અખાના છપ્પા
વેષનિંદા અંગ
અખો
આભડછેટનિંદા અંગ →


અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.

જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

છપ્પા ફેરફાર કરો

આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલ છે. જે ૪૪ અંગમાં,અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલ નથી,પરંતુ તેમનાં છપ્પાઓ માં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કરેલ છે.

દોષનિવારક અંગવર્ગ

ગુણગ્રાહક અંગવર્ગ

સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

ફલપ્રતિપાદક અંગવર્ગ


અખો

અમદાવાદનો સોની તથા સહુથી શ્રેષ્ઠ વેદાંતી કવિ.

છપ્પા

વેષાનિંદા અંગ.

સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે;
નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી;
અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય.

રંગ ચઢે તે જાણો મેલ,પોત રહે તે સામું સહેલ;
આપે આતમ સ્વયં પ્રકાશ,કર્મ ધર્મનો કાઢી પાસ;
અખા એવી સદગુરૂની કલા,સમઝે નહિ તો વાધે બલા.

ટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.

મજી રહે તો સઘળો લાભ,કાયકલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,આતમતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,જન્મ કોટિની ઉતરે ગાળ.

માની ત્યાં માયાનો ભાગ,માને માયા પામે લાગ;
કેવળમાં જે બીજું ભળે,કલ્પિત ભ્રમ ટાળ્યો નવ ટળે;
અખા નિજ આતમને સાધ્ય,ઔષધવોણી જાયે વ્યાધ્ય.

હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે;
પોતાપણેથી જે નર ટળે,અણ આયાસે હરિમાં ભળે;
અખા વાત સમજી લે વિધ્યે,જાંહાં છે ત્યાં આકાશજ મધ્યે.

ડે નહીં જે પૃથ્વી સુવે,કને નહીં તે કો શું ખુવે;
ટાઢું ઉનું નોહે આકાશ,પાણીમાં નોહે માંખણ છાસ;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,જ્યાં નૈં સ્વામી સેવક સખા. ૭

ક નહીં તાં બીજું કશું,જાણું નૈં શું વાસો વસું;
પંચ નહીં ત્યાં કેની શાખ્ય,વણ રસના અચવ્યો રસ ચાખ્ય;
અખા સમજે તો સમજી જુવે,બાપના બાપને ઘેલાં રૂવે. ૮