે એક પ્રવાસ વર્ણન છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૩, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હવે કોઈ નવા સર્જક લઈએ તો નવલરામ પંડ્યાનું ભટનું ભોપાળું, અકબર બિરબલ નિમિત્તે હિંદી કાવ્ય તરંગ, વીરમતી નાટક એ ત્રણેય મલ્યા છે. કાવ્ય ચડાવવા હોય તો દાયારામની રસિક વલ્લભ અથવા ગોવર્ધનરામ ત્રિપાઠીની સ્નેહમુદ્રા (કાવ્ય) કે નરસિંહ રાવ દિવેટિયાની કુસુમમાળા (કાવ્ય) પણ ઉપલબ્ધ છે. --Sushant savla (talk) ૨૧:૩૫, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
તો કરો કંકુના અન્ય સભ્યોને કોઈ સારો વિચાર આવતો હોય અથવા તો આ પ્રમાણેનું કોઈ પુસ્તક હોય તો આગળ આવવા વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૪, ૨૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
અન્ય સભ્યોના કોઇ વિચાર આવ્યા નથી. પરિયોજના ૧૮ ના બધા પ્રક્રણો વહેંચાઈ ગયા છે. આવી સ્થિતિમાં પરિયોજના ૧૯ હેઠળ કુસુમમાળા કે જે તૈયાર છે તેને જાહેર કરું છું.--Sushant savla (talk) ૨૨:૦૪, ૨૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને જે રીતે સમજ પડી છે તે રીતે મેં 'કુસુમમાળા'નાં 'વસંતની એક સાંઝ'થી લઇને 'કોયલનો ટહુકો' સુધીનાં પ્રકરણને ટાઇપ કરવા માટે તે પ્રકરણો પર strikeoff માર્ક કર્યું છે. આમાં જો કોઇ ભૂલ કે વિવેકચૂક થઇ હોય તો જરૂરથી જણાવશો. -- --Amvaishnav (talk) ૨૨:૩૦, ૨૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સર્વોદય ફેરફાર કરો

  સર્વોદય
મિત્રો વિકિસ્રોત પર આજે સર્વોદય પુસ્તક ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. કોઈ પણ પરિયોજના હેઠળ ઘોષિત ન થયું હોવાં છતાં મિત્રોના નીજી રસ થકી આ પુસ્તક પૂર્ણ થયું છે. આ સુંદર પુસ્તક સ્રોતનું ચોવીસમું પુસ્તક બની રહ્યું છે અને સ્રોત પર મહાત્મા ગાંધીનું આ છઠ્ઠું પુસ્તક છે. પુસ્તક ચડાવવામાં વ્યોમ અને સતિસચંદ્રભાઈ નું સુંદર યોગદાન રહ્યું. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપના કાર્યની ખૂબ ખૂબ સરાહના અને અનુમોદના. --Sushant savla (talk) ૨૧:૨૮, ૨૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મને માર્ગદર્શન આપશો ફેરફાર કરો

ભાઈ શ્રી/બહેન શ્રી, હું આજે જ અહિં નવો સભ્ય બન્યો છું. મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે તમે મને માર્ગદર્શન આપશો? જો તેમ થશે તો હું તમારો ઘણો આભારી થઈશ. અસ્તુ! ખાસ કરીને ભદ્રંભદ્ર પર.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૬, ૨૩ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઝવેરચંદ મેઘાણી ફેરફાર કરો

મિત્રો, હવે પછી ૧.) "સોરઠી સંતો" અને "સોરઠી બહારવટીયા" પર કામ થાય તો મોજ પડી જાય. ૨.) ગુજરાતી ભાષા ના "કુમર", "અખંડ આનંદ", "નવનીત સમર્પણ" તથા બીજા સામયિકો ના જુના અંકોના (પ્રકાશનાધિકાર બહારના) લેખો અહીં લાવી શકાય? --નિરજ (talk) ૦૧:૨૬, ૩૦ માર્ચ ૨૦૧૩ (IST) મિત્ર નિરજ, પ્રકાશનસાધિકારથી બહાર હોય તેવી કોઈ પણ સાહિત્ય કૃતિ અહીં ચઢાવી શકાય છે. આપે જણાવેલા સામાયિકના પ્રકાશનાધિકાર મુક્ત લખાણ કે લોખો ને પણ અહીં ચઢાવી શકાય છે. "સોરઠી સંતો" અને "સોરઠી બહાર વટીયા" પર ભવિષ્યમાં કામ કરવાની યોજના છે, તેમાં આપનો સહકાર મળે તો સોનામાં સુગંધ ભળે. સહકારી ધોરણે પુસ્તક ચઢાવવાના કાર્યમાં આપને પણ આમંત્રણ છે. આભાર. --Sushant savla (talk) ૧૩:૩૮, ૩ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત સહકાર્ય પરિયોજના ૨૦ ફેરફાર કરો

મિત્રો, વિહરમાન પરિયોજના ૧૯ હેઠળ નરસિંહરાબ દિવેટીયાના પુસ્તક કુસુમમાળાનું અક્ષરાંકન પૂર્ણતાને આરે છે. આ સાથે ૨૦મી પરિયોજના હેઠળ કયું પુસ્તક લેશું ? તે વિશે આપના વિચારો માંડશો. વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય ના પાના પર મૂકેલા પ્રસ્તાવ અને પુસ્તકો મળ્યાં છે તેની યાદી સંકલિત કરેલી છે. તે સિવાય પણ કોઈ અન્ય પુસ્તક લાવવાનો વિચાર હોય તો જણાવશો. --Sushant savla (talk) ૧૮:૫૩, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભાઈ કોઈ મિત્ર પાસે કોઈ સારું પુસ્તક હોય તો આગળ આવો અને મારી પાસે અગાઉ જણાવ્યા મુજબ દલપત કાવ્ય ભાગ ૨ અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં નામના પુસ્તક છે. આ સિવાય અન્ય કોઈ પુસ્તકની ઈચ્છા હોય તો જણાવો શોધી કાઢશું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૩, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં ગાંધીજી લિખિત મંગળ પ્રભાત નામનું પુસ્તક વર્કશોપમાં લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમાં કાંઈ વધુ કાર્ય થયું નથી. તો આપણે તે અપૂર્ણ કાર્ય પૂર્ણ કરી દઈએ?--Sushant savla (talk) ૦૮:૧૩, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચોક્કસ...--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૧, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ થી ૫ -ઝવેરચંદ મેઘાણી ની જનતાને સૌથી વધારે જરૂરત હોય તેમ લાગે છે. આથી તે પુર્ણ કરવામાં આવશે તો ખુબ સહાય થશે. આભાર!--નિરજ (talk) ૧૦:૧૮, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભાઈ શ્રી નિરજ સૌરાષ્ટ્રની રસધાર એક પુસ્તક દીઠ આશરે ૨૦૦ પાનાં છે જેનો મતલબ ૧૦૦૦ પૃષ્ઠો આપણે જો આ બધા જ ભાગો એક સાથે ચડાવવા જઈએ તો ત્રણ થી ચાર મહિના લાગે કારણ કે આપણી પાસે સ્વયંસેવકો ઓછા છે અને એમ તો ગુજરાતી ભાષાની મહાનવલ સરસ્વતીચંદ્ર પણ બાકી છે જે આશરે ૧૭૦૦ પૃષ્ઠોની છે માટે આ બધા માટે ગુજરાતી OCRની રાહ જોવી વધુ ઉચિત છે અને બીજી એક વાત એ કે ઝવેરચંદ મેઘાણીનું અન્ય ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આ મારા અંગત વિચારો છે અન્ય કોઈ મિત્ર પોતે ઠીક સમજે તે પ્રમાણે પોતાના વિચાર આપી શકે છે. બાકી મારી પાસે ૧ થી ૫ ભાગો ઉપલબ્ધ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૦, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમ ભાઇ, જો ગુજરાતી ભાષા નું OCR હોય તો કામ સરળ થઈ જાય. હું તો ગુજરાતી વિકિસોર્સ માં નવો સવો છું એટલે વધારે તો અનુભવિ મિત્રો ને ખબર.--નિરજ (talk) ૨૦:૧૫, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
નિરજભાઈ, વિકિસ્રોતપર ચઢાવવામાં આવતી કૃતિઓ સભ્યો દ્વારા હાથે ટાઇપ કરીને ચઢાવાય છે. વ્યોમભાઈએ જણાવ્યું તેમ મોટી કૃતિઓ ટાઈપ કરીને ચઢવવાનું કાર્ય ખૂબ સમય માંગી લે તેવું છે અને નિયમિત સભ્યોની સંખ્યા ખૂબ ઓછી છે. હાલમાં સયાજી યુનિઇવરસિટી દ્વારા ગુજરાતી ઓસીઆર પર સંશોધનકાર્ય ચાલુ છે અને અમે તેમના સંપર્કમાં છીએ. ટૂંક સમયમાં ગુજરાતી ઓસીઆર મળવાની શક્યતા છે. આને કારાણે હાલ પુરતા અમે મોટા પુસ્તકોને ચડાવાનું કાર્ય હાથમાં લેતા નથી. ઓસીઆર મળે ત્યાં સુધી તો ટાઈપ જ કરવું રહ્યું. તે ઉપર સહભાગી મિત્રો વિમર્શ કરી નવું પુસ્તક લઈએ છીએ. ઝાઝા હાથ રળિયામણાતે ન્યાયે આવતી પરિયોજનામાં આપ જોડાઇ જાવ તો મજા આવી જાય. --Sushant savla (talk) ૨૧:૧૭, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
નિરજભાઈ, અગાઉ સુશાંતભાઈએ જણાવ્યું એ મુજબ OCR ટૂંક સમયમાં મળે એમ છે અને આપણે તે દરમિયાન અલગ અલગ નાના પુસ્તકો ચડાવીએ છીએ. પરંતુ એવું બને કે આમાં કેટલોક સમય નવરા પડીએ તો ધીમે ધીમે સૌરાષ્ટ્રની રસધાર પર કામ કરીએ પણ છીએ તમે સર્ચ કરીને જુઓ કેટલીક વાર્તાઓ ઉપલબ્ધ છે જો કે તેની સંખ્યા ૧૦ આસપાસ જ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૯, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ અને વ્યોમભાઇ, મને થોડો PGDP અનુભવ છે પણ આત્યરે મારે પી.એચ.ડી. ના છેલ્લા છ મહીના નું કામ છે, પછી સમય મળ્યે આ સહકાર્ય માં જરૂર થી જોડાઇશ.--નિરજ (talk) ૦૬:૫૬, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચોક્કસ નિરજભાઈ સમય મળ્યે જોડાઈ જાવ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૩, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અઢી હજાર ! પૃષ્ઠ સંપન્ન ફેરફાર કરો

મિત્રો, આપ સૌના ઉત્સાહી યોગદાનને કારણે આજે આપણું વિકિસ્રોત ૨૫૦૦ ના આંકડાને આંબી ગયું છે. આપનો આવો સક્રિય સહકાર સદા ચાલુ રાખજો. અને ઉત્તરોત્તર વધુ ને વધુ સોપાન સર કરે તેવી અભ્યર્થના. --Sushant savla (talk) ૦૬:૫૨, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અઢી હજાર પૃષ્ઠ સંપન્ન, મારા તરફથી પણ સૌને અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૦, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સૌ મિત્રોને હાર્દિક અભિનંદન !! --સતિષ પટેલ (talk) ૧૨:૦૭, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સ્રોત પર ઘટતો સાહિત્ય પ્રકાર નવલકથા ફેરફાર કરો

આ સાથે એક વિચાર એવો આવ્યો હતો કે વિકિસ્રોત પર સાહિત્ય પ્રકારમાં નવલકથાનો અભાવ છે. આપણી પાસે એકાદ હાસ્ય-નવલ છે. પણ ગંભીર નવલકથા નથી. તો તે સાહિત્ય પ્રકાર માટે ઝવેરચંદ મેઘાણીની "વેવિશાળ" કેવું રહેશે? અન્ય કોઈ વિચાર હોય તો જણવશો. --Sushant savla (talk) ૦૬:૫૨, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

હા, સારી રહેશે, મારી પાસે મેઘાણીની બીજી એકાદ-બે નવલકથાઓ છે. જેમ કે સોરઠ તારાં વહેતાં પાણી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૫, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, હવે તો નવલકથા હાથ પર લેવી જ જોઈએ. --સતિષ પટેલ (talk) ૧૨:૧૦, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
તો આપણે આગામી પરિયોજના- ૨૧ હેઠળ નવલકથા લઈએ. અને વ્યોમભાઈ તૈયાર થઈ જાવ સુકાન સંભાળવા માટે. --Sushant savla (talk) ૨૦:૪૫, ૧૯ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચોક્કસ, પણ મંગળવારથી શરૂ કરશું બે દિવસ મારે બહારગામ જવાનું થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૮, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians. Please also consider translating the proposal.)

Read this message in English / Lleer esti mensaxe n'asturianu / বাংলায় এই বার্তাটি পড়ুন / Llegiu aquest missatge en català / Læs denne besked på dansk / Lies diese Nachricht auf Deutsch / Leś cal mesag' chè in Emiliàn / Leer este mensaje en español / Lue tämä viesti suomeksi / Lire ce message en français / Ler esta mensaxe en galego / हिन्दी / Pročitajte ovu poruku na hrvatskom / Baca pesan ini dalam Bahasa Indonesia / Leggi questo messaggio in italiano / ಈ ಸಂದೇಶವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ / Aqra dan il-messaġġ bil-Malti / norsk (bokmål) / Lees dit bericht in het Nederlands / Przeczytaj tę wiadomość po polsku / Citiți acest mesaj în română / Прочитать это сообщение на русском / Farriintaan ku aqri Af-Soomaali / Pročitaj ovu poruku na srpskom (Прочитај ову поруку на српском) / อ่านข้อความนี้ในภาษาไทย / Прочитати це повідомлення українською мовою / Đọc thông báo bằng tiếng Việt / 使用中文阅读本信息。

Hello!

There is a new request for comment on Meta-Wiki concerning the removal of administrative rights from long-term inactive Wikimedians. Generally, this proposal from stewards would apply to wikis without an administrators' review process.

We are also compiling a list of projects with procedures for removing inactive administrators on the talk page of the request for comment. Feel free to add your project(s) to the list if you have a policy on administrator inactivity.

All input is appreciated. The discussion may close as soon as 21 May 2013 (2013-05-21), but this will be extended if needed.

Thanks, Billinghurst (thanks to all the translators!) ૧૦:૧૨, ૨૪ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Distributed via Global message delivery (Wrong page? You can fix it.)

Wikisource vision development: News April 2013 ફેરફાર કરો

 

I apologize if this message is not in your language. Please help translate it.

Dear Wikisourcerors, it has been almost a month since we have started with the Elaborate Wikisource strategic vision grant and we would like to share some news with you:

And that's it for now! During the month of May, we (Aubrey and Micru) would like to organize at least one Skype or Google Hangout meeting for the users of each one of the 10 biggest wikisources plus another one or two for the other languages (depending on interest). We want to know your opinion on what Wikisource should become in the next years.

Thanks! --Micru and Aubrey ૦૬:૨૭, ૨૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)

[en] Change to wiki account system and account renaming ફેરફાર કરો

Some accounts will soon be renamed due to a technical change that the developer team at Wikimedia are making. More details on Meta.

(Distributed via global message delivery ૦૯:૦૯, ૩૦ એપ્રિલ ૨૦૧૩ (IST). Wrong page? Correct it here.)

[en] Change to section edit links ફેરફાર કરો

The default position of the "edit" link in page section headers is going to change soon. The "edit" link will be positioned adjacent to the page header text rather than floating opposite it.

Section edit links will be to the immediate right of section titles, instead of on the far right. If you're an editor of one of the wikis which already implemented this change, nothing will substantially change for you; however, scripts and gadgets depending on the previous implementation of section edit links will have to be adjusted to continue working; however, nothing else should break even if they are not updated in time.

Detailed information and a timeline is available on meta.

Ideas to do this all the way to 2009 at least. It is often difficult to track which of several potential section edit links on the far right is associated with the correct section, and many readers and anonymous or new editors may even be failing to notice section edit links at all, since they read section titles, which are far away from the links.

(Distributed via global message delivery ૨૩:૫૯, ૩૦ એપ્રિલ ૨૦૧૩ (IST). Wrong page? Correct it here.)

1,000,000 શબ્દો પૂર્ણ ફેરફાર કરો

મિત્રો, આપ સહુના અમૂલ્ય અને સુંદર યોગદાન થકી ગુજરાતી વિકિસ્ત્રોત ૧,૦૦૦,૦૦૦ જેટલા શબ્દો માર્ચ મહિનાનાં અંતે પૂર્ણ કરી આગળ વધ્યું છે. આપણે જ્યારે વિકિસ્ત્રોતની પ્રથમ વર્ષગાંઠ ઊજવી રહ્યા હતા, તે સમયમાં જ આ આંકડાને વટાવી આપણે આગળ ધપ્યા છીએ. સૌ મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન !!!!!

ગુજરાતી વિકિસ્ત્રોતનાં વિકાસના આંકડાઓ વિશે માહિતી માટે અહીં જુઓ --સતિષ પટેલ (talk) ૦૦:૪૩, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

સૌ સહભાગી બંધૂ/ભગિનીઓને મારા પણ ખૂબ અભિનંદન. આ સાથે હવે આપણે લેખોની સંખ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૭મા સ્થાને છીએ. આપણે તમિળથી આગળ નીકળી ગયા! અને ભારતીય ભાષાઓમાં ૪થા ક્રમાંકે પહોંચી ગયા છીએ. --સુશાંત
આનંદો! બહુ જ ગર્વ લેવા જેવા સિમાચિહ્ન પાર કર્યું. મંઝિલે તો અભી ઔર્ ભી હૈં, પરંતુ અહીં વર્તમાન અને ભાવિ, એવાં સક્રિય સહુ મિત્રોનો જે ઉત્સાહ્, લગન અને પ્રતિબધ્ધતા બની રહેલ છે, તેને કારણે આ યાત્રા સફળતાનાં વધારે ને વધારે કીર્તિમાનો સર કરશે તે નિર્વિવાદ જ છે. -- --Amvaishnav (talk) ૦૯:૦૦, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વાહ, સતિષભાઈ તમારી અવલોકન ક્ષમતાને પણ હું બિરદાવીશ. સમયાંતરે હું પાનું જોતો રહું છું પણ આ આંકડા તરફ મેં ક્યારેય ધ્યાન નહોતું આપ્યું; સૌમિત્રોને આ સિદ્ધિ મેળવવા માટે અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૧, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

જૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ ફેરફાર કરો

સદસ્યશ્રીઓ સમાચાર અને ચિત્રો જોવા માટે વિકિસ્રોત:Newsનાં પાનાની મુલાકાત લે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

૨૬૦૦ પૃષ્ઠો પૂર્ણ ફેરફાર કરો

મિત્રો, સૌ મિત્રોના સુંદર યોગદાન વડે વિકિસ્રોત આજે ૨૬૦૦ની પૃષ્ઠ સંખ્યાને પહોંચી ગયું છે. સૌ સહભાગી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. --Sushant savla (talk) ૨૨:૩૩, ૧૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રાસ્તાવિક પૂજ્ય શ્રી મોટાનું આધ્યાત્મિક સાધના વિષયક સાહિત્ય ફેરફાર કરો

નમસ્તે સહયાત્રીઓ, નડિયાદના સંત પૂજ્ય શ્રીમોટાએ આધ્યાત્મિક સાધના અંગે જે સાહિત્ય લખ્યું છે તેવું ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાધના માટે અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. તેમણે જે લખ્યું છે તે આ માર્ગના પ્રાસીઓ માટે પાઠ્ય પુસ્તકો જેવું છે. આ અંગેના પુસ્તકો હરિઃૐ આશ્રમ, નડિયાદ અને સરત દ્વારા પ્રકાશિત થયા છે. આશ્રમ દ્વારા તે પુસ્તકો પડતર કિંમતે વેચવામાં આવે છે. આશ્રમની વેબ સાઇટ પર તે નિઃશુલ્ક મૂકવામાં આવ્યા છે. ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો ખૂબ મોટો વાચક્વર્ગ છે. આ પુસ્તકો વિકિસ્ત્રોતમાં મૂકવાની મારી યોજના છે. આ માટે આશ્રમ તરફથી મેં મંજૂરી માગી છે, મૌખીક રીતે તો મંજૂરી મળી ગઇ છે અને લેખિતમાં ટૂંક સમયમાં મળી જશે. આપ સૌના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૫૫, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

યોગેશજી, નડિયાદના સંત શ્રી મોટાનું સાહિત્ય કેવું છે કેટલું પ્રખ્યાત કે પ્રચલિત છે તે વિષે મને તો જાણ નથી. જો અન્ય મિત્રો જાણતા હોય તો એ વિષે જણાવે. તમે જણાવ્યું તેમ આ સાહિત્ય તે સંપ્રદાયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આમ તે ઈંટરનેટ પર એક સ્થળે ઉપલબ્ધ છે. એમ હોતા તેની પ્રત અહીં ફરી ઉપલબ્ધ કરાવવી એ 'ડ્યુપ્લીકેશન ઓફ વર્ક' નહિ થાય? તેના કરતા આપણે આપણી શક્તિ એવું સાહિત્ય ઉપલબ્ધ કરાવવા કરીએ કે જે ઇંટરનેટ પર ઉપલબ્ધ નથી. જોઈએ અન્ય મિત્રો શું કહે છે. --Sushant savla (talk) ૨૧:૧૩, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈની વાત સાથે સહમત. જોકે યોગેશભાઈને પોતાને તેમાં રસ હોય તે પોતાની રીતે આ કાર્ય કરવા મુક્ત છે અને જો કોઈ અન્ય મિત્રને રસ હોય તો તે પણ જોડાઈ શકે છે. નવરાશના સમયમાં હું પણ જોડાઈ શકું છું; ન જોડાવું એવી કોઈ વાત નથી. પણ એકંદરે સુશાંતભાઈની વાત સાથે સહમત.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૦, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
જો આ સાહિત્ય આશ્રમની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરાયું હોય્, તો તેને ગુજરાતી વિકિપીડિયા પર એક લેખ આશ્રમ અને શ્રી મોટાનાં જીવનને સાંકળતો એક માહિતિસભર લેખ લખીને ન સાંકળી શકાય? -- --Amvaishnav (talk) ૧૧:૧૫, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિસ્ત્રોતમાં જે સાહિત્ય મૂકવામાં આવ્યું છે તે કૃતિઓ ક્યાંકને ક્યાંક તો અન્યત્ર મૂકાયેલી હોય જ. ઉ.દા. તરીકે ગાંધીજી કે ઝવેરચંદ મેઘાણીજી, કલાપીજી વગેરેની કૃતિઓ. વિકિસ્ત્રોતમાં નવી જ કૃતિઓ મૂકવી એવો કોઇ ઉપક્રમ નથી. બીજું કે 'ડૂપ્લીકેશન ઓફ વર્ક' પણ એટલા માટે ન કહેવાય કે વિકિ અને તે સંસ્થાની સાઇટનો વાચક વર્ગ અલગ હોય છે. વિકિસ્ત્રોતમાં પણ ધાર્મિક વાચક વર્ગ છે. સાધના અંગેના આ સાહિત્યનું મૂલ્યાંકન આ ક્ષેત્રે રસ ધરાવતા લોકો વધુ સારી રીતે કરી શકે. હાલમાં વિકિસ્ત્રોતમાં આધ્યાત્મિક સાધના વિષયક સાહિત્ય ઘણું ઓછું છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી તે પણ ઉપલબ્ધ કરાવવામાં મારો તો સહયોગ છે જ, આ મેં સૂચવ્યું તે કાર્ય સિવાય હું વિકિસ્ત્રોતમાં બીજી રીતે સહયોગ નહિ આપું એવું છે જ નહિ. પણ દરેક વ્યક્તિ પોતાનો રસ, અનુકૂળતા, ઉપલબ્ધ સાહિત્ય વગેરેના આધારે પોતાનું યોગદાન આપતા હોય છે એ વાત તો આપ સ્વીકારશો.--યોગેશ કવીશ્વર (talk) ૧૨:૨૯, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

બરાબર વાત છે યોગેશભાઈ, પણ સુશાંતભાઈનો કહેવાનો મતલબ એવો હતો કે અહીં જે સંપૂર્ણ પુસ્તકો આપણે મુકીએ છીએ તે અન્ય જગ્યાએ નથી મળતાં. મેઘાણીની કેટલીક વાર્તાઓ અને કાવ્યો, કલાપીનાં કેટલાંક કાવ્યો ધરાવતી અનેક સાઈટો છે પરંતુ મેઘાણીનાં આખાં પુસ્તકો ધરાવતી કોઈ સાઈટ નહિ મળે, કલાપીનું સંપૂર્ણ કાવ્યસંગ્રહ પુસ્તક કલાપીનો કેકારવ અન્ય સાઈટ પર નહિ મળે. બાકી મેં જેમ કહ્યું તેમ તમને રસ છે અને તમે કરવા તૈયાર છો તો શરૂઆત કરો અન્ય લોકો જોડાશે. ફક્ત એક જ વાતની ખાતરી કરજો કે સાહિત્ય પ્રકાશન અધિકારથી મુક્ત હોય અથવા લેખિત રીતે તે ચડાવવાનો પરવાનો હોય. અહીં સાહિત્ય ચડાવવા સાથે અશોકભાઈએ જણાવ્યા મુજબ વિકિપીડિયા પર લેખ વિશે પણ વિચારી જોજો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૦, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર વ્યોમ, મારો દ્રષ્ટિકોણ ખરા સ્વરૂપે સમજાવવા માટે. મારો ઉદ્દેશ્ય તે જ હતો. આ માટે એક અશોક ભાઈ વૈષ્ણવે સૂચવ્યો તેમ એક શોર્ટ કટ છે. આ માટે આપણે શ્રી મોટાના પુસ્તકના નામનું ટાઈટલ પેજ બનાવીને તેના પર જે તે વેબસાઈટ ની લિંક મૂકી દઈએ. આમ વિકિ સ્રોતના વાચકોને તેની ઉપલબ્ધિનો ખ્યાલ આવશે અને તે પૃષ્ઠ પર મૂકેલી કડી થકી વાચક તેના અસલ સ્રોત પર પહોંચી શકશે. જોકે સ્રોત પર ચડાવવા સંબંધે મારા નિજી મતે કોઈ વાંધો લાગતો નથી પણ ધવલભાઈ અને અન્ય મિત્રોના વિચાર પણ જાણીએ. જોઈએ કોઈ નવો વિચાર મળી આવે. આભાર. --Sushant savla (talk) ૧૮:૫૩, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
એક બીજો પ્રશ્ન એ છે કે શું તે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયેલ છે કે માત્ર ઈન્ટરનેટ પર જ છે? કારણ કે જો પુસ્તક સ્વરૂપે પ્રગટ ન થયું હોય તો પછી તેમાં અને બ્લોગમાં શો ફેર? પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલ હોય તો પરવાનો મળ્યે ચડાવી શકાય. આ મારો વિચાર છે અન્ય સભ્યો તેના પર મત આપશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૯, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

પુસ્તકો તરીકે પ્રગટ થયેલા છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૩૯, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઠીક છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૪૬, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભાઈશ્રી વ્યોમની વાત માટે સહમત છું. જો પુસ્તક પ્રકાશિત થયેલું હોય અને યોગ્ય પરવાનગી પ્રાપ્ય થાય તો આ સાહિત્ય ચઢાવવામાં કાંઈ જ ખોટું નથી.--સતિષ પટેલ (talk) ૦૦:૧૮, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

Tech newsletter: Subscribe to receive the next editions ફેરફાર કરો

Tech news prepared by tech ambassadors and posted by Global message deliveryContributeTranslateGet helpGive feedbackUnsubscribe • ૦૨:૦૭, ૨૧ મે ૨૦૧૩ (IST)
Important note: This is the first edition of the Tech News weekly summaries, which help you monitor recent software changes likely to impact you and your fellow Wikimedians.

If you want to continue to receive the next issues every week, please subscribe to the newsletter. You can subscribe your personal talk page and a community page like this one. The newsletter can be translated into your language.

You can also become a tech ambassador, help us write the next newsletter and tell us what to improve. Your feedback is greatly appreciated. guillom ૦૨:૦૭, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]


આગામી પરિયોજના ૨૨ ફેરફાર કરો

મિત્રો સોરઠ, તારાં વહેતાં પાણીનું ૬૬% જેટલું અક્ષરાંકન થઈ ગયેલ છે અને હવે તે અઠવાડિયામાં પૂર્ણ થાય એમ લાગે છે તો મિત્રો આગામી પરિયોજના કઈ હાથ પર લેવી છે? તેના સૂચનો આપશો.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૪૩, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

હાલમાં મારી પાસે નવલરામ પંડ્યાની "ભટનું ભોપાળું" અને નીલકંઠ સાહેબની "રાઈનો પહાડ" છે. જો તેને લેવી હોય ઓ જણાવશો અથવા કોઈ નવું પુસ્તક સુઝાડશો.--Sushant savla (talk) ૦૮:૦૪, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
બંનેમાંથી જે તમને અનુકૂળ હોય તે મારી બંનેમાં સહમતી સમજવી. અન્ય કોઈને સારો વિચાર આવે તો તે પણ જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૯, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ ભટનું ભોપાળું નવલકથા છે કે નાટક?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૩, ૨૫ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
નાટક, રમૂજી, બ્રાહ્મણ લોકો કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવતા તેના પ્રનું વ્યંગ નાટક--Sushant savla (talk) ૦૭:૨૦, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
અન્ય મિત્રોના કોઈ વધારે સુઝાવ નથી આવ્યા અને પરિયોજના સોરઠને તીરે તીરે માં બધાં પ્રકરણો વહેંચાઈ ગયા છે. આથી હવે એક નાનકડું નાટક "ભટનું ભોપાળું" હાલ પુરતું ઉપાડી લઈએ છીએ. --Sushant savla (talk) ૧૯:૦૯, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મુલાકાતીઓના આંકડા ફેરફાર કરો

વિકિના અન્ય પ્રકલ્પોમાં જે તે પાનાના 'ઇતિહાસ જુઓ' વિભાગમાં મુલાકાતીઓની સંખ્યા, યોગદાન કર્તાઓ, પાના પર નજર રાખતા ચાતકો વગેરેની વિગતો દર્શાવવામાં આવે છે. પણ કદાચ વિકિસ્ત્રોતમાં હજુ સુધી આ સુવિધા નથી. કોઇ પ્રબંધકશ્રી આ માટે ઘટતું કરે એવી નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૪:૦૭, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગઈ કાલથી જ વિકિસ્ત્રોતમાં ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૦૩, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

Trademark discussion ફેરફાર કરો

Hi, apologies for posting this in English, but I wanted to alert your community to a discussion on Meta about potential changes to the Wikimedia Trademark Policy. Please translate this statement if you can. We hope that you will all participate in the discussion; we also welcome translations of the legal team’s statement into as many languages as possible and encourage you to voice your thoughts there. Please see the Trademark practices discussion (on Meta-Wiki) for more information. Thank you! --Mdennis (WMF) (talk)

Universal Language Selector to replace Narayam and WebFonts extensions ફેરફાર કરો

On June 11, 2013, the Universal Language Selector (ULS) will replace the features of Mediawiki extensions Narayam and WebFonts. The ULS provides a flexible way of configuring and delivering language settings like interface language, fonts, and input methods (keyboard mappings).

Please read the announcement on Meta-Wiki for more information. Runab ૧૯:૩૮, ૫ જૂન ૨૦૧૩ (IST) (posted via Global message delivery)[ઉત્તર]

આગામી પરિયોજના ૨૩ - અખાના અનુભવ ફેરફાર કરો

મિત્રો, આગામી પરિયોજના તરીકે ગુજરાતના કબીર એવા અખા ભગતનું ચૂંટેલ સાહિત્ય સંપુટ એક પરિયોજના હેઠળ લેવાનો વિચાર છે. આ બાબતે અશોકભાઈ અને વ્યોમ સાથે ચર્ચા થઈ છે. તેમની પાસે પરિયોજનામઆં ચઢાવવા લાયક કૃતિઓ ઉપલબ્ધ છે. હાલમાં પરિયોજના હેઠળ અખેગીતા, અનુભવબિંદુ અને અખાના છપ્પા આવરી લેવાનો વિચાર છે. આ સિવાય કોઈ અન્ય વિચાર હોય અથવા તો આ પરિયોજના સંબંધે અન્ય વિચાર હોય તો જણાવશો. આભાર. --Sushant savla (talk) ૨૨:૩૩, ૧૦ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ મારી દૃષ્ટિએ આપણે યોજનાનું નામ અખો સાહિત્ય એમ જ રાખીએ તો સારું કારણ કે દલપત સાહિત્ય એવા નામ સાથે સાતત્ય જળવાઈ રહે. જોકે, વૈવિધ્ય લાવવાની ગણતરી હોય તો આ નામ સારું છે અને અન્ય નામ કરતાં આમાં મારી સહમતી સમજવી.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૮, ૧૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
નામ ગમે તે રાખો. વાંધો નથી. મારે તો એક અવઢવ હતી. આવા મોટા વિચાવંત સર્જકને અખો કહું તો થોડું "તુંકાર" જેવો લાગે અને અખા ભગત એ નામ કૃતિમ લાગ્યું. વળી એક પુસ્તકનું નામ "અનુભવ બિંદુ" છે આથી અખાના અનુભવ રાખ્યું. કાંઈ પણ નામ રાખો મારે તો કંઈ વાંધો નથી. રાઈનો પર્વત હવે જલ્દી પૂર્ણ થશે. તો સ્કેન કરી પુસ્તક રેડી રાખશો. --Sushant savla (talk) ૦૭:૨૫, ૧૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
તુંકારની વાત તમારી સાચી છે કારણ કે મારે અને અશોકભાઈને પણ આ બાબતે ચર્ચા થઈ હતી. "કાવ્યદોહન" જે પુસ્તક આશરે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રકાશિત કરાયું હતું તેમાં પણ અખાને "અખો" તરીકે નરસિંહ મહેતાને "નરસિંહ મે'તો" અથવા "નરસિંહ મહેતો" તરીકે સંબોધન છે. આ તે સમયની ભાષાને કારણે છે એવું અમારું તારણ હતું પણ આપણે હાલના સમયની ભાષા વાપરીએ તો અને તમારી વાત મને અનુભવ બિંદુને સાંકળતી સાચી જણાય છે માટે અખાના અનુભવ રાખશું તો ખોટું નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૦, ૧૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

છંદ આધારીત પદ્ય-પઠન ફેરફાર કરો

મિત્રો, આપણે ઘણી પદ્ય રચનાઓ સ્રોત પર ચઢાવી જે છંદમાં ગુંથાયેલી હતી. આવા કાવ્યો કે પદ્યને રાગ સાથે વાંચવામાં કે પઠન કરવામાં અનેરો આનંદ આવે છે. પણ આપણી હાલની અભ્યાસક્રમ પદ્ધતિમાં છંદોને ગાવાના રાગ શીખવાડવામાં આવતા નથી. મારું જ ઉદાહરાણ લો તો મને જે ચાર-પાંચ છંદના રાગનું જ્ઞાન છે તે મારી મમ્મીને આભારી છે. મને શાળામાં કોઈ શિક્ષકે કદી છંદ ગાતા શીખવ્યા નથી. છંદોની આ ધરોહરનું સંવર્ધન થાય તેવા હેતુથી છંદોને રાગ અનુસાર કેમ ગવાય? તેની ઓડિયો લિંક તે છંદના પાને મુકવા પ્રયાસ કર્યો છે. સહુ મિત્રોને તે જોઈ જવા વિનંતી છે. તેમાં સુધારા વધારા અને ક્ષતિઓ તરફ ધ્યાન દોરશો. જેટલા છંદ આવડ્યાં છે તે મૂક્યાં છે. ન આવડનારા છંદોના રાગના જાણકારોનો સંપર્ક કરી તેને ધ્વનિબદ્ધ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. આપને છંદના રાગ વિશેની જાણકારી હોય તો જણાવશો. --Sushant savla (talk) ૧૯:૧૭, ૧૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

છંદોનું ધ્વનિ મુદ્રણ સ્થિતી
ધ્વનિ મુદ્રણ પૂર્ણ ધ્વનિ મુદ્રણ બાકી
મંદાક્રાંતા | શિખરિણી | વસંતતિલકા | શાર્દૂલવિક્રીડિત|દોહરો | હરિગીત |મનહર|તોટક|

પૃથ્વી | માલિની|હરિણી|અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા|ઉપેન્દ્રવજ્રા|ઉપજાતિ|કવિત|ધનાક્ષરી|રથોદ્ધતા|ચોપાઈ | રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય

સુશાંતભાઈ આ કામગીરી તમે બહુ સારી ચાલુ કરી. આ બધા છંદો મારા જેવા ગુજરાતીમાં ઠોઠને તો નામ પણ ન આવડે તેનું બંધારણ અને ઉપયોગની તો વાત અનેક ગાઉ દૂર રહી. ગાવાની તો વિચારવાની જ નહિ. મેં દલપતરામનું અન્યોક્તિ સાંભળ્યું. મજા આવી!!! હું પણ મારા લાગતા વળગતાની પૂછીને છંદ પ્રમાણે ગાવાના જાણકારની તપાસ કરવાનું ચાલુ કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૭, ૧૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુંદર અને સરાહનિય કાર્ય....!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૯, ૧૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભર વ્યોમ, આભાર ધવલ --Sushant savla (talk) ૦૭:૨૮, ૧૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

આગામી પરિયોજના ૨૬ ફેરફાર કરો

મિત્રો, હાલમાં રાઈનો પર્વત (૯૪% પૂર્ણ) અને નળાખ્યાન (૩૫% પૂર્ણ) પર કાર્ય ચાલુ છે. આ સાથે આગામી પરિયોજના ૨૬ માં કયું પુસ્તક લેવું તેના સુઝાવ આવકર્ય છે. એક્ વિચાર એમ્ છે કે હાલમાં પદ્ય પર કાર્ય થયું છે તો કોઈ ગદ્ય લઈએ. મારી પાસે ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ અને અપરાધી નામની બે નવલકથા છે. તે સિવાય ગાંધીજીની નિતીનાશને માર્ગે અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ છે. અન્ય સભ્યને કોઈ વિચાર હોય કે કોઈ અન્ય પુસ્તક ચડાવવા લાયક જણાય તો જણાવો.--Sushant savla (talk) ૧૩:૪૯, ૨૩ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મારી પાસે પદ્યમાં મેઘાણી વેવિશાળ ઉપરાંત પ્રભુ પધાર્યા, વસુંધરાના વહાલા-દવલાં, બીડેલાં દ્વાર, અપરાધી અને કાળચક્ર છે. ગદ્યમાં તો ઘણું છે પણ સુશાંતભાઈની ઈચ્છા પ્રમાણે પદ્ય પર કામ કરવું મને પણ યોગ્ય લાગે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૪, ૨૩ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
આગામી પરિયોજના તરીકે "વેવિશાળ" લઈએ, કોઈ સભ્યને અન્ય વિચાર હોય તો જણાવો. --Sushant savla (talk) ૨૧:૦૨, ૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
:: પ્રસ્તાવ સ્વીકાર્ય----Amvaishnav (talk) ૨૨:૧૨, ૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Pywikipedia is migrating to git ફેરફાર કરો

Hello, Sorry for English but It's very important for bot operators so I hope someone translates this. Pywikipedia is migrating to Git so after July 26, SVN checkouts won't be updated If you're using Pywikipedia you have to switch to git, otherwise you will use out-dated framework and your bot might not work properly. There is a manual for doing that and a blog post explaining about this change in non-technical language. If you have question feel free to ask in mw:Manual talk:Pywikipediabot/Gerrit, mailing list, or in the IRC channel. Best Amir (via Global message delivery). ૧૮:૪૫, ૨૩ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અભિનંદન - એકલવીર ફેરફાર કરો

  ઋતુના રંગ
મિત્રો,

આપણા સતિષભાઈએ એકલા હાથે ગિજુભાઈ બધેકાનું પુસ્તક "ઋતુના રંગ" સ્રોત પર ચઢાવ્યું અને તેની ભૂલશુદ્ધિ કરી છે. આ સુંદર યોગદાન બદ્દલ તેમને હાર્દિક ધન્યવાદ અને અભિનંદન. બાળસાહિત્યની શ્રેણીમાં આ પુસ્તક ખરેખર એક સુંદર કૃતિ છે. એક જ સભ્ય દ્વારા ચઢાવાલેય આ પ્રથમ સાહિત્ય કૃતિ છે. ચાલો અપાણે સહુ તેમને અભિનંદન અને ધન્યવાદ આપીએ....--Sushant savla (talk) ૦૭:૩૮, ૨૭ જુલાઇ ૨૦૧૩ (IST) ૧૭:૧૨, ૧૯ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સતિષભાઈ કમાલ કરી. હંમેશની જેમ કંઈક નવું અને વિશિષ્ટ કરવામાં તમે આગળ છો. ખૂબ જ સરસ રચના છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૭, ૨૭ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઇ ખરેખર અઢળક અભિનંદનને પાત્ર છે. ----Amvaishnav (talk) ૨૨:૧૪, ૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]


3000 કૃતિઓ સંપન્ન ફેરફાર કરો

  ૩૦૦૦ કૃતિઓ સંપન્ન
આજે વિકિસ્રોત પર કૃતિઓની સંખ્યાનો આંકડો ૩૦૦૦ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને સ્રોત કહેવડાવવાની સાર્થકતા પામવા એક વધુ ડગલું આગળ વધ્યો છે.

આજથી સવા એક વર્ષ પહેલાં વિકિ સમુદાયની સાહિત્ય પરિયોજના વિકિસોર્સમાં ગુજરાતી ભાષાની કૃતિઓનો પણ સંચય હોવો જોઈએ એ વિચારે ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી કૃતિઓ હતી. ૨૨-૦૧-૨૦૧૩ ના દિવસે વિકિસ્રોતએ ૨૦૦૦ નો આંકડો વટાવ્યો હતો. ત્યાર બાદની સાત મહિના જેટલા સમયમાં અન્ય ૧૦૦૦ કૃતિઓ ઉમેરી નવું લક્ષ્ય સ્રોતે પ્રાપ્ત કર્યું છે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા. --Sushant savla (talk) ૨૧:૪૦, ૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

    1. આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોને ખુબ ખુબ અભિનંદન. --Amvaishnav (talk) ૨૨:૩૨, ૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
    2. ખુબ ખુબ અભિનંદન !!!--સતિષ પટેલ (talk) ૨૩:૫૯, ૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
      1. વાહ, સુંદર ચિત્ર અને અતિ સુંદર પ્રસંગ. સૌને ખૂબ ખૂબ અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૦, ૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

હાલમાં આપણું સ્રોત પર માસિક આશરે ૬૮,૦૦૦ મુલાકાતીઓ આવે છે જે કુલ ૬૩ ભાષાના સ્રોતમાં ૪૩મું છે અને લેખની સંખ્યામા જૂન મહિના અંત પ્રમાણે આપણે ૩૯મા ક્રમાંકે છીએ જે જાન્યુઆરી ૨૦૧૨માં ૪૯મા હતા અને જુલાઈ ૨૦૧૨માં ૪૪મા ક્રમાંકે હતા. લેખની સંખ્યા મુજબ ભારતીય ભાષાઓમાં ગુજરાતી પાંચમા ક્રમાંકે (સૌથી નજીકની મલયાલમ ૪૦૯૨ પૃષ્ઠ સાથે ચોથા ક્રમાંકે) છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૯, ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુકાની હોય તો આવા ફેરફાર કરો

મિત્રો, નમસ્કાર. હાલમાં વિકિમિડિયા પર જુન ૨૦૧૩ના વિવિધ આંકડાઓ દર્શાવેલા છે. જેમાં એ મહિનામાં સક્રિય સભ્યો (૧૧)નું એક સ્ટેટસ પણ સામેલ છે. જેમાં આપણા સુકાની શ્રી સુશાંતભાઈએ ચઢાવેલી કૃતિઓની સંખ્યા ૧૦૦૦ના આંકડાને પાર કરી ગઈ છે. આપણા હાલના ૩૦૦૦ કૃતિઓના લક્ષ્યાંકને પાર કરવાના આ પ્રસંગે હું આપણા આવા સુકાની કે જેમણે ૩૦૦૦ કૃતિઓ પૈકી એક હજારથી વધુ કૃતિઓ એટલે કે ત્રીજા ભાગથી વધુ કાર્ય પોતે જાતે કરી સૌ સભ્યોને માટે પ્રેરણારૂપ બન્યા છે, એમને વિકિસ્ત્રોતના સૌ સભ્યો વતી હાર્દિક અભિનંદન સહ ધ્ન્યવાદ પાઠવું છુ. સાચે જ, સુકાની હોય તો આવા !! !! !!--સતિષ પટેલ (talk) ૧૨:૩૬, ૧૨ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

વાહ, સુશાંતભાઈ અભિનંદન સ્વીકારશો અને ધન્યવાદ પણ સ્વીકારશો. સતિષભાઈ તમે બીજા ક્રમાંકે ૫૦૦થી વધુ કૃતિ ચડાવી છે માટે તમે પણ ધન્યવાદ તેમજ અભિનંદનને પાત્ર છો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૦૮, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

HTTPS for users with an account ફેરફાર કરો

Greetings. Starting on August 21 (tomorrow), all users with an account will be using HTTPS to access Wikimedia sites. HTTPS brings better security and improves your privacy. More information is available at m:HTTPS.

If HTTPS causes problems for you, tell us on bugzilla, on IRC (in the #wikimedia-operations channel) or on meta. If you can't use the other methods, you can also send an e-mail to https@wikimedia.org.

Greg Grossmeier (via the Global message delivery system). ૦૦:૩૭, ૨૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST) (wrong page? You can fix it.)[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૨૭ ફેરફાર કરો

મિત્રો, હાલમાં વિહરમાન પરિયોજના ૨૬ "વેવિશાળ" નું કાર્ય ૭૦% પૂર્ણ થયેલું છે. અને બાકીનું કામ ઝડપથી પતી જશે. આગામી પરિયોજના તરીકે કયું પુસ્તક લેવું તેના સુઝાવો આવકાર્ય છે. --Sushant savla (talk) ૧૩:૫૪, ૨૪ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મિત્રો નવી પરિયોજના સંબંધે કોઈ મિત્રોના સુઝાવ સામે આવ્યા નથી. વિહરમાન પરિયોજનામાં માત્ર એક જ પ્રકરણની વહેંચણી બાકી છે. તે પૂર્ણ થતા કોઈ પ્રકરણની બાકી બચશે નહીં. આવી પરિસ્થિતીમાં કોઈ પુસ્તકની પસંદગી ન થતા મારી પાસે ગાંધીજીના એક પુસ્તક "મારો જેલનો અનુભવ"ની સ્કેન પ્રત ઉપલબ્ધ છે તે આપણે પરિયોજના ૨૭ તરીકે હાથમાં લઈશું. તેનાં પ્રકરનો નાના હોઇ ઝડપથી પૂર્ણ થશે. અને મજા આવશે. મિત્રોને ખાસ વિનંતી છે કે ૨૮ મી પરિયોજના સંબંધે પોતાના વિચારો જણાવે. --Sushant savla (talk) ૨૨:૩૩, ૨૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, મારી પાસે હમણાં સળંગ ઈન્ટરનેટ સુવિધા ન હોવાને કારણે નિયમિતતા જળવાતી નથી. માટે મારી પાસે કેટલાંક આખ્યાન સ્કેન કરેલ છે માટે તેમાંથી કોઈ લેવું હોય તો હું હાલમાં તેનું પાનું બનાવી નાખું પણ આ યોજના પતે એટલે તમારે તેને આગળ લેવી પડશે. જોકે હાલમાં બે ચાર દિવસ તો હું જૂનાગઢ ખાતે હોઈ મારી પાસે નેટ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૮, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૨૮ ફેરફાર કરો

મિત્રો, વેવિશાળ પરિયોજના ૯૭% પૂર્ણ થઈ છે અને મારો જેલનો અનુભવ પરિયોજના ૮૦% પૂર્ણ થઈ છે. આવે સમયે આગામી પરિયોજના માટે કયું પુસ્ત્ક લેવું તે વિશે આપના વિચારો મૂકશો. સતિષભઆઇ પાસે વૃક્ષોને આધારિત સરસ પુસ્તક છે તે લેશું? જો તેનું સ્કેન કાર્ય બાકી હોય તો આપણે ગાંધીજીનું એક નાનું પુસ્ક્ત "મૂરખરાજ અને તેના બે ભાઈઓ" લઈએ? જેની સ્કેન કોપી મારી પાસે ઉપલબ્ધ છે. અન્ય કોઈ પુસ્ત્ક લેવું હોય તો સુઝાડી આપો. --Sushant savla (talk) ૧૩:૨૭, ૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

મિત્રો પરિયોજના વનવૃક્ષોના પ્રકરણો બધા સહભાગી મિત્રોને વહેંચાઈ ગયા છે. વળી નવી કોઈ પરિયોજનાનો સુઝાવ નથી આવ્યો. તેથી હાલમાં એક નાનકડી અન્ય પરિયોજના લઈ લઈએ -મૂરખરાજ અને તેના બે ભાઈઓ. ગાંધીજી દ્વારા લખાયેલ આ વાર્તા ગાંધીજીના પ્રિય લેખક ટોલ્સટોય ના વિચારો પર આધારિત છે. આશા છે સૌ મિત્રોને તે ગમશે. --Sushant ૧૯:૩૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
હાલમાં નાનકડી પરિયોજના -"મૂરખરાજ અને તેના બે ભાઈઓ." લઈ લઈએ. --સતિષ પટેલ (talk) ૨૨:૦૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સતિષભાઈ સાથે સહમત પુસ્તકનું સ્કેન તૈયાર છે તો રાહ શા માટે જોવી?--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૪૭, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ પુસ્તકમાં અનેક ચિત્રો છે તેની શું સ્થિતિ છે? તેઓ પ્રકાશકે મૂકેલ છે કે મૂળ લેખકના છે. કોઈ માહિતી હોય તો આપશો...--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૦, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
એ ચિત્રો ગાંધીજીએ તો નહિ જ દોર્યા હોય તે પાકી ખાત્રી છે. પણ પ્રકાશકે મૂક્યા છે કે કેમ અને તેના કોપીરાઈટની શી સ્થિતી છે તે મને જાણ નથી. શું આપણે તે ચિત્રો ચઢાવીશું? જો કોઈ વાંધો ઊઠે તો કાઢી લઈશું.--Sushant ૦૭:૩૧, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
મારા મતે પણ તે ચડાવવા જોઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૭, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૨૯ ફેરફાર કરો

પુસ્તક ચયન અને સ્કેનિંગ ઈત્યાદિમાટે સમય મળે તે માટે પરિયોજના ૨૯ના સુઝાવો આગોતરા માંગુ છું. તે વિશે આપના વિચારો મૂકશો. --Sushant ૧૯:૩૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

આપણે આગામી પરિયોજના સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ લેવાના છીએ. તેનું એકેનિંગ ઈત્યાદિ કાર્ય ચાલુ છે. તે સમય દરમ્યાન આપણે મૂરખરાજ અને તેના બે ભાઈઓ એ નાની વાર્તા ૨૯ મી અપ્રિયોજના હેથળ લઈએ છીએ. --Sushant ૨૧:૫૦, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

યુપીએસસી કોર્સ ફેરફાર કરો

  1. Medieval (મધ્યકાલિન)
    1. Vasantvilas phagu-Ajnatkrut
    2. Kadambari-Bhalan (બધા જ ભજનો છૂટક ઉપલબ્ધ, પુસ્તક મળે તો સંપાદિત કરી કાઢીએ)
    3. Sudamacharitra-Premanand (ધવલભાઈનું નિજી ધોરણે કાર્ય ચાલુ)
    4. Chandrachandravatini varta-Shamal
    5. Akhegeeta-Akho ( ઉપલબ્ધ )
  2. Sudharakyug & Pandityug (સુધારકયુગ અને પંડિતયુગ)
    1. Mari Hakikat-Narmadashankar Dave
    2. Farbasveerah- Dalpatram
    3. Saraswatichandra-Part-I Govar-dhanram Tripathi
    4. Purvalap- 'Kant' (Manishankar Ratnaji Bhatt)
    5. Raino Parvat-Ramanbhai Neel-kanth( ઉપલબ્ધ )
  3. Gandhiyug & Anu Gandhiyug (ગાંધીયુગ અને અનુ ગાંધીયુગ)
    1. Hind Swaraj-Mohandas Kar-machand Gandhi( ઉપલબ્ધ )
    2. Kavyani Shakti- Ramnarayan Vish-wanath Pathak ( પ્રકાશનાધિકાર હેઠળ)
    3. Saurashtrani Rasdhar Part 1- Zaver-chand Meghani

મિત્રો અહીં આપેલ પુસ્તકો યુપીએસસી મુખ્ય પરીક્ષાના ગુજરાતી પેપરના કોર્સના કેટલાક પુસ્તકો છે. સમગ્ર કોર્સમાંના મેં પ્રકાશન અધિકાર મુક્ત પુસ્તક જ અહીં લખ્યાં છે. રામનારાયણ પાઠકના પુસ્તક વિશે મને ખાતરી નહોતી માટે મેં મૂક્યું છે. આમાંના કેટલાંક પહેલેથી સ્રોત પર મોજૂદ છે અને એકાદ અધૂરું છે. આ પુસ્તકો આપણે જો શોધી અને ચડાવી શકીએ તો જે પુસ્તકો રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે તેવાં પુસ્તકો અને કૃતિઓ આપણે લોકો માટે ઉપલબ્ધ બનાવી શકીએ. આપના વિચાર જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૪૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુંદર સુઝાવ છે. આમાંનાં ઘણાં પુસ્તકો આપણે અહિં છે જ, બાકીના મળી રહે તો અવશ્ય મૂકવા. અને સાથે સાથે એક શ્રેણી બનાવી તેમાં આ બધા પુસ્તકો ઉમેરી દઈએ, તો સહેલાઈથી કોર્સના પુસ્તકો ઈચ્છુક વ્યક્તિને મળી રહે. રામનારાયણ પાઠકના સર્જનો પર હજુ બીજા બે વર્ષ સુધી પ્રકાશનાધિકાર રહેશે. આપણે ૨૦૧૬માં અહિં લાવી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૭, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સારો સુઝાવ છે આપણે તેના પર કાર્ય કરી કરીએ. મારા મતે સૌરાષ્ટ્રની રસધારનો ભાગ ૧ આવતી પરિયોજમાં લઈએ જે વ્યોમભાઈ પાસે ઉપલબ્ધ છે.--Sushant ૦૭:૩૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
આગામી યોજના જો સૌરાષ્ટ્રની રસધાર-૧ ને લેવી હોય તો મને વાંધો નથી. અન્ય કોઈ સૂઝાવ પણ સ્વીકાર્ય છે જો ન હોય તો હું તો તૈયાર જ છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૯, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
અન્ય સુઝાવને તે પછીની પરિયોજનામાં લેશું. આપ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ના સ્કેનિંગ કે ફોટો વગેરે શરૂ કરી દ્યો.--Sushant ૧૨:૦૯, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ઠીક છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પૂરક પરિયોજના ૪ ફેરફાર કરો

મિત્રો, વ્યોમ ભાઈ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ના સ્કેન પાના લાવે ત્યાં સુધી આપણે વચગાળાના સમય પૂરતી પૂરક પરિયોજના ૪ તરીકે ગાંધીજી રચિત કેળવણી પુસ્તક પાયાની કેળવણી પર કાર્ય કરીશું. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ના પાના સ્કેન થતાં તે ઉપાડી લેશું. --Sushant ૨૧:૫૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

માફ કરશો સુશાંતભાઈ અને મિત્રો બહારગામ જવાના કારણે કામ અધૂરું છે. સત્વરે પૂર્ણ કરવા પ્રયાશ કરીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૧, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આરામથી વાંધો નહિ. --Sushant ૧૮:૧૭, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
સૌરાષ્ટ્રની રસધાર ૧ શરૂઆત માટે તૈયાર છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સૌરાષ્ટ્રની રસધાર ૧ માટે Good luck!.--નિરજ (talk) ૦૬:૧૯, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત પરિયોજના ૩૧ ફેરફાર કરો

મિત્રો આગામી પરિયોજનાના પુસ્તક અને તેના સંચાલન વિષે પ્રસ્તાવ મૂકશો.--Sushant ૦૭:૫૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

સુશાંતભાઈ તમે ઝવેરચંદ મેઘાણીની કોઈ કાવ્ય સંગ્રહ મળે તો મુકવાની વાત કરી હતી મને સિંધુડો જે એક નાની કાવ્યસંગ્રહની પુસ્તિકા છે તે મળેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
તો હાલો ત્યારે, તે ચડાવીયે. સ્કેન / ફોટા ની તૈયારી શરૂ કરશો. --Sushant ૧૩:૨૯, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ભવિષ્યની આગામી પરિયોજના માટે પ્રસ્તાવ આવકાર્ય. --Sushant ૧૩:૨૯, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
મિત્રો જ્યાં સુધી સિંધુડો એ પુસ્તકની સ્કેનેંગ આદિ તૈયારીઓ થાય છે ત્યાં લગી આપણે દયારામ કૃત "રસિકવલ્લભ" પર કાર્ય કરીશું.--Sushant ૦૭:૨૪, ૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
 
Notifications inform you of new activity that affects you -- and let you take quick action.

(This message is in English, please translate as needed)

Greetings!

Notifications will inform users about new activity that affects them on this wiki in a unified way: for example, this new tool will let you know when you have new talk page messages, edit reverts, mentions or links -- and is designed to augment (rather than replace) the watchlist. The Wikimedia Foundation's editor engagement team developed this tool (code-named 'Echo') earlier this year, to help users contribute more productively to MediaWiki projects.

We're now getting ready to bring Notifications to almost all other Wikimedia sites, and are aiming for a 22 October deployment, as outlined in this release plan. It is important that notifications is translated for all of the languages we serve.

There are three major points of translation needed to be either done or checked:

Please let us know if you have any questions, suggestions or comments about this new tool. For more information, visit this project hub and this help page. Keegan (WMF) (talk) ૦૦:૦૭, ૫ ઓક્ટોબર ૨૦૧૩ (IST)[ઉત્તર]

(via the Global message delivery system) (wrong page? You can fix it.)

Speak up about the trademark registration of the Community logo. ફેરફાર કરો

સહકાર્ય પરિયોજના ૩૩ ફેરફાર કરો

મિત્રો, વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના ૩૩ હેઠળ કયું પુસ્તક લેવું તે વિષેના સુઝાવો આવકાર્ય છે. --Sushant ૨૨:૧૮, ૨૧ ઓક્ટોબર ૨૦૧૩ (IST)

પરિયોજના "સિંધુડો" પર કાર્ય સંપન્ન થયું છે. અને કોઈ પુસ્તક ચઢાવવા માટે સૂચનો આવ્યા નથી. આથી આગામી પરિયોજના તરીકે નવલરામ પંડ્યા કૃત "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. --Sushant ૧૦:૨૬, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

સહકાર્ય પરિયોજના ૩૪ ફેરફાર કરો

મિત્રો, વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના ૩૪ હેઠળ કયું પુસ્તક લેવું તે વિષેના સુઝાવો આવકાર્ય છે. --Sushant ૧૦:૨૭, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

મિત્રો, ઝવેરચંદ મેઘાણીની "વસુંધરાના વહાલાં દવલાં" આગામી પરિયોજનામાં લઈશું?--Sushant ૨૦:૪૪, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)

Introducting Beta Features ફેરફાર કરો

(Apologies for writing in English. Please translate if necessary)

We would like to let you know about Beta Features, a new program from the Wikimedia Foundation that lets you try out new features before they are released for everyone.

Think of it as a digital laboratory where community members can preview upcoming software and give feedback to help improve them. This special preference page lets designers and engineers experiment with new features on a broad scale, but in a way that's not disruptive.

Beta Features is now ready for testing on MediaWiki.org. It will also be released on Wikimedia Commons and MetaWiki this Thursday, 7 November. Based on test results, the plan is to release it on all wikis worldwide on 21 November, 2013.

Here are the first features you can test this week:

Would you like to try out Beta Features now? After you log in on MediaWiki.org, a small 'Beta' link will appear next to your 'Preferences'. Click on it to see features you can test, check the ones you want, then click 'Save'. Learn more on the Beta Features page.

After you've tested Beta Features, please let the developers know what you think on this discussion page -- or report any bugs here on Bugzilla. You're also welcome to join this IRC office hours chat on Friday, 8 November at 18:30 UTC.

Beta Features was developed by the Wikimedia Foundation's Design, Multimedia and VisualEditor teams. Along with other developers, they will be adding new features to this experimental program every few weeks. They are very grateful to all the community members who helped create this project — and look forward to many more productive collaborations in the future.

Enjoy, and don't forget to let developers know what you think! Keegan (WMF) (talk) ૦૧:૨૮, ૬ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Distributed via Global message delivery (wrong page? Correct it here), ૦૧:૨૮, ૬ નવેમ્બર ૨૦૧૩ (IST)

Call for comments on draft trademark policy ફેરફાર કરો

સહકાર્ય પરિયોજના ૩૫ ફેરફાર કરો

મિત્રો, વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના ૩૫ હેઠળ કયું પુસ્તક લેવું તે વિષેના સુઝાવો આવકાર્ય છે. એક વિચાર એવો હતો કે "જનનીની જોડ સખી નહીં જડે" જેવા કાવ્યો આપનાર કવિ બોટાદકરનું પુસ્તક ચડાવી શકાય.--Sushant ૧૦:૨૭, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

Reminder: Wikidata coming on January 14th ફેરફાર કરો

(This is a message to all Wikisource editions. Sorry for writing in English. I hope someone can translate this for me on the non-English editions.)

Hi!

I am Wikidata's product manager. If you are unfamilar with Wikidata please have a look at d:Q3107329 for example.

As you might already have heard Wikisource will be the fourth project supported by Wikidata after Wikipedia, Wikivoyage and Commons. We are currently planning this for January 14th. From this point on you will be able to handle the links between projects in Wikidata. This means you will only have to maintain them once instead of having them duplicated in every article. However fear not: the local interwiki links will still continue to work and they will overwrite what comes from Wikidata.

This is the first step of Wikidata supporting Wikisource. In a second step we will enable access to the actual data on Wikidata like biographical data about authors. I do not have a date for that yet however.

The planning is happening at d:Wikidata:Wikisource. We are still looking for some more ambassadors who can help during the process and make sure everything goes smoothly for you. Please add your name to the list at d:Wikidata:Wikisource if you're willing to do this.

If you have questions please also post them on the discussion page of d:Wikidata:Wikisource.


Cheers Lydia Pintscher (WMDE) ૦૧:૦૪, ૩૦ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]